ધમણની ધમાલ – 2
ગાંધીનગર, 21 મે 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને બચાવમાં આખી ભાજપ સરકાર આવી ગઈ છે. જો તેમ કરે તો જ રૂપાણી બચી શકે તેમ છે. તેથી બચાવ માટે પડદા પાછળ રહીને રૂપાણી કામ કરી રહ્યાં છે. તેઓ પોતાની હાથ નીચેના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બચાવ માટે મેદાને ઉતાર્યા છે પણ રૂપાણી પોતે જાહેરમાં આવવાની હિંમત કરી શક્યા નથી.
વિજય રૂપાણી પર મિત્રની કંપની જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ નું માર્કેટિંગ કરવાનો અને સ્ટંટ કરવાનો આરોપ છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ધમણ-1 વેન્ટિલેટર્સ અંગે આક્ષેપો કરીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે નિંદનીય છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની કંપની પાસેથી મિત્રતા નિભાવવા માટે ધમણ-1 વેન્ટિલેટર્સ લીધી હતા. એ વાત તદ્દન પાયાવિહોણી છે. આ કંપનીએ પ્રથમ દિવસે જ કહ્યું છે કે અમે 1000 વેન્ટિલેટર્સ ગુજરાત સરકારને વિનામૂલ્યે ભેટ આપવાના છીએ. કોઈપણ વ્યક્તિ ભેટ આપે એમાં કૌભાંડ ક્યાંથી થાય ?
રાજ્યમાં હજારો કંપનીઓ વસ્તુ ઉત્પાદિત કરે છે. તેને નેતા સાથે ગોઠવીને બદનામ કરવાનો પ્રયાસ છે, તે દુઃખદ છે. જોકે નીતિન પટેલે એવું ન કહ્યું કે વિજય રૂપાણી અને તેઓ પોતે આ ધમણ વેન્ટીલેટર જોવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ શા માટે દોડી ગયા હતા. સરકારે સતત 2 દિવસ સુધી આ કંપનીને પ્રસિદ્ધિ અપાવી હતી. માહિતી ખાતાનો ભરપૂર દૂર ઉપયોગ કરાયો હતો.
રાજકોટની આ કંપનીએ માનવ સેવાનું આ ઉમદા કામ કરીને વિનામૂલ્યે ભેટ આપી છે. એવું સરકારે કહ્યું છે પણ કોઈ ભેટ આપે તે દર્દીના જોખમે લઈ લેવા અંગે પટેલે કંઈ કહ્યું નથી. ખાનગી કંપનીએ માત્ર 10 દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા. તો પછી તેમાં ખામી તો રહેવાની જ. તમામ પર્ફૉર્મન્સ-ટેસ્ટ પૂર્ણ કર્યા હતા અને કુત્રિમ ફેફસાં પર ધમણે 8 કલાક સુધી પરીક્ષણ કર્યું હતું.