સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો, મંદી દૂર કરવામાં રૂપાણી બેફિકર

Another jewel artist committed suicide in Surat, Rupani busy with US pez

21 ફેબ્રુઆરી 2020

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના કિલ્લામાંથી એક યુવકની લાશની તપાસ કરતા તેની પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટમાં યુવકે આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. સુરતના હીરા ઉદ્યોગના હજુ પણ મંદીની અસર જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કર્મચારીઓની હાલત કફોડી થઇ જાય છે. મંદીના કારણે ઘણા રત્ન કલાકારોએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સુરતમાં કારમી મંદી ચાલી રહી છે પણ ભાજપના મુખ્ય પ્રદાન વિજય રૂપાણી ઉત્સવો કરવામાં, ઉગધાટનો કરવામાં અને અમેરિકાના પ્રમુખના સ્વાગત માટે ગાંધીનગરમાં બેઠકો કરીને સમય આપી રહ્યાં છે. પણ ગુજરાતમાં મંદી દૂર કરવા એક પણ પગલું તેમણે લીધું ન હોવાથી લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. રૂપાણી સંવેદનહીન બનીને વર્તી રહ્યાં હોવાનું લોકો માની રહ્યાં છે. તેથી હવે રૂપાણી પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે.

રિપોર્ટ અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટીમાં આવેલા શેત્રુજે એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ વરિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક સંકડામણના કારણે તણાવમાં રહેતા હતા. આર્થિક સંકડામણમાં આવીને તેમને કતારગામમાં આવેલા જૂના કિલ્લામાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સુરેશભાઈએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઈડ નોટ લખી હતી. સુરેશભાઈના આપઘાતની જાણ કતારગામ પોલીસને થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ શરૂ કરી હતી.

પોલીસને ઘટના સ્થળ પરથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં સુરેશભાઈએ આપઘાત કરવા પાછળનું કારણ આર્થિક સંકડામણ હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરીને સુરેશભાઈના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, એક તરફ મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ ડાયમંડ ઉદ્યોગમાં મંદી હોવાના કારણે એક દિવસનું 1000 રૂપિયાનું કામ કરતા કર્મચારીને માંડ-માંડ 400થી 500 રૂપિયાનું કામ થઈ રહ્યું છે.