Wednesday, August 5, 2026

અસારવા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં ફરી બીભત્સ વીડિયો મુકાયા

અમદાવાદઃતા:08 ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. અસારવા ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના શખ્સ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે. અશોક કનોજ...

બોડકદેવની કેક શોપમાંથી તસ્કરો 12 હજારની ચોરી કરી ફરાર

અમદાવાદ, તા. 8.  શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક કેક શોપના શટરનું તાળું તોડીને તસ્કરો રૂ. 12 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શોપ માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર દોલતરામ ભૂરાની બોડકદેવ વિસ્તારમાં જૈન ડેરીની બ...

અમદાવાદ શહેરમાં નવા પાંચ વોર્ડ વધશે કોર્પોરેટરની સંખ્યા ૨૧૦ને પાર પહોં...

અમદાવાદ,તા.૭ ઓકટોબર-૨૦૨૦માં અમદાવાદ મહાનગરપાલિકાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ અમદાવાદ શહેરનુ સીમાંકન કરી નવા વિસ્તારો ભેળવવાની ચાલી રહેલી કવાયતમાં હાલ અમદાવાદના ૪૮ વોર્ડ છે એમાં વધુ ચારથી પાંચ વોર્ડનો વધારો થવાની સંભાવના છે.શહેરની હદમાં વધુ સો ચોરસ કીલોમીટરનો વધારો થશે જયારે વસ્તીમાં બાર લાખનો વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. અમદાવાદ શ...

જમીન ખાલી કરવા મુદ્દે ધમકીઓ આપી યુવાનને માર માર્યો

અમદાવાદ, તા. 8. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં લાકડાંનું પીઠું ધરાવતા યુવાનને બે અજાણ્યા શખ્સે આવીને માર માર્યો હતો. તેમજ આ જગ્યા ખાલી કરી નાખજે નહિ તો, જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ અંગે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ લાઇન...

રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપા...

અમદાવાદ,તા:૦૭ શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...

ભારતીય ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેમ ન હોવાથી RCEPમાંથી ભારત ખસી ગયું

અમદાવાદ,ગુરૂવાર ભારતના ઉદ્યોગો ના 16 દેશોમાંથી 11 દેશો સામે સ્પર્ધામાં ટકી શકે તેવી ક્ષમતા ન ધરાવતો હોવાથી ભારતે છેલ્લી ઘડીએ તેમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ભારતમાંથી નિકાસ થવાની સંભાવના કરતાં ભારતમાં આયાત વધી જાય તેવી સંભાવના વધારે હતી. વિશ્વના સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત આજે 68માં ક્રમે છે. આ સંજોગોમાં ચોક્કસ નિર્ણય પર આવી જવા ...

જમતાં પહેલાં હોટલના રસોડાની લટાર મારવાનો ગ્રાહકનો અધિકાર

અમદાવાદ, તા. 7 રૂપાણી સરકારે હોટલમાં જમવા માટે જતા ગ્રાહકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો તેનો ખુબ જ આનંદ છે અને એનો પણ સંતોષ છે કે સોશિયલ મીડિયાની તાકાતને કારણે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આનંદનગરની હોકો ઈટરીના આઉટલેટમાં કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી. હોક્કો ઈટરીની ચણા પૂરીની ઘટના પહેલા હેવમોર અને હવ હોકો ઈટરીના નવા નામે ઓળખાતી...

‘મહા’ વાવાઝોડાની સંભવિત અસર સામે અમપાનું તંત્ર હાઈએલર્ટ પર

અમદાવાદ,તા.૬ રાજ્ય માથે ઝળુંબી રહેલા મહા વાવાઝોડાને લઈ અમદાવાદ શહેરમાં ગંભીર અસર પહોંચવાની શક્યતા નથી, છતાં શહેરમાં બુધવારે મોડીરાતથી ગુરુવારે પણ ભારે વેગીલા પવનને સાથે વરસાદ પડવાની સંભાવનાને પગલે અમપા દ્વારા સમગ્ર તંત્રને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યુ છે. અમદાવાદના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ઊભી થનારી સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર દ્વારા બાવન જેટ...

