હનુમાનજીને આદિવાસી ગણાવનાર સાઈ ગાંધીઆશ્રમ કેમ પહોંચ્યા

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઇએ અમદાવાદ આઇઆઇએમ અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આઇ.આઇ.એમ.ના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ, જમવાની સુવિધા શિષ્યવૃત્તિ, ઉપલબ્ધ બેઠકો  વગેરે અંગેની જાણકારી મેળવી સાંજે તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પોતાના શ્રધ્ધાસૂમન અર્પણ કર્યા હતા. આશ્રમમાં તેમણે ગાંધીજી વિશેની વિગતો મેળવી હતી. 

હનુમાનજી દલિત નથી પરંતુ અનુસૂચિત જનજાતિના છે’ એવું વિવાદી નિવેદન તેમણે નવેમ્બર 2018માં આપ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત ગણાવી દેતા મોટો વિવાદ થઈ ગયો. હજુ પણ આ મુદ્દે નિવેદનો ચાલુ જ છે. તેમણે કહ્યું કે જનજાતિ સમાજમાં હનુમાન, ગીધ બધા ગોત્ર હોય છે. રામાયણની લડાઈ સમયે જનજાતિ વર્ગના લોકો પણ ભગવાન રામની સાથે હતાં. હનુમાનજી દલિત નથી પરંતુ અનુસૂચિત જનજાતિના છે. એવું તેમણે ઉત્તર પ્રદેશની મુખ્ય પ્રધાન યોગી આગિત્યનાથે હનુમાન દલિત હતા એવા નિવેદન બાદ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે તે સમયે કહ્યું હતું કે, જનજાતિઓમાં હનુમાન એક ગોત્ર હોય છે. એટલે કે તિગ્ગા છે. તિગ્ગા કુડુકમાં છે. તિગ્ગાનો અર્થ બંદર થાય છે. અમારા ત્યાં કેટલીક જનજાતિઓમાં સાક્ષાત હનુમાન પણ ગોત્ર છે, અને અનેક જગ્યાએ ગીધ ગોત્ર છે. જે દંડકારણ્યમાં ભગવાન (રામ)એ સેના ભેગી કરી હતી, તેમાં આ જનજાતિ વર્ગના લોકો આવે છે, આથી હનુમાન દલિત નહીં પરંતુ જનજાતિના છે.’

નંદકુમાર સાઇના આ વિવાદ બાદ તેઓ ગુજરાતમાં સક્રિય બન્યા છે.

તેઓએ બે દિવસની નર્મદા જિલ્લાની મુલકાત લીધી હતી. તેમણે ગુજરાતના આદિવાસીઓ અંગે વિગતો મેળવી હતી.

અનુસૂચિત જનજાતિઓ (Scheduled Tribes)

બરડા
બરડા એટલે પહાડી પ્રદેશ. તેથી તેવા પર્વતીય પ્રદેશોમા વસતા લોકો પણ બરડા કહેવાયા. તેઓ ખાનદેશ પ્રદેશમાંથી સ્થાનાંતર કરીને ગુજરાત પ્રદેશમાં આવ્યા હોવાનું મનાય છે. અને તેથી તેમને ખાનદેશી ભીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાદેશિક કક્ષાએ તેમનું વર્ગીકરણ પેટા ભીલ જાતી તરીકે કરવામાં આવ્યું છે…

બાવચા
બાવચા જાતિ વિશે અમુક ઐતિહાસિક માહિતી સિવાય તેમના મૂળ બાબતે કોઈ લેખિત પૂરાવા ઉપલબ્ધ નથી. બાવચાનું મૂળ યાદવ કૂળમાં કે પાંડવ કૂળમાં હોઈ શકે. મામા-ફોઈના કુટુંબમાં લગ્ન કરવામાં તેમની રિવાજ ઉપરથી તારવેલું આ અનુમાન માત્ર છે.

