કોરોનાના અત્યાર સુધીમાં 44 કેસ પોઝિટિવ, 3ના મોત, ઘરમાં દૂર રહો – મુખ્ય પ્રધાન

કોરોનાની અપડેટેડ વિગતો માટે http://gujcovid19.gujarat.gov.in ડેશબોર્ડ કાર્યરત

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે રાજયમાં નોવેલ કોરોનાના અત્યાર સુધીમાં કુલ 44 કેસ પોઝિટિવ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ-3 નાગરિકોના નિધન થયાં છે. સુરત, એક અમદાવાદ અને એક ભાવનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે.

અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયુ છે તે ૮૫ વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે તેમને માનસિક બિમારી સાથે અન્ય લક્ષણો હતા. જયારે ભાવનગર ખાતે ૭૦ વર્ષના એક પુરુષનું નિધન થયુ છે જેઓ ડાયાબિટિસ, કેન્સર, બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવી બિમારીથી અગાઉથી જ પીડાતા હતા  આ મૃતકોની પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે.

43 હજાર લોકોને અલગ તારવવામાં આવ્યા છે. ઘરની અંદર સ્વજનોથી દૂર ભાગવાની સલાહ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપી છે.

રાજયમાં અત્યાર સુધીમાં જે કેસ પોઝિટિવ નોંધાયા છે તેમાં અમદાવાદમાં ૧૫, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૪, વડોદરામાં ૦૮, ગાંધીનગરમાં ૦૭, ભાવનગરમાં ૦૧ અને કચ્છમાં ૦૧ મળી કુલ-૪૩ કેસ નોંધાયા છે. રાજ્યના નાગરિકોને તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જણાય તો ૧૦૪ અને ૧૦૮ની આરોગ્યલક્ષી હેલપલાઈન સેવાનો વધુને વધુ ઉપયોગ કરવા પણ ભારપૂર્વક અનુરોધ
કરાયો છે.
http://gujcovid19.gujarat.gov.in ડેશબોર્ડ પર દિવસમાં બે વાર કોરોના અંગેની અદ્યતન વિગતો અપડેટ કરવામાં આવશે.