23 મોત પછી બીજા દિવસે સુરતમાં 17 માળની સીડી આવી, વહેલી આવી હોત તો બચાવ થયો હોત

સુરતના સરથાણા વિસ્તારમાં બે દિવસ પહેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. આ આગમાં 23 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ ફાયરને થયા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જે ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર હતી, તેમાં બે માળ કરતા વધારે ઉપર જઈ શકે તેવી સીડી ન હતી. જેના કારણે કેટલાક બાળકોએ પોતાનું જીવ બચાવવા માટે ચોથા માળ પરથી છલાંગો લગાવી હતી. છલાંગ લાગવાના કારણે બાળકોને ગંભીર ઈજા પણ થઇ, કેટલાક બાળકો મોતને પણ ભેટ્યા. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસે બાળકોને રેશ્ક્યું કરી શકે તેવા સાધનો જ ન હતા. જેના કારણે બિલ્ડીંગની અંદરથી 15 કરતા વધુ મૃતદેહોને આગ પર કાબુ મેળવાઈ ગયા પછી બહાર કાઢવામાં આવ્યા હતા.

23 બાળકોના મોત પછી સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ટર્ન ટેબલ લેડર લાવવામાં આવી છે. આ ટર્ન ટેબલ લેડરની જે સીડી છે 55 મીટરની હોય છે. તે 16થી 17 માળ પર જઈ શકે છે. બે દિવસ પહેલા મહાનગરપાલિકા પાસે 4 માળ સુધી પહોંચે તેવી સીડી ન હતી. હવે અત્યારે 55 મીટરની ઉંચાઈએ રેક્ષ્ક્યું કરી શકાય, તેવી ટર્ન ટેબલ લેડર છે. તેનાથી 100 માણસોને લાઈન ટુ લાઈન નીચે ઉતારી શકાય છે. ફાયરની આ નવી ટેક્નોલીજી જર્મનીથી મંગાવવામાં આવી છે, તે પહેલા મુંબઈ પોર્ટ પર આવી હતી. ત્યાંથી તેને સુરતમાં લાવવામાં આવી હતી.

ફાયર ઓફિસર ઈશ્વર પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ ખરીદી કરવા માટે 6 સાત માસથી તૈયારી કરી હતી અને ડીલેવરી તેની તાત્કાલિક અસરથી મંગાવી છે. હાલ આ ટર્ન ટેબલ લેડરને અડાજણ ફાયર સ્ટેશનમાં રાખવામાં આવી છે, ત્યા ફાયર ફાયટરો, ડ્રાઈવરો અને અન્ય સ્ટાફને જર્મનીથી આવેલા ટ્રેનર દ્વારા આ ટર્ન ટેબલ લેડરના ઉપયોગની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.