સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર કોઈનો અભિશ્રાપ લાગી ગયો છે ? ચોથી વખત હડતાલ

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની દેખરેખ અને વ્યવસ્થામાં લાગેલા 100 જેટલાં કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકાર સામે અનેક સવાલ ઉભા થયા છે. વાત એવી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની UDS કંપનીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો. જેના વિરોધમાં તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. મુજબ પગાર ન આપવા માટે તેઓ PMને જવાબદાર ઠેરવી રહ્યા છે. 31 ઓક્ટોબર 2018ના રોજ PM નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું. સરદાર પુતળાની દેખરેખ રાખી રહેલા કર્મચારીઓને પગાર નથી આપવામાં આવ્યો. કંપની દ્વારા શોષણ થઈ રહ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કામગીરી બંધ કરી રસ્તા પર બેસી જઇ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિક્યુરિટી, ચેકીંગ, ગાર્ડનિંગ, સફાઈ, લિફ્ટ મેન, ટિકિટ ચેકીંગ સહિત કામગીરી કરતા કર્મચારીઓને UDS કંપનીએ અનિયમિત પગાર આપવામાં આવે છે. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી થાય છે.

અગાઉ પણ હડતાલ પડી હતી

વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કામકાજ વખતે 25 જાન્યુઆરી 2019માં પણ 700 કામદારોએ હડતાલ પાડી હતી. 700 જેટલા કામદારોએ વિવિધ માંગોને લઈને હડતાલ પાડતા કામકાજ બંધ થઇ ગયું હતું. 182 મીટર ઉંચી પ્રતિમા બનાવવાનું કામ એલ.એન્ડ ટી.ને આપવામાં આવ્યું હતું.

નર્મદા અને આસપાસના સ્થાનિક કામદારોને છુટા કરીને ગુજરાત બહાર નાં કામદારોને લેવામાં આવતા જ એલ.એન્ડ ટી કંપની અને કામદારો વચ્ચે વિવાદ વિવાદ થયો હતો. કામદારોએ ગુજરાત વિરોધી નિર્ણય સામે વિરોધ કરવા હડતાલ પાડી હતી. કામદારોની ભરતીમાં ગુજરાતીઓને લેવામાં આવે એવી માંગ કરી હતી. 18 જેટલા સબ કોન્ટ્રાકટરો હતા.

6 દિવસ કામ બંધ

બીજીવાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા તેથી 6 દિવસ કામ બંધ રહ્યું હતું. પુતળું બનાવવામાં મોડું થયું હોવાથી તેનો દંડ ભરવાથી બચવા માટે જાણી જોઇને કર્મચારીઓને છુટા કરી વિવાદ ઉભો કરીને વિવાદ ઊભો કરી હડતાલ પડે એવું કરીને કરોડો રૂપિયાનો દંડ બચાવી લીધો હતો.

મોત થતાં વિરોધમાં હડતાલ

નર્મદા જિલ્લામાં સાધુબેટ પર સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ ચાલતું હતું ત્યારે 10 ફેબ્રુઆરી 2018માં કામદારનું મોત થયુ હતું. કામ કરતા એક કર્મચારી નીચે પટકાયો હતો. આ ઘટના બાદ નર્મદા નિગમ અને પોલીસ સાથે કામદારોને બોલાચાલી થઈ હતી. ઘટનાના ૫ગલે 1500 કામદારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ બંધ કરી દીધુ હતું. L&T કંપનીની કચેરી સામે ભેગા થયાં હતા. કામદાર ઝારખંડ રાજ્યનો રહેવાસી હતો. કામદારોએ માંગણી કરી હતી કે, લાશને કેવડીયા ખાતે લાવવામાં આવે અને ત્યારબાદ જ ઝારખંડ મોકલવામાં આવે. પણ કંપનીએ લાશને પ્લેન મારફ્તે ઝારખંડ મોકલાવી હતી.

ગેરકાયદે કામ

આદિવાસી લોકો આપ્રોજેક્ટ અંગે વારંવાર નિષાશાઃ નાંખતાં રહ્યાં છે. તેમના આ અભિષાપના કારણે વારંવાર વિઘ્નો આવતાં રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જાહેર કર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આખો પ્રોજેક્ટ જ ગેરકાયદે છે. આદિવાસીઓને લગતા ‘પેસા’ કાયદાનો ભંગ થયો છે. જમીન સંપાદન, ઓઈલ કંપનીઓ પાસેથી રૂ.3000 કરોડનું ફંડ, પર્યાવરણ અને ફીઝીબિલીટી રિપોર્ટનું અનુસરણ કરાયું નથી.

આદિવાસીઓએ હડતાલ પાડી હતી

અગાઉ હડતાલ પડી હતી ત્યારની છબીઓ

અંબાજીથી ઉમરગામ સુધીની પટ્ટીમાં આદિવાસી વિસ્તારોમાં 31 ઓક્ટોબર 2018માં હડતાલ પાડવાની જાહેરાત થતા ભાજપની રૂપાણી સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.  પણ મુંઝાણી છે. આ દિવસે આદિવાસીઓના ચૂલા બંધ રહ્યા હતા. ભૂખ હડતાલ કરી હતી. આદિવાસીઓ જ્યારે કોઈ બાબતે અભિશ્રાપ આપે ત્યારે ચૂલા સળગાવતાં નથી. એક્તા યાત્રાના નામે ભાજપના નાટક સામે સામૂહિક ઉપવાસનું શસ્ત્ર ઉગામાયું હતું. ભાજપ સરકારની સરદાર એક્તા યાત્રામાં ઓછા લોકો જોડાયા હતા.