ગુજરાતમાં 13 હજાર નર્સ, 1500 એમ્યુલન્સ

16 મે 2025

રાજ્યમાં સરકારી દવાખાનાઓમાં 13 હજાર 507 નર્સ નોકરી પર છે.
સરકારની 61 સંસ્થાઓમાં 1920 બેઠક નર્સની છે. ખાનગી સંસ્થાઓમાં 997 કોલોજોમાં 47 હજાર 170 કોલેજોમાં નર્સીંગનાઅથ્યાસક્રમો છે.

2024-25માં રાજ્યમાં નર્સીંગની બી.એસ.સી.ની 500 બેઠકો સાથે અને પાંચ નવી કોલેજોને મંજુરી આપવામાં આવી હતી. નવી કોલેજ ગુજરાતના મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી ચાલી રહી છે.

રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા હેઠળ કુલ 800 ALS/BLS એમ્બ્યુલન્સ અને 38 આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ઓન રોડ છે. આ વર્ષમાં નવીન 119 એમ્બુલન્સનો ઉમેરો થતા 957 એમ્બ્ચુલન્સ થશે.

542 એમ્બ્યુલન્સનું પીઠબળ પણ 108ને મળતા હવે 1499 એમ્બ્યુલન્સ  આકસ્મિક પરિસ્થિતિમાં કામ કરે છે.

રાજ્યમાં 108સેવા દ્વારા છેલ્લા બે વર્ષમાં 28,69,115 લોકોને મેડીકલ સેવાઓ પુરી પાડેલ છે. જેમાં હવે રાજ્યમાં 542 એમ્બ્યુલન્સોનો ઉમેરો થતાં 1499 એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સીને વધુ સુદ્રઢ બનાવવા કાર્યક્ષમ સાબિત થશે.

ઇમરજન્સી કેસ આંતર-સુવિધા ટ્રાન્સફરના હાલના રોજીંદા 350 થી 400 કેસોનું કાર્યભારણ રહે છે. હાલમાં રિસ્પોન્સ ટાઈમ રૂરલ એરીયામાં 21.04મિનીટ અને અર્બન માં 11.26 મિનીટ છે. જેમાં 542 એમ્બ્યુલન્સના કાફલો ઉમેરાતા ગુજરાત રાજ્યના હાલના સરેરાશ 16.5 મિનીટના રિસ્પોન્સ ટાઈમને ઘટાડી સરેરાશ 10.00 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ સિદ્ધ કરવાનો લક્ષ્યાંક છે.

સ્માર્ટ રેફરલ સિસ્ટમ (SRS) થકી ઇન્ટીગ્રેશન કરી તમામ ગંભીર દર્દીઓના પરિવહન/આંતરપરિવહનનું યોગ્ય ટ્રેકિંગ થઈ શકશે અને યોગ્ય સમયે યોગ્ય દર્દીને યોગ્ય હોસ્પિટલ ખાતે પહોંચાડવાની સક્ષમ વ્યવસ્થા સુનિશ્ચિત થશે.

542 એમ્બ્યુલન્સોની સેવાઓ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતી જેને 108 મારફત સેવામાં મુકવાથી વાહન સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી મહત્તમ ઉપયોગ કરી શકાશે, જેનાથી સામાન્ય/ગંભીર ઈમરજન્સી તેમજ હોસ્પિટલથી અન્ય હોસ્પિટલ ખાતે દર્દીની રેફરલ સુવિધા બંને પ્રકારની જરૂરિયાતો માટે એમ્બ્યુલન્સ-વાહનો સહેલાઈથી લોકોને ઉપલબ્ધ થશે.

542 એમ્બ્યુલન્સોમાં પ્રિહોસ્પિટલ કેર માટે એક સમાન SOPs પ્રોટોકોલ મુજબ એકસમાન દવાઓ, વપરાશની વસ્તુઓ, તાલીમબધ્ધ કર્મચારીઓ અને મેડિકલ સાધનો સાથેની એક સમાન વ્યવસ્થા તમામ એમ્બ્યુલન્સોમાં ગંભીર દર્દીને હોસ્પિટલ ખાતેથી આંતર-સુવિધા ટ્રાન્સફર તેમજ ઘટના સ્થળેથી હોસ્પિટલ પરિવહન દરમિયાન સાતત્યપૂર્ણ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સંભાળ સુનિશ્ચિત કરશે.

દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા વધવા પામશે અને ગ્રામીણ વિસ્તારમાં પણ ઝડપથી લોકોને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થશે.

રીયલ-ટાઇમ ડેટા અને સંયુક્ત, સંકલિત વ્યાપક કામગીરી વિશ્લેષણ ભવિષ્યના સંસાધન ફાળવણી અને સિસ્ટમ સુધારણા માટે નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે. અને તમામ એમ્બ્યુલન્સોને રીઅલ-ટાઇમ લોકેશન મુવમેન્ટ મોનિટરિંગ માટે GPS ટ્રેકિંગ ઉપકરણોથી સજ્જ કરેલ હોવાથી કાર્યક્ષમતામાં સુધારો થશે.

હાલમાં 108 સિસ્ટમનું સે‍ન્ટ્રલાઈઝ કંટ્રોલ તથા સી.એમ ડેશબોર્ડ સાથે જોડાણ થયેલ છે જેથી ડિઝાસ્ટર કે અપેડેમિક જેવી ઘટનાઓમાં રાજ્ય કક્ષાએથી વધુ અસરકારક રીતે સંકલન સાથે અમલીકરણ કરી શકાય છે.

રાજ્યમાં દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સ સેવાઓમાં હવેથી તમામ પ્રકારની માહિતી એક જ સંસ્થા 108 EMRI GHS પાસેથી કયા પ્રકારના દર્દીઓને રીફર કરેલ તે અંગેની જાણકારી મળી રહેશે.
રાજયમાં હાલની 108 ઈમરજન્સી સેવાના પ્રોટોકોલ, તાલીમબધ્ધ, મેનપાવર, ઓપરેશનલ સંચાલનની કાર્યપ્રણાલી સાથે કુલ 542 એમ્બ્યુલન્સને 108 સેવા હેઠળની આ વ્યવસ્થાને ઓપરેશનલ કરવા રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 104.77 કરોડના બજેટનું આયોજન પણ કરવામાં આવેલ છે.