સિંહપ્રેમીઓને ગર્વ છે કે રાજમાતા સિંહણ હવેગળામાં લટકતા બિનજરૂરી ભારથી મુકત થઈ છે. લીલીયા બૃહદગીરમાં વસતું 40 થી વધુ સાવજોનું ગૃપ આ ઘરડી સિંહણે વસાવ્યું છે. તેના ગળામાં 11 વર્ષ પહેલા વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટોટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા કોલર આઈડી લગાવાનો હતો. પરંતુ આઠ વર્ષ પહેલા તે બંધ પડી જવા છતાં તે પટ્ટો દુર કરાયો ન હતો. પરંતુ હાલ કેટલાક સમયથી આ સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી.
જેવી રીતે ગીરના ગૌરવશાળી સાવજોમાં ક્રાંકચ પંથકનાં પા્રઈડની એન્ડ અનોખી ઓળખ છે. તેવી જ રીતે 40 સાવજોના આ પ્રાઈડમાં રાજમાતા સિંહણની અનોખી ઓળખ છે. કારણ કે ક્રાંકચ પંથકમાં સૌપ્રથમ આજ સિંહણ આવી હતી. અને હાલમાં અહી વસતા તમામ સાવજો તેનો જ પરીવાર છે. આસિંહણ 18 વર્ષ કરતા પણ મોટી ઉંમરની છે. અને વર્ષ ર008માં સરકારના આદેશ દ્વારા આ સિંહણનાં ગળામાં રેડીયો કોલર પહેરાવયો હતો.
રેડીયોકોલરના કારણે આ સંસ્થાને તે સિંહણનું મુવમેન્ટની સતત જાણકારી મળતી રહે છે. તથા તેની ફુડપેર્ટન, ટેરેટરી સહીની બાબતોની પણ માહીતી મળતી રહે છે. આ રેડીયો કોલરની કિંમત અંદાજે બે લાખ રૂપિયા જેટલી હોતી હોય છે. પણ આ સિંહણને પહેરાવ્યાના બે વર્ષના જ આ રેડીયોકોલજર બંધ થઈ ગયો હતો. અને આમ છતા તેને દુર કરવામાં આવ્યો નહોતો પણ તાજેતરમાંજઆ સિંહણના ગળામાં રેડીયોકોલર બેલ્ટ જોવા મળતો નથી અને એ બાબતે સ્થાનીક આર.એફ.ઓ. પ્રજાપતિ સાથે વાત થતા તેણે જણાવ્યું હતું કે હાલ રાજમાતા સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી. જે તુટી ગયા હોવાનું મનાય રહયું છે. સ્થાનીક પ્રકૃતિપ્રેમી મનોજ જોષીએ પણ જણાવેલ કે હાલ થોડા સમયથી આ સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી. સાથો સાથ એમ પણ જણાવેલ કે આ સિંહણની ઉમર હાલમાં ધણી વધુ હોય તો સ્થાનીક વનવિભાગે તેની વિશેષ કાળજી લેવી જોઈએ.
સામાન્ય રીતે રેવન્યું વિસ્તારોમાં સાવજો નજરે પડી જાય તો લોકોના ટોળા એકઠા થઈ જાય છે. જો કે રેડીયો કોલર સિંહણની એટલી ઘાક હતી કે લોકો રેડીયો કોલર સિંહણને જુએ તો સિંહદર્શન કરવાનું માંડી વાળતા.