અમદાવાદ માં બાલવીર રીટર્નસ….

અમદાવાદ,તા.04

બાળકોમાં મોસ્ટ પોપ્યુલર બની ગયેલા શો બાલવીર રીટર્નસની સ્ટાર કાસ્ટ દેવ જોશી, વંશ સયાની, પવિત્રા પુનિયાનીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ તકે બાલવીરની ભૂમિકા ભજવતા દેવ જોશીએ જણાવ્યુ હતુ કે  અમને અમારા શોનું પ્રમોશન કરવાનો ભારે રોમાંચ  છે. મને ખાસ કરીને નવરાત્રીમાં અમદાવાદની મુલાકાત લેવાનો મોકો મળ્યો તે મારા માટે બહુ ખુશીની વાત છે. બાલવીરની ભૂમિકા મારા મનની નજીક છે અને દરેકે આ ભૂમિકાને બહુ પ્રેમ આપ્યો છે. આ તકે તિમસાની ભુમિકા ભજવતી પવિત્રા પુનિયાએ જણાવ્યુ હતુ કે ફેન્ટસી ડ્રામા બાલવીર રિટર્નનો હિસ્સો બનવાની મને બેહદ ખુશી છે નકારાત્મક પાત્ર ભજવતી હોવા છતા તે પડકારજનક છે. સુપરહિરો કન્સેપ્ટ આ સિરીયલમાં વંશ સયાની પણ બાળકોમાં ચાહના પ્રાપ્ત કરશે.