હેરીટેજ સીટી અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોની બાદબાકી

હેરીટેજ સીટીમાં સરખેજ રોજા સહિતના સ્‍થળોની પ્રવાસન સ્‍થળોમાંથી બાદબાકી

અમદાવાદ શહેર/જિલ્લામાં આવેલ પ્રવાસન સ્‍થળોમાં ધોળકા તાલુકાનું ગણેશપુરા મંદિર અને પરપોટિયા મહાદેવ મંદિર, અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગ અને સાબરમતી ગૌ શાળા, કોચરબ આશ્રમના વિકાસ માટે રૂ. ૨૫૧૦.૪૨ લાખની રકમ ફાળવી છે.

અમદાવાદ શહેરમાં આવેલ ઐતિહાસિક સ્‍થળો જેવા કે સરખેજ રોજા, શાહેઆલમ દરગાહ, જામા મસ્‍જીદ કે જ્‍યાં રાજ્‍ય, દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે ત્‍યારે આ સ્‍થળોનો પ્રવાસન સ્‍થળ તરીકે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે.

પ્રવાસન વિભાગ વિવિધ મહોત્‍સવો જેવા કે રણોત્‍સવગ, પતંગોત્‍સવ, નવરાત્રિ મહોત્‍સવ વગેરે પાછળ કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરે છે અને સાચા પ્રવાસન સ્‍થળોની અવગણના કરે છે. આ સરખેજ રોજા, શાહેઆલમ દરગાહ, જામા મસ્‍જીદ જેવા સ્‍થળોનો પણ પ્રવાસન સ્‍થળોમાં સમાવેશ કરની માંગણી કરી છે.

અમદાવાદને સ્‍માર્ટ સીટી, મેગા સીટી, મેટ્રો સીટીનો દરજ્‍જો આપવામાં આવ્‍યો છે. પણ વાયબ્રન્‍ટ ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૪૯૭ બી.પી.એલ. પરિવારોનો વધારો થયો છે.

રાજ્‍ય સરકારે સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલ એસ.ટી. નિગમની બસોના ભાડા પેટે રૂ. એક કરોડથી વધારેની માતબર રકમ ચૂકવવાની બાકી છે. એસ.ટી. બસો મુસાફરોના બદલે ભાજપ સરકારના સરકારી કાર્યક્રમોના તાયફા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. એકબાજુ ગામડાઓમાં એસ.ટી. બસો પહોંચી શકતી નથી, રૂટ બંધ કરી દેવામાં આવે છે, મુસાફરો હાલાકી ભોગવી રહયા છે ત્‍યારે એસ.ટી. નિગમ માત્રને માત્ર ભાજપના કાર્યક્રમનો માટે જ દોડી રહી છે. સરકાર એસ.ટી. બસોની સુવિધા મુસાફરોને આપવાને બદલે સરકાર અને પક્ષની વાહવાહી માટે કરી રહી હોય તેમ જણાય છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહપ્રવક્‍તા અને અમદાવાદના દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય  ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્યું હતું.