અમદાવાદના 16 હજાર લોકો એકથી બીજા ગામ ગયા, 67 હજાર લોકો રીંગ રોડ પર ફર્યા

ગામડાઓમાં “ગ્રામ યોધ્ધા કમિટી“ ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે. ૪૬૦ ગામોમાં આવા ૧૬,૦૩૩ લોકોની અવર-જવરની નોંધણી કરાઈ છે.

જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ ઉપર આઠ ચેકપોસ્ટ બનાવેલ છે. અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા માર્ગો પરની આ આઠ ચેક પોસ્ટ પર અત્યાર સુધી ૬૭,૦૧૨ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે.

સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધરાવાત્ત કે શંકાસ્પદ જણાતા ૨૪ જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં સ્ક્રીનીંગ કરાયેલી ૭,૩૨૪ પૈકી એક પણ વ્યક્તિમાં આવા કોઈ પણ સામાન્ય તાવ-શરદીના લક્ષણ જણાયા નથી.

જિલ્લામાં આજે ૧૯૯ સેમ્પલ લેવાયા છે તે પૈકી ૧૯૭ નેગેટીવ અને ૨ કેસ પોઝીટી જણાયા છે. આ સાથે અત્યાર સુધીમાં લેવાયેલા કુલ ૭૬૨ સેમ્પલ પૈકી ૭૪૪ નેગેટીવ અને ૧૮ કેસ પોઝીટીવ જણાયા છે. તે પૈકી ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે અને ૫ દર્દીઓ રીકવર થયા છે.
અમદાવાદ જિલ્લામાં મેગા સર્વે હાથ ધરાયો છે, જો કે જિલ્લા માટે રાહતના સમાચાર એ છે કે,  એક દીમાં પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી અને એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે જિલ્લામાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ નથી તેની પાછળ તંત્ર દ્વારા સતત સર્વે- ફ્યુમિગેશન- સેનીટાઈઝન- આયુર્વેદિક ઉકાળા વિતરણ જેવા પગલાને પરિણામે આવી સુખદ પરિસ્થિતિ નિર્માણ પામી છે.

અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ ૧,૩૦૩ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા. તે પૈકી ૬૭૩ વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ૬૩૦ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે.

કોવીડ-૧૯ પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની વિગત જોઈએ તો ફેમીલી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવી ૫૮ વ્યક્તિઓ, કોમ્યુનિટી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા ૧૭૦ અને હોસ્પિટલ કેર કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા ૩૯ મળી કુલ ૨૬૭ લોકો છે. જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધુ ૧૧, સાણંદ તાલુકામાં ૩, તથા બાવળા, વિરમગામ, ધંધુકા અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ ૧૬ લોકો પોઝીટીવ લક્ષણો ધરાવે છે. જો કે જિલ્લામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.