અમદાવાદના લોકપ્રિય નેતા હરિન પાઠક કહે છે કે, અમદાવાદને અનેક ફાયદાઓ અપાવ્યા છે. એરપોર્ટ, રેલવેની જમીન, રેલવે ડિવિઝન, ટ્રેનો, આર્મી કેમ્પસમાં જમીન જેવા કેન્દ્ર સાથેના 210થી વધું અમદાવાદના પ્રશ્નો ઉકેલી આપ્યા છે. ડી આર એમની કચેરી અસરારવામાં લાવ્યો છું, ડીવીઝનની કચેરીઓ અસારવા પછી લઈ જવામાં આવેલો છું. ડિવિઝન મેં બનાવ્યું છે, ઝોન ન આપ્યું. સરસપુરમાં રેલવેઅ જમીન લીધી છે. ગુજરાતની ઉપડતી ગાડીઓનો સ્ટાફ અને અધિકારીઓ લાવી શક્યો છું. પણ હું પશ્ચિમ રેલવેનું વડુ મથક લાવવામાં નિષ્ફળ રહ્યો છું. તેનું મને દુઃખ છે. પણ હવે દેશના શક્તિશાળી બે નેતાઓ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર અને 26 સાંસદો ભાજપના છે. તેથી અનુકુળ વાતાવરણ છે. જે અગાઉ ક્યારેય ન હતું. તેથી હવે ઉકેલ શક્ય છે. જે કોંગ્રેસ ન કરી શકી તે હવે ભાજપ સારી રીતે કરી શકે તેમ છે. બુલેટ ટ્રેન માટે અલગ સ્ટેશન બની શકે છે તે રીતે અલગ રેલવે વડું મથક બની શકે છે.
હરીન પાઠક નિખાલસ કબુલાત કરી શકે છે પણ અમદાવાદના નિષ્ફળ પૂર્વ સાંસદ અને ફિલ્મ નેતા પરેશ રાવલે અમદાવાદને રેલવે મથક મળે તે માટે કંઈ કર્યું નહીં. માત્ર ટ્વીટ કરીને પોતાનું રાજકારણ ચલાવતાં રહ્યાં હતા. તેમને મોદીએ ટિકિટ આપીને ગુજરાતે ઘણું ગુમાવવું પડ્યું છે. તેઓએ ગુજરાતને પશ્ચિમ રેલવેનું મથક મળે તે માટે કંઈ કરી શક્યા નથી. અને તેની કબુલાત પણ પરેશ રાવલ કરતા નથી. paresh raval