ભરવાડ
‘ભરવાડ’ શબ્દ બડાવાડ ઉપરથી નિષ્પન્ન થયો જણાય છે. બડા એટલે ઘેટું અને વાડ એટલે વાડો. (ગુજરાતી અર્થ) જે પશુપાલકો પોતાના ઘેટા બકરા માટે તેમને રાખવા માટેનો વાડો (ચારે બાજુ વાડ કરીને બનાવેલી મોટી જગ્યા) ધરાવતો હોય તે પશુપાલક ‘ભરવાડ’ તરીકે ઓળખાય છે.

ભીલ
ભીલ જાતિએ ભારતમાં બીજા નંબરની વિશાળ વસતિ ધરાવતી જાતિ છે. 2011ની વસતિ ગણતરી પ્રમાણે ભારતમાં ભીલ જાતિની વસતિ 42,15,603 છે. જેમાં 21,33,216 પુરુષો અને 20,82,387 મહિલાઓ છે. ભીલ જાતિ મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસે છે.

ચારણ
ચારણ જાતિની ગુજરાત રાજ્યમાં વસતિ ગણી ઓછી છે. વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર રાજ્યમાં તેમની વસતી 2890 (0.03%) છે. જે પૈકી 1483 પુરુષો અને 1407 મહિલાઓ છે. ગુજરાત/સૌરાષ્ટ્રમાં તેમને ગઢવી તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્થોવન (1920)ની મત અનુસાર ચારણ નામ ‘ચાર’ ઉપરથી ઉતરી આવ્યું છે. ‘ચાર’ એટલે ઘાસચારો.

ચૌધરી/ચૌધુરી
ચૌધરી/ચૌધુરી જાતિ વિશે 1900 ની સદીથી અનેક અભ્યાસો હાથ ધરાયા છે. તેથી તેના વિશે ઘણી દસ્તાવેજી માહિતી પ્રાપ્ય છે. આમા કેટલાંક ચૌધરીને ‘ચૌધરા’ પણ કહેવાય છે.

ચૌધરા
માત્ર 1981 અને 2001 વસતિ ગણતરી દરમિયાન ‘ચૌધરી’ અને ‘ચૌધરા’ નું જાતિવાર અને જિલ્લા દીઠ અલગ વર્ગીકરણ કરાયું હતું. ચૌધરા જાતિની મુખ્ય વસતિ નર્મદા, ભરૂચ અને સુરત જિલ્લામાં છે.

ધોડિયા
‘ધોડિયા’ શબ્દા ‘ધ્રુપિયા’માંથી આવ્યો છે. ધુપિયા તો મહારાષ્ટ્રમાં આવેલો એક જિલ્લો છે. અગાઉ ત્યાંથી ધાનસિંગ અને રૂપસિંગ નામના બે રાજકીય કુમારો ગુજરાતમાં આવ્યા. તેઓની મુલાકાત બે સ્વરૂપવાન ‘નાયક’ સ્ત્રીઓ સાથે થઈ. તેઓએ તેમની સાથે લગ્ન કર્યાં અને તેમની પ્રજોત્પતિ ‘ધોડિયા’ નામે ઓળખાઈ.

ગામિત
ગામિત જાતિનુ મૂળ સૂર્યવંસી રાજપૂત કૂળમાં રહેલુ છે, એમ તેઓ માને છે તેઓ સિંઘ પ્રદેશના ખૈબરઘાટ અને બાબેલ ઘાટ મારફતે ભારતમાં આવી મારવાડ તરફ આગળ વધ્યા.

ગોંડ
ગોંડ કોઈ સાંકેતિક શબ્દ હોઈ શકે. તેઓ સાંકેતિક ભાષામાં ‘ખંડ’ લખતા. ગોંડ લોકો ગોંડી બોલીમાં વાતચીત કરે છે. જેમાં તામીલ, કાનડા અને તેલગુ ભાષાનુ મિશ્રણ છે. તેથી એમ અનુમાન કરી શકાય કે તેઓ દક્ષિણ ભારતમાંથી સ્થળાંતર કરીને મધ્યપ્રદેશ તરફ આગળ આવ્યા હશે.

