ગુજરાત અને સુરતવાસીઓને જૈસ્મિન પર ગર્વ છે. સુરતથી શારજાહ વચ્ચેની ફ્લાઈટના પાઈલોટ એક મહિલા છે. પણ સુરતના છે. નામ જૈસ્મિન મિસ્ત્રી. જૈસ્મિન અત્યાર સુધીમાં ૪ હજાર કરતા વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ઉડાન ભરી ચૂકી છે. બાળપણમાં તે કાગળનું વિમાન બનાવી ઉડાવતી હતી. જૈસ્મિન બાળપણથી જ પાઇલોટ બની વિમાન ઉડાવવા માંગતી હતી. જૈસ્મિનને બાળપણથી પાયલોટ બનવાનો વિચાર આવતો હતો. ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે જૈસ્મિન ભવિષ્યમાં કંઇક અલગ કરી બતવશે.
૧૯૯૩-૯૪માં પાયલોટની ટ્રેનિંગ દરમિયાન પણ જૈસ્મિને અમદાવાદથી સુરતનો રૂટ પસંદ કર્યો હતો. તે એક કુશળ પાયલોટ છે. તેના માતા-પિતા સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલા જીવકોર નગરમાં રહે છે. જૈસ્મિનના પિતા સુરતના ઉધનામાં એન્જિનિયરીંગ લેથ ઉનિટ ચલાવતા હતા. માતા સુરતની પ્રાથમિક શિક્ષણ શાળા સમિતિની શાળામાં શિક્ષક હતા. હાલ તેના માતા પિતા નિવૃત છે.
૧૯૯૩માં એક જાહેરાત પ્રસિદ્ધ થઈ. તે જાહેરાત મુંબઈ ફ્લાઈંગ ક્લબની ટ્રેનિંગ માટેની હતી. જેમાં ૪.૫૦ લાખના ખર્ચે ટ્રેનિંગ આપવાની વાત કરવામાં આવી હતી. જોકે તે વખતે આ ખર્ચ કરવો તેમના માટે અઘરો હતો. પરંતું સગાવ્હાલાની મદદથી પાયલોટ બનવા તરફનું આ પહેલું પગલું ભરવામાં તે સફળ રહી. જૈસ્મિન મિસ્ત્રીના પતિ રંતુલ મિસ્ત્રી પણ પાયલોટ છે.
જૈસ્મિન બાળપણથી જ કોઇ પણ કામને નાનું ગણતી નહીં. ખેતરમાં દવા છાંટવી હોય કે ઝાડ પરથી કેરી તોડવી હોય કે ઘરનું કામ કરવાનું હોય તે હંમેશાં આવા કામ કરવા તત્પર રહે છે. તે આગળનું વધારે વિચારે છે.