૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫

સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં

અધિકારીશ્રી-કર્મચારીશ્રી અને સ્વંય સેવકશ્રીઓ સહિત ૫૧૧ જેટલા જોડાયા

…………………………….

એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી

…………………………….

ડેટા રેકોર્ડિંગ માટે સમયજીપીએસ લોકેશનચિન્હોફોટામુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ

…………………………….

જી.આઈ.એસ અને સ્ટેસ્ટીકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણસંકલનનિષ્કર્ષણઆલેખન

…………………………….

  અમરેલીજૂનાગઢગીર સોમનાથભાવનગરરાજકોટમોરબીસુરેન્દ્રનગરદેવભૂમિ દ્વારકાજામનગરપોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે.

 

ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રિજનલ અધિકારી શ્રીઝોનલ અધિકારી શ્રીગણતરીકાર શ્રીઓઓબ્ઝર્વર શ્રી સહિત ૫૧૧ સ્વંય સેવકશ્રીઓ સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.

 

સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે ૩૫,૦૦૦ ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૮ રિજિયન૩૨ ઝોન અને ૧૧૨ સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

૧૬મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર ૩-૧૦ ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. અવલોકન રેકોર્ડિંગ માટે ૨૪ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છેજેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે.

 

ડેટા રેકોર્ડિંગ માટે સમયજીપીએસ લોકેશનચિન્હોફોટામુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છેઆ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણસંકલનનિષ્કર્ષણઆલેખન કરવામાં આવી રહ્યુ છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે.

 

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. ૧૬મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કેએશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ રહેતો નથી. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલોઘાસના મેદાનોદરિયાકાંઠાના વિસ્તારરેવન્યુ વિસ્તારમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

 

૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫ કામગીરી અન્વયે ૮ રિજિયનમાં રિજનલ અધિકારીશ્રીઝોનલ અધિકારીશ્રીસબ ઝોનલ અધિકારીશ્રીગણતરીકાર શ્રીમદદનીશ ગણતરીકાર શ્રીઓબ્ઝર્વર શ્રીસ્વંય સેવકો સહિત અંદાજે ૨,૯૦૦ થી વધુ માનવબળ ફરજ બજાવે છે. 

 

રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને લીધે સિંહ વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

 

પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ-૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નરમાદાપાઠડા-બચ્ચા એમ મળીને ૩૦૪ જેટલા સિંહવર્ષ-૨૦૦૧માં ૩૨૭વર્ષ-૨૦૦૫માં ૩૫૯વર્ષ-૨૦૧૦માં ૪૧૧વર્ષ-૨૦૧૫માં ૫૨૩ અને છેલ્લે વર્ષ-૨૦૨૦માં ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાઇ હતી. 

મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

……………………..

જૂનાગઢગીર સોમનાથભાવનગરરાજકોટમોરબી,

સુરેન્દ્રનગરદેવભૂમિ દ્વારકાજામનગરઅમરેલીપોરબંદર અને બોટાદ જિલ્લાનો સમાવેશ

……………………..

Ø  ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી

Ø  વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશાલિંગઉંમરઓળખ ચિન્હોજી.પી.એસ. લોકેશનગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે

Ø  રિજિનલઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે

Ø  હાઈ રીઝોલ્યુશન કેમેરારેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

     ……………………..

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ આવતીકાલ તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ તા.૧૦ થી ૧૧ મે અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢગીર સોમનાથભાવનગરરાજકોટમોરબીસુરેન્દ્રનગરદેવભૂમિ દ્વારકાજામનગરઅમરેલીપોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપનાવન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાંનિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજનગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છેજેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છેત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છેજે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરીમુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નરમાદાપાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. 

ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ:- 

એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલોઘાસના મેદાનોદરિયાકાંઠાના વિસ્તારોરેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

સમગ્ર વિસ્તારને રિજિયનઝોનસબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓગણતરીકારોમદદનીશ ગણતરીકારોનિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમયહિલચાલની દિશાલિંગઉંમરશરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હોજી.પી.એસ. લોકેશનગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે. 

મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ

સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરાકેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છેજે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશેજેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલવિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશેતેમ ગીર ફોરેસ્ટજૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.