હળપતિ
તેઓ અત્યાર સુધી ‘દુબળા’ તરીકે જાણીતા હતા. દુબળા એટલે દુર્બળ, શક્તિહીન, નબળા જો કે શારીરિક રીતે તો તેઓ મજબુત છે. તેઓનો દાવો છે કે તેઓ મૂળ રાજપૂત જાતિમાંથી ઉતરી આવેલ છે. દક્ષિણ ગુજરાતમાં વરસો સુધી આ જાતિના લોકોએ ખેતરોમાં જમીનદારના હાળી (સાથી) તરીકે કામ કર્યું. તેમની ઉપર જ તેમનો જીવન નિર્વાહ ચાલતો હોવાથી તેઓ. આર્થિક રીતે ખૂબ પછાત અને નબળા રહ્યા.

કુકણા
અન્ય જાતિઓ કરતા કંઇક જુદી પડતી આ જાતિના મૂળ વિશે કોઈ દંતકથા પ્રચલિત નથી, તેથી તે જાતિની ઐતિહાસિક પ્રશ્વાદભૂમિકા શોધવા માટે ખાસ પ્રયાસો કરવા જોઈએ. ‘કુકણા’ નામ પરથી સહજપણે એક ધારણા બાંધવાનું મન થાય.

કુણબી
‘કુણ’ એટલે લોકો અને ‘બી’ એટલે બીજ, એક બીજમાંથી અનેક બીજ/અનેક દાણા પકવે તે. કુણબી. આ સમુદાયના લોકો પોતાને કુણબી તરીકે ઓળખાવે છે. અને અન્ય લોકો પણ તેમને કુણબી જ કહે છે. કુકણા અને કુણબી એક બીજાના પ્રયાય છે.

નાયકડા
ચીખલી તાલુકામાં નવસારી જિલ્લામાં અને સુરત જિલ્લામાં મહુવા, સુરત અને સોનગઢમાં તેમને ‘મોટા નાયકા’ તરીકે ઓળખાવાય છે, તો સુરત જિલ્લામાં અન્ય તાલુકાઓમાં તેમને નાના નાયકા તરીકે ઓળખવામાં આવે છે.

પટેલિયા
‘પટેલિયા’ શબ્દ ‘પટેલ’ શબ્દમાંથી ઉતરી આવેલ છે. પટેલ એટલે મુખ્ય વ્યક્તિ, મુખી. પટેલિયા સમુદાય મુખ્યત્વે પંચમહાલ જિલ્લામાં વસે છે. ઉપરાંત તેમની થોડીક વસતિ સુરત, ખેડા, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં પણ છે.

પોમલા
તેઓ પોતાની જાતિને ‘પોમલા’ તરીકે ઓળખાવે છે. પરંતુ અન્ય લોકો તેમને ટોપીવાલા, છાબડીવાલા તરીકે પણ ઓળખાવે છે. મધ્યપ્રદેશ રાજયના ઈંદોર શહેરથી તેઓ સ્થળાંતર કરીને આવ્યા છે. અમુક લોકો તેમને ‘‘ બારગુડા’’ તરીકે પણ ઓળખે છે.

રબારી
‘ભૂમિપાલક’ શબ્દ ઉપર ‘ભોપાલ’ શબ્દ ઉતરી આવ્યો. તેનો અર્થ થાય પૃથ્વીનો પાલક. એટલે કે રાજા. વળી, રબારી એટલે પૈસા પાત્ર વ્યક્તિ. ‘રબારી’ શબ્દનો બીજો એવો પણ અર્થ થાય કે તેઓ નિયમો અને નિયમનોથી પર છે – કોઈ નિયમ/નિયમન તેમને લાગુ પડતા નથી. જો કે ‘રબારી’ શબ્દનો સ્પષ્ટ સંદર્ભ હજી બરાબર જાણી શકાયો નથી.

રાઠવા
‘રાઠવા’ શબ્દ ‘રથવિસ્તર’ પરથી આવેલો છે. અને તેનો અર્થ વનવિસ્તાર કે પર્વતીય વિસ્તાર થાય છે. તેથી રથ વિસ્તાર (વન કે પર્વત વિસ્તારમાં) રહેનાર ‘રાઠવા’ કહેવાય છે. તેઓ રાઠવા કોળી તરીકે પણ ઓળખાય છે.