ભળતા મેઈલ એડ્રેસ પરથી મેસેજ કરીને 25300 ડોલરની છેતરપિંડી કરાઈ

અમદાવાદ, તા. 6. શહેરના વેપારીએ ચાઈનાથી દવાનો કાચો માલ મગાવ્યો હતો. જે અંગે ચાઈનાની કંપનીના ભળતા મેઈલ એડ્રેસ પરથી કોઈએ મેસેજ કરીને પેમેન્ટ મગાવ્યું હતું. જે અંગે વેપારીએ જમા કરાવેલા 31,600 ડોલરમાંથી 25300 ડોલરની રકમ ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વસ્ત્રાલ રોડ ઉપર મહાદેવનગરમાં રહેતા નરેશકુમાર રાણાજી ક...

ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સામે 1.16 કરોડની છેતરપ...

અમદાવાદ, તા. 6 ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સમાજ દ્વારા સંગઠનના મુખપત્રના આજીવન લવાજમ નામે તેમજ વિશેષ અંકના દાતા પેટે શુભેચ્છકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ મુખપત્રને બંધ કરીને તેનો હિસાબ ન આપી રૂ. 1.16 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કૃષ્ણનગર ખાતે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા...

રાજસ્થાન ફરવા ગયેલા ગાંધીનગરના ત્રણ યુવકનાં ડૂબી જતાં મોત

અમદાવાદ ,06 ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રહેતા એક પરિવારના ત્રણ યુવકો રાજસ્થાનના કુંભલગઢ ફરવા ગયા હતા. રાજસ્થાનના રાજસમંદમાં આવેલા ઓડા તળાવમાં કાર ખાબકતાં કારમાં સવાર ત્રણેય યુવક ડૂબી ગયા હતા. આ ઘટના અંગે અમદાવાદ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે મળીને તેમની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બે યુવકના મૃતદેહ મળ્યા છે, જ્યારે એકની તપાસ ચાલી રહી છે. આ અંગે પ્ર...

શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓની વચ્ચે પંખો તૂટી પડતા બે ને ઈજા પહોંચી

અમદાવાદ, તા.૦૬ શહેરના ઉત્તરઝોનમાં અમપા સંચાલિત શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારીના કારણે શિલિંગ ઉપર લગાવેલો પંખો તુટી પડતા બે લોકોને સામાન્ય ઈજા થવા પામતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટના અંગે મળતી માહીતી મુજબ, શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં બુધવારે બપોરના સુમારે ફીમેલ વોર્ડના દર્દીઓ સાથે તેમના સંબંધીઓ ...

ગુજરાત યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં ગેરરીતિ કરનારા પ્રોફેસરને બ્લેકલીસ્...

અમદાવાદ, તા.૦૬ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગુજરાત કોલેજના પ્રોફેસર આર.કે. શાહએ આચરેલી ગેરરીતિઓની તપાસ માટે રચાયેલી કમિટીએ આપેલા અહેવાલના આધારે તમામ ગેરરીતિઓ પુરવાર થતાં તેમને પરીક્ષાની કામગીરીમાંથી કાયમી ધોરણે બાકાત રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ભવિષ્યમાં નાણાંકીય કામકાજ હોય તેવી કોઇ જવાબદારી આ પ્રોફેસરને યુનિવર્સિટીએ ન સોંપવી અને સરકારે ...

ગાંધીનગરના યુવાન સહિત બે વ્યક્તિ સાથે રૂ. 2.60 લાખની ઠગાઇ કરી

અમદાવાદ, તા.૦૬ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી અલ-રશિદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીની સંચાલિકા સામે વિદેશ મોકલવાના બહાને રૂ. 2.60 લાખની છેતરપિંડી કર્યા અંગેની વધુ એક ફરિયાદ નોંધાવાઇ છે. ગાંધીનગરના યુવક અને એક મહિલાને દુબઈ મોકલવાના બહાને રૂપિયા મેળવી ઠગાઇ કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના સેકટર 3-ડી,માં રહેતા રજનીકુમાર કાંતિલાલ પટેલે ...

ખોખરામાં મકાન વેચવાના મુદ્દે પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો

અમદાવાદ, તા.6 . શહેરના ખોખરા વિસ્તારમાં મકાન વેચવાની તકરારમાં પુત્રએ 83 વર્ષના પિતાને માર માર્યો હતો. આ અંગે પિતાએ ખોખરા પોલીસ મથકમાં પુત્ર સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જો કે, પિતાને માર માર્યા બાદ પુત્ર પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસે ફરાર પુત્રની તપાસ શરૂ કરી છે. ખોખરા ખાતે 83 વર્ષિય હિંમતલાલ ભવાનભાઇ મિસ્ત્રી પોતાના દિકરા અને...