Admin
મજૂરોની હિજરત કરાવી અને હવે સમિતિ બનાવી તેની ચર્ચા કરાશે
ગાંધીનગર, 14 મે 2020
કોરોના વાયરસ - કોવિડ-19ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે ગુજરાતે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.
મજૂરો અંગે ભલામણ
ગુજરાત સરકારે કહ્યું છે કે, સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્...
ગુજરાતની કુલ આવકના 70 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે, પણ પૈસા ક્યાં છે ?
ગાંધીનગર, 14 મે 2020
1 લાખ કરોડ ગુજરાતના ભાગે આવી શકે છે. દરેક વ્યક્તિને રૂ.15500 મળી શકે છે. આ અંગે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે. કારણ કે કોરોનાના કારણે ઉદ્યોગો ભાંગી પડ્યા છે, કચેરીઓ ચાલતી નથી અને રોજગાર રહ્યાં નથી તથા 20 લાખ મજૂરો ગુજરાત છોડીને જતાં રહ્યાં હોવાથી ઉદ્યોગો ચાલી શકે તેમ નથી. તેથી ગુજરાત સરકારની આવકમાં રૂ.20થી 40 હજાર કરોડનો ફ...
કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન
Date: 13.5.2020
પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરી; પ્રધાનમંત્રીએ રૂ. 20 લાખ કરોડનું વિસ્તૃત પેકેજ આપવાનું એલાન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રોગચાળા સામેની લડતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઊભી થયેલી કટોકટી અણધારી છે, પણ આ લડાઈમાં આપણે ...
કેમેરા માટે ડ્રોન પછી હવે હાઈડ્રોજન ગેસના બલૂનનો ઉપયોગ કરાશે
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે,
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારોમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. આ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ વધારાશે તથા હાઈડ્રોજન ગેસના બલૂનનો પણ ઉપયોગ કરાશે. જે નિયત ઊંચાઈ પર રહેશે. જેમાં એક પી.ટી.ઝેડ કેમેરા અને બે થી ત્રણ સ્થિર કેમે...
ગુજરાતના 2 લાખ બાળકો કેમ કવિ, લેખક અને ચિત્રકાર બનવા માંગે છે ?
રાજ્ય સરકાર દ્વારા તા.૧લી મે ૨૦૨૦ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરત...
ભારત જેવો પાડોસી ક્યાંય મળે? માલદીવ્સને 600 ટન અન્ન આપ્યું
ભારતીય નૌકાદળનું વહાણ, કેસરી 'મિશન સાગર' અભિયાનના ભાગરૂપે 12 મે 2020 ના રોજ માલદીવના પુરૂષ બંદર પર પહોંચ્યું. ભારત સરકાર તેના મૈત્રીપૂર્ણ દેશોને સહાય પૂરી પાડી રહી છે અને આ સંદર્ભમાં આઈએનએસ કેસરીએ માલદીવના લોકો માટે 580 ટન ખાદ્ય પદાર્થ લીધા છે. આ પ્રદેશમાં કોવિડ -19 રોગચાળા અને સામાજિક અંતરના ધોરણોને ધ્યાનમાં રાખીને, ખાદ્ય પદાર્થોનો હવાલો 12 મે, 20...
પત્રકાર ધવલ પટેલને મુક્ત કરવા રાજ્ય ભરમાં દેખાવો ને રેલી, રૂપાણીને આવે...
રાજકોટ, 13 જૂન 2020
પત્રકાર ધવલ પટેલ ના સમર્થનમાં જુનાગઢ સહિત ગુજરાતભરનાં પત્રકારો આવી ગયા છે. ધવલ પટેલને છોડી મૂકવા વિવિધ જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર અપાયા છે. રાજદ્રોહ સહિતની તમામ કલમો રદ્દ કરી છોડી મૂકવા આહવાન કરાયું છે. જો સરકાર નહિ છોડે તો પત્રકારો આંદોલન કરશે.
દરેક મીડીયા માધ્યમના માલીકો ને પણ સરકાર ઉપર દબાણ લાવવા અપીલ કરાઈ. મેડિકલ, ...
ભાજપના મનસુખ વસાવાએ રૂપાણી સરકારના ભ્રષ્ટાચાર ખૂલ્લા પાડતાં, ભૂકંપ, શુ...