વારલી
વારલી એ ખૂબ જાણીતી જનજાતિ છે. તેઓ મોટેભાગે ધરમપુર અને વાંસદા તાલુકાની પર્વતીય પ્રદેશોમાં તેમજ ઉંમરગામ તાલુકો (વલસાડ જિલ્લો)ના કાંઠા પ્રદેશમાં વસે છે. ઉંમરગામ તાલુકામાં તેમની સઘન વસતિ છે.

તડવી
ધાનકાઓની જુદી અટક શા માટે? તેઓ વાલવી અથવા તેતરિયાના નામે ઓળખાવાને બદલે તડવી નામે શા માટે ઓળખાયા? એક માન્યતા અનુસાર, દુષ્કાળના સમયગાળામાં તેઓએ ઘોડાનું માંસ ખાધું તેથી તડવી તરીકે ઓળખાયા.’તડવી’ એટલે ઘોડા પર સવારી કરનાર

જિલ્લાદીઠ વસતિ
આદિવાસીઓની જિલ્લા દીઠ વસતિ, ૨૦૧૧
અનુ. નં. જિલ્લાનું નામ કુલ વસતિ અનુસૂચિત જનજાતિની વસતિ
૧. અમદાવાદ ૭૨,૧૪,૨૨૫ – ૮૯,૧૩૮
૨. અમરેલી ૧૫,૧૪,૧૯૦ – ૭,૩૨૨
૩. આણંદ ૨૦,૯૨,૭૪૫ – ૨૪,૮૨૪
૪. બનાસકાંઠા ૩૧,૨૦,૫૦૬ – ૨,૮૪,૧૫૫
૫. ભરૂચ ૧૫,૫૧,૦૧૯ – ૪,૮૮,૧૯૪
૬. ભાવનગર ૨૮,૮૦,૩૬૫ – ૯,૧૧૦
૭. દાહોદ ૨૧,૨૭,૦૮૬  –  ૧૫,૮૦,૮૫૦
૮. ગાંધીનગર ૧૩,૯૧,૭૫૩ – ૧૮,૨૦૪
૯. જામનગર ૨૧,૬૦,૧૧૯ – ૨૪,૧૮૭
૧૦. જૂનાગઢ ૨૭,૪૩,૦૮૨ – ૫૫,૫૭૧
૧૧. કચ્છ ૨૦,૯૨,૩૭૧ – ૨૪,૨૨૮
૧૨. ખેડા ૨૨,૯૯,૮૮૫ – ૪૦,૩૩૬
૧૩. મહેસાણા ૨૦,૩૫,૦૬૪ – ૯,૩૯૨
૧૪. નર્મદા ૫,૯૦,૨૯૭ – ૪,૮૧,૩૯૨
૧૫. નવસારી ૧૩,૨૯,૬૭૨ – ૬,૩૯,૬૫૯
૧૬. પંચમહાલ ૨૩,૯૦,૭૭૬ – ૭,૨૧,૬૦૪
૧૭. પાટણ ૧૩,૪૩,૭૩૪ – ૧૩,૩૦૩
૧૮. પોરબંદર ૫,૮૫,૪૪૯ – ૧૩,૦૩૯
૧૯. રાજકોટ ૩૮,૦૪,૫૫૮ – ૨૪,૦૧૭
૨૦. સાબરકાંઠા ૨૪,૨૮,૫૮૯ – ૫,૪૨,૧૫૬
૨૧. સુરત ૬૦,૮૧,૩૨૨ – ૮,૫૬,૯૫૨
૨૨. સુરેન્દ્રનગર ૧૭,૫૬,૨૬૮ – ૨૧,૪૫૩
૨૩. તાપી ૮,૦૭,૦૨૨ – ૬,૭૯,૩૨૦
૨૪. ડાંગ ૨,૨૮,૨૯૧ – ૨,૧૬,૦૭૩
૨૫. વડોદરા ૪૧,૬૫,૬૨૬ – ૧૧,૪૯,૯૦૧
૨૬. વલસાડ ૧૭,૦૫,૬૭૮ – ૯,૦૨,૭૯૪
ગુજરાત રાજ્ય ૬,૦૪,૩૯,૬૯૨ – ૮૯,૧૭,૧૭૪