તળાજા,તા.26 તળાજામાં સતત ત્રીજા દિવસે તસ્કરો ત્રાટકતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ શાકમાર્કેટમા બે દુકાનો તસ્કરો ત્રાટક્યા હતા. રોકડ રકમ અને માલસામાનનીમા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પાછળના ભાગે બાકોરુ પાડી તસ્કરો દુકાનમાં ઘૂસી ગયાં હતાં. આ પહેલાં પણ કેટલીક વાર દુકાનમાં ચોરી થઈ હતી વેપારીમા રોષ ફેલાયો છે. જ્યારે આજે પોલીસ ચોકી નજીક જનતા હોટલ ઊપર આવેલા રાજુલ કરીયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ અને દુકાનના સામાન ની ચોરી કરી હતી તસ્કરોએ ચોરી કરતાં પહેલાં સી સી ટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો પોલીસના ખોફ વિના તસ્કરો બેફામ બનતાં વેપારીઓમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. આરોપી ને ઝડપી અને સતત પેટ્રોલિંગ કરવા માંગ કરી હતી.