સુરતના ભજીયાવાલાની સોનાની કરોડની ઘડિયાળની ઓન લાઈન હરાજી

સુરતનાં ઉધનામાં રહેતા અને નાણાંની ધારધારનો ધંધો કરતાં કિશોર ભાજીયાવાલાના કરોડો રૂપિયાના દાગીના સહિત 71 કિંમતી વસ્તુઓની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. આવક કરતાં સંપત્તિ કેસમાં ઇડી અને આઇટીએ કાર્યવાહી કરી હતી. જેમાં રૂ.7 કરોડ વસુલ કરવાના થાય છે.  71 જેટલી કિંમતી વસ્તુઓમાં ચાંદીનાં દાગીના, લુઝ હીરા અને મોંઘીદાટ ઘડિયાળ તેમજ કિંમતી જવેલરીની ઓલ લાઈન હરાજી થશે. હરાજી માટે 8 લોટ પાડવામાં આવ્યા છે. તેની કુલ રૂ.400 કરોડની સંપત્તિ છે.

જેમાં ગોલ્ડ જ્વેલરી , મંગળસૂત્ર , બ્રેસલેટ , ગોલ્ડ બાર્સ, ડાયમંડ વોચ, લુઝ ડાયમંડ, નેકલેસ, બેન્ગલ્સ, ગોલ્ડ વોચનો સમાવેશ થાય છે.

તેની તસવીરો ભાજપના નેતાઓ સાથે મળી આવી હતી. ભાજપના અનેક નેતાઓ સાથે તેની સંબંધો છે. પણ કટોકટીના સમયે તેને કોઈ બચાવવા આવ્યું નથી. કેન્દ્ર સરકારના મોદીના પ્રધાનમંડળમાં રહેલાં કૃષિ રાજ્ય પ્રધાન અને અમરેલીના નેતા પરસોત્તમ રૂપાલા સાથે તેમની તસવિરો મળી આવી હતી.

નોટબંધી વખતે તેમની પાસેથી રૂ.1 કરોડની નોટો પકડાઈ હતી. ત્યારથી ભજીયાવાલા પ્રકરણ ઊભું કરાયું હતું. જોકે, સુરતમાં સમગ્ર દેશમાં સૌથી વધું જુની નોટો બદલી આપવાનું મોટા વ્યવહારો થયા હોવા થતાં બીજા કોઈની સામે કોઈ પગલાં ભરાયા ન હતા.

કોંગ્રેસના કપીલ છીબ્બલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નવી નોટો વિદેશથી છાપીને દેશમાં લાવવા અને જુની નોટો બદલી આપવા માટે 40 ટકા સમિશન લઈને રૂ.3 લાખ કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું આપોરો મૂક્યા હતા. આવા કુલ 26 સેન્ટર હતા તેમાં એક સુરત પણ હતું.

ચાવાળામાંથી કરોડોનો આસામી બનેલા કિશોર ભજીયાવાલાની સંપત્તિનો પર્દાફાશ બાદ બેંક લોકરોમાંથી આ સંપત્તિ મલી આવી હતી. 27 બેંક લોકરમાંથી સોના ચાંદી અને ડાયમંડના 15 કિલો વજનના દાગીના અને દાગીના મળી આવ્યા હતા. 25 પૈસાની ચા વેચવાનું શરૂં કરનારા કિશોર ભજીયાવાળા પાસેથી રૂ.400 કરોડની સંપત્તિ મળી હતી.

વધુ 150 કરોડની મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે. આ મિલકતો તેને તેના પરિવારના સભ્યોના નામે જ છે. આમ તેમનો મિલકતોના આંકડો રૂ. 400 કરોડ પર પહોંચી ગયો છે.મિલકતોની સાથે સાથે તેઓની મહિનાની આવક પણ ચોકાનારી છે. કિશોર ભજીયવાળા તથા તેના બન્ને પુત્રના મોબાઈલના ડેટાના બેક એપ વિભાગ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા.

નરેનેદ્ર મોદીની કેન્દ્ર સરકારના કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા સાથે ભજીયાવાલા