ભરૂચ : ભાજપના સાંસદ મનુસુખ વસાવાએ ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખીને સરકારી અધિકારીઓ કોરોનામાં ભારે ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાનો સણસણતો આરોપ મૂકતાં ભાજપ મુખ્ય પ્રદાન બદલવાની વાતને ફરી એક વખત જોરથી ધક્કો લાગ્યો છે. મનસુખ માંડવીયાના મુદ્દા બાદ મુસુખ વસાવાએ રૂપાણી સરકારને ભીંસમાં લીધી છે. તાળાબંધીમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળ્યું છ...
નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે કોરોવાઇલ ટેબલે...
સુરત, 13 મે 2020
નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં "કોરોવાઇલ ટેબલેટ" બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે.
કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિ...
ભાવનગરના નર્સ કિન્નરી ગામીતનો હુંકાર, જીવ જાય તો ભલે જાય
ભાવનગર, 12 મે 2020
કોરોના મહામારીને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ નર્સોનો ફાળો પણ ખૂબ મહત્વનો છે. ભાવનગરના નર્સિંગ કોરોના વોરિયર્સ કિન્નરી ગામીત જણાવે છે કે હું સુરતની વતની છું અને છેલ્લા ૩ વર્ષથી ભાવનગરની સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. હું પણ કોરોના સામેની જંગમાં એક યોદ્ધા છું. આ મહામારીના સમયમાં મારો પરિવાર મારાથી દૂર છે ત્યા...
સુરતમાં સિટીલિંક બસને કોવિડ-19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં ફેરવી
સુરત, 13 મે 2020
સુરતના કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી છે. આ મુશ્કેલીના નિવારણ માટે SMC દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સિટીલિંક બસને ‘કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં રૂપાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જનતાને પ્રાઇવેટ લેબ કે ...
વિદેશીઓને વોલ્વો બસ, ગુજરાતના મજૂરોને ખાવાનું પણ ન અપાયું
અમદાવાદ, 13 મે 2020
અન્ય દેશોમાં ગુજરાતના અટવાયેલા મનિલાથી 137 અને યુ.એસ.એ થી 107 મળી કુલ 244 વિધાર્થીઓ અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ 12 મે 2020એ આવી પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓને એરપોર્ટ પર જ હેલ્થ ચેક-અપ કરી તેમના પસંદગીના સ્થળોએ લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે માટે ખાસ વોલ્વો બસની સુવિધા કરાઈ હતી. તેમના રહેવા-જમવાની ત...
રોગ પ્રતિકાર શક્તિ વધારતી આયુર્વેદિક દવા લોકોને ન મળી, બીજી 7 ટન વિમાન...
ગાંધીનગર, 13 મે 2020
રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા રોગપ્રતિરોધક ઊકાળાના 1.79 કરોડ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. સંશમની વટી 13.30 લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-30 પોટેન્સિનો 1.5 કરોડ લોકોને મળી ગઈ છે. જોકે, મોટાભાગે તો સરકારી તંત્રના અધિકારીઓને દવા આપી દેવામાં આવી છે. પ્રજા સુધી આ દવા પહોંચી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયુર્વેદ ઊ...
14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ચાલુ કરી દેવાશે, સુરતમાં કેમ નહીં ?
ગુરૂવાર તા. ૧૪મી મે-ર૦ર૦થી રાજકોટ મહાનગરમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે એવો નિર્ણય કર્યો છે.
મજૂરો તો બધા બહાર ધકેલી દેવાયા છે. 30 ટકા ઉદ્યોગો માં...
તાળાબંધી છતાં પણ ગુજરાતમાં 4.66 લાખ ફોન વધીને 6.79 કરોડ થયા, વોડાફોન ટ...
અમદાવાદ, 13 મે 2020
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શનનાં લેટેસ્ટ આંકડા મુજબ, ગુજરાતમાં મોબાઇલ યુઝરની સંખ્યામાં જાન્યુઆરી, 2020માં 4.66 લાખનો વધારો થયો હતો. આ મહિનામાં જિયોના સબસ્ક્રાઇબરની સંખ્યામાં 4.93 લાખનો વધારો થયો હતો. હકીકતમાં વોડાફોન આઇડિયાએ ગુમાવેલા લગભગ તમામ ગ્રાહકો જિયોને મળ્યા છે. આ રીતે ...
ગુજરાતી
English