કપાસમાં સારા ભાવ મળવા પાછળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું આયોજન છે, કોંગ્રેસની સરકારમાં ખેડૂતના હિત અંગે કોઇ યોજનાઓ બની નથી. કોંગ્રેસની સરકારે ખેડૂતોની ચિંતા ક્યારેય કરી જ નથી
25 માર્ચ 2022
સી.આર.પાટીલે જૂનાગઢમાં જણાવ્યું કે, આખા રાજયમાં 360 જેટલી સહકારી સંસ્થાઓ છે જેમાં સુગર ફેકટકી, ડેરીઓ, કો-ઓપરેટીવ બેંક, એ.પી.એમ.સી માર્કેટ, ખેતી બેંક આવી તમામ સહકારી સંસ્થાઓમાંથી 302 જેટલી સંસ્થાઓમાં ભાજપના કાર્યકરો જવાબદારી સંભાળે છે. પહેલાના સમયમાં ખાડે ગયેલી કેટલીય સહકારી સંસ્થાઓને ભાજપના આગેવાનોએ જવાબદારી મળતાની સાથે આજે ફરી મજબૂત કરી છે અને આજે પણ પ્રજાના હિત માટે કામ કરી રહી છે.
કપાસમાં સારા ભાવ મળવા પાછળ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોની આવક વઘે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા. ખેડૂતો પોતાના બાળકોને સારુ શિક્ષણ આપી શકે તે માટે પ્રયત્નો કર્યા, ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવ્યા છે.
ખેડૂતોને 3 લાખ રૂપિયા 0 ટકા વ્યાજદરે મળે છે. કોંગ્રેસની સરકારમાં ખેડૂતના હિત અંગે કોઇ યોજનાઓ બની નથી. કોંગ્રેસની સરકારે ખેડૂતોની ચિંતા ક્યારેય કરી જ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોની ચિંતા કરી અને વર્ષ દરમિયાન ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાય તેમના ખાતામાં સીધા જમા કરાવ્યા.
ખેડૂત એ જગતનો તાત કહેવાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતો માટે “કૃષિરથ” થકી ગામે ગામ વૈજ્ઞાનિકો સાથે રાખી સંમેલન કરાવ્યા, જેથી ખેડુતોને ખેતીમાં વધુ જાણકારી મળે, સારો પાક કરી શકે અને ખેડૂતોની આવક વઘી શકે તે દિશામાં પ્રયાસ કર્યા. ખેતીમાં કપાસમાં હવે સારો ભાવ મળતો થયો છે.
24 ફેબ્રુઆરી 2022 ના રોજ જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર કાર્યક્રમ તથા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમને સંબોધતા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, આપણે 182 વિઘાનસભા બેઠકો જીતવી, તો આપણે સૌ સાથે મળી જૂનાગઢ અને ગીર સોમનાથની સાતેય વિઘાનસભા જીતીએ તે વિશ્વાસ સાથે આગળ વધીએ તેમ જણાવ્યું હતું.