સોમનાથ મહાદેવ સાયબર દર્શન માટે 10 કરોડ મુલાકાતી આવ્યા

સોશિયલ મીડિયામાં સોમનાથ મહાદેવના દર્શન 10 કરોડ વખત થયા છે. દર્શન, પૂજા વિડીયો અને અન્ય સેવાઓ વર્ષ 2015થી શરૂ કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના વર્ષ 2018 દરમિયાન ફેસબુકમાં 9.98 કરોડ વખત દર્શન લોકોએ કર્યા હતા. ટ્વીટરમાં સોનનાથ મહાદેવના દર્શન 80 લાખ વખત લોકોએ કર્યા હતા. ભાવિકોને સોમનાથ મહાદેવના દર્શન હાઈ રેઝોલ્યુશન ક્વોલિટીમાં થઈ શકે છે. 46 દેશમાં વસતા ભારતના લોકો આ સાઈટ પર મુલાકાત લે છે.
2017માં દોઢ કરોડ લોકોએ શ્રાવણ મહિનામાં સોશિયલ મિડિયા પર આવ્યા હતા
25 ઓગસ્ટ 2017 સુધીમાં દેશ-વિદેશના એક કરોડથી વધુ ભક્તોએ સોશ્યલ મીડીયા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથમાં શ્રાવણ ઉત્સવ દરમ્યાન શ્રદ્ધાળુઓએ લાઇવદર્શન, ઓનલાઇન ડોનેશન, ગેસ્ટહાઉસ બુકિંગ, પુજાવિધિ નોંધાવવા માટે ડીઝીટલ સુવિધાનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. આમ પૂરો શ્રાવણ મહિનો સોમનાથ મહાદેવ હવે સોશિયલ મિડીયા પર છવાયેલાં રહ્યાં હતા. શ્રાવણ દરમ્યાન વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ તથા આરતીના ક્લીપીંગ્સ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વિગેરે પર આ વખતે લોકોએ ડિઝીટલ માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલમીડીયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન 44 દેશોમાં 1.50 કરોડ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા તેમજ શ્રાવણના વિશેષ શૃંગારના અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે તેની સામે સોમનાથ આવેલાં કૂલ દર્શનાર્થીઓ 25 લાખથી વધારે ન હતા. છેલ્લાં બે વર્ષનો વિકાસ જોતાં આવતાં વર્ષે આ સંખ્યા 10 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા સોશિયલ મિડિયા નિષ્ણાંતો બતાવી રહ્યાં છે.
ફેસબુક ઉપર 1,40,25,577 (એક કરોડ ચાલીસ લાખ) જેટલા ભક્તોએ દુનિયાભરમાંથી મહાદેવના દર્શન કર્યા હતા. જેમાં અમેરીકા 89,370, આરબ અમીરાત 89,370, કેનેડામાં 19,525, સાઉદી અરેબીયામાં 19,406, ઓસ્ટ્રેલીયામાં 16,997, પાકિસ્તાન 5,696 લોકોએ દર્શન કર્યા હતા.
ભારતના મુખ્ય શહેરોમાં અમદાવાદ માંથી 10 લાખ, મુંબઇ 1.86 લાખ, દિલ્હી 1.62 લાખ લોકો જોડાયા હતા.
ટ્વીટરમાં 4,87,494 લોકો પ્રભાવિત (ઇમ્પ્રેસ) થયા હતા. 45,486 લોકો સીધા જોડાયા હતા. ઇન્સ્ટાગ્રામમાં 30,000થી વધુ ભક્તોએ શ્રાવણ દરમ્યાન દર્શન કર્યા હતા.
એન્ડ્રોઇડ પ્લેસ્ટોર અને એપ્પલ સ્ટોર પર ઉપલબ્ધ સોમનાથ યાત્રાએપ 30 દેશોમાં 4,000 જેટલા યુઝર્સ નવા જોડાયા હતા, તેમજ 2.28 લાખ વખત આ એપનો વપરાશ કરવામાં આવ્યો હતો. લાઇવ દર્શન પણ શ્રાવણના છેલ્લા અઠવાડિયામાં શરૂ કરતા બહોળી સંખ્યામાં ભક્તો એપના માધ્યમથી લાઇવ દર્શન કરી શક્યા હતા. આમ 2017થી સોમનાથ પોપ્યુલર થઈ રહ્યું હતું.

શ્રાવણ માસ પર્યન્ત ભક્તોએ વિવિધ ગેસ્ટહાઉસો તેમજ પુજાવિધિ ડોનેશન ઇન્ટરનેટ તેમજ સ્વાઇપ કાર્ડના માધ્યમથી 89,14,397નુ ડિઝીટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું હતુ. સોમનાથમાં શરૂ કરવામાં આવેલા ડિઝીટલ લોકરનો ઉપયોગ શ્રાવણમાં 15,000 જેટલા લોકોએ કરેલો હતો. ભવિષ્યમાં લોકોને વધુમાં વધુ ડીઝીટલ પેમેન્ટ સેવા મળે તે માટે સોમનાથ યાત્રા એપ, ટ્રસ્ટની વેબસાઇટ તથા ઓનલાઇન વોલેટ જેવી સુવિધા સેવા શરૂ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે ટુક સમયમાં શરૂ થશે.