Wednesday, August 5, 2026

એક અમદાવાદીએ વડોદરાના મશહૂર જગદીશ ફરસાણને એક લાખનો દંડ કરાવ્યો

અમદાવાદ, તા.15 વડોદરાના મશહૂર જગદીશ ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ને પેકેજ કોમોડિટી એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ  તોલમાપ ખાતાએ એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.   દિવાળીના તહેવારો માં લોકો મિઠાઈ અને ફરસાણની જબરજસ્ત ખરીદી કરતાં હોઈ ઘણાં ફરસાણવાળા ગ્રાહકોને છેતરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નહેરુનગર...

હું કોંગ્રેસનો રાજા હતો, ધારું તેને આખા દેશમાં ટિકીટ અપાવી શકતો, હું ક...

અમદાવાદ, તા.૧૫ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. સોમવારે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે...

બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અને ફોગ...

અમદાવાદ, તા.15 અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે.  તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી. શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ...

ગુજરાતના ડેરી, કેમિકલ અને ટેક્સટાઈલ ઉદ્યોગનો આરઈસીપી એગ્રીમેન્ટ સામે વ...

અમદાવાદ,તા.15 રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવલ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરવામાં આવે અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માત્ર તેના 5થી 10 ટકા ડેરી ઉત્પાદનો ભારતના બજારમાં ઠાલવવાનું શરૂ કરી દે તો સમગ્ર ભારતના દૂધ ઉદ્યોગને માઠી અસર પહોંચી શકે તેમ છે. હા, તેની સીધી અસર હેઠળ દૂધની અને દૂધની બનાવટોની ક્વોલિટીમાં કદાચ સુધારો જોવા મળી શકે છે. દૂધ અને ડેરી ઉપરાં...

નરોડા વોર્ડના મહામંત્રીએ 70થી વધુ અશ્લિલ વીડિયો વ્હોટ્સ એપ ગ્રૂપમાં પો...

અમદાવાદ, તા. 15 એક બાજુ વિધાનસભાની અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ભાજપના જ નરોડા વોર્ડના મહામંત્રીએ ભાજપના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પ્રકારની હરકત બાદ શહેર ભાજપ કે પ્રદેશ ભાજપ આ નેતા સામે કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું. નરોડા વોર્ડના મહામંત્રીની હરકત ...

પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી

ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...

ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે શરુ કરેલા ત્રિનેત્ર પ્રોજેકટમાં ખુદ પોલી...

અમદાવાદ,તા.14 ગુનાખોરી અને લૂંટ ચોરીની ઘટના પર બાજ રાખવા માટે પોલીસ વિભાગે અનેક નવા પ્રોજેકટ શરુ કર્યા છે. જેના એક ભાગરુપે  શહેરની 100થી વધુ ખાનગી સોસાયટીઓમાં  ત્રિનેત્ર પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે.  જો કે ચોર-લૂંટારા અને અપરાધીઓને નાથવા શરુ કરવામાં આવેલ ત્રિનેત્ર પ્રોજેકટથી પોલીસ, તંત્રની નિતી સામે જ આંગળીઓ ચિંધાઈ રહી છે. શું છે ત્રિને...

બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ

અમદાવાદ, તા. 15. શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...

અધિકારીઓએ ફોન તો ઉપાડવા જ પડશે, કોઈ બહાનાબાજી નહીં ચાલે મેયર બિજલ પટેલ...

અમદાવાદ,તા.૧૪ અમપાના ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન ગૌતમ પટેલ દ્વારા પુર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર મુકેશ પટેલને કરવામાં આવેલ ફોન ન ઉપાડવામાં આવતા તંત્ર અને શાસકપક્ષ વચ્ચે હવે યુધ્ધ છેડાઈ ગયુ છે. આ મામલે ટીપી ચેરમેન ગૌતમ પટેલે મ્યુનિસિપલ કમિશનરના નામે લખેલો પત્ર વહેતો થયો હતો. આ પત્રમાં તેમણે સાત દિવસમાં અધિકારીનો જવાબ લેવા કહ્યુ હતું. જો આમ નહી...

મંદિરો તોડવા સામે અમપા સામે બજરંગદળ આકરા પાણીએ

અમદાવાદ,તા.૧૪ શહેરના સુભાષબ્રિજ પાસે રસ્તા માટે ત્રણ દિવસ રાતના બે વાગે અમપા દ્વારા તોડી પાડવામાં આવેલા મંદિર મામલે બજરંદળ હવે આકરા પાણીએ છે.અમપાના મેયર બિજલ પટેલને આપવામાં આવેલા લેખિત આવેદનપત્રમાં મંદિર તોડવા મામલે ઉગ્ર પ્રતિક્રીયા સાથે મેયરને કહેવાયુ,મંદિરો વિકાસના નામે તોડાય છે તો રસ્તા પરની કબરો તંત્રના અધિકારીઓને કેમ દેખાતી નથી.જા હવે પછી પણ ...

૧૨૩૬ એકમોની તપાસ કરાઈ પણ અમપાના સંકુલો કે મેટ્રોના સ્થળોએ બ્રિડીંગ મળવ...

અમદાવાદ,તા.૧૪ અમપા હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ચાલતી મોસ્કીટો બ્રિડીંગની સામેની કાર્યવાહીમાં સોમવારે ફરી એક નાટક ભજવાયુ.અમપાના સંકુલોમાં મચ્છરોના પોરા મળવા છતાં કોઈ દંડનીય કાર્યવાહી કરાઈ નથી.કુલ મળીને શહેરમાં ૧૨૩૬ એકમો જેમાં મોલ,મલ્ટીપ્લેકસ, અમપાના પ્રિમાઈસીસ અને ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે તેમાં તપાસ કરી ૧૮૪ એકમોને નોટિસ આપી ૪૦ એકમો ...

ડીએચએફએલ 36,000 કરોડની લોનબુક વેચશે, જેથી શેરમાં પાંચ ટકાનો ઉછાળો

અમદાવાદ,તા:14 સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમા બેતરફી વધઘટે તેજી થઈ હતી. ભારે ઉતારચઢાવને અંતે શેરોમાં તેજી થઈ હતી. પ્રારંભમાં શેરોમાં વેચવાલી થયા પછી નીચા મથાળેથી નવી લેવાલી થતાં શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થતામાં સેન્સેક્સ અને નિફ્ટી દબાયા હતા. આમ સેન્સેક્સ 87 પોઇન્ટ વધીને 38,214.47ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ...

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ : ૧૨ દિવસમાં ડેન્ગ્યુના ૩૬૦ કેસ નો...

અમદાવાદ, તા.૧૪ શહેરમાં આ વર્ષે ૩૪ ઈંચ વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. શહેરમાં સપ્ટેમ્બર મહીનામાં એડીસ ઈજીપ્તી મચ્છરના કારણે ડેન્ગ્યુના કુલ ૫૨૨ કેસ નોંધાયા હતા. જેની તુલનામાં ઓકટોબર મહીનાના ૧૨ દિવસમાં ૩૬૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરના ૨૧ પોકેટોમાં પાણી કલોર...

નોંધારા બાળકને આ ઘોડીયામાં મુકો!

સમાજજીવનની કડવી સચ્ચાઈ દર્શાવતા આ એલઈડી સાઈનબોર્ડના શબ્દો અમદાવાદ જેવા મહાનગરની ઝાકમઝમાળ પાછળનું કાળુ અંધારુ બતાવી આપે છે. મોડી રાત્રીએ એકાદ વાગ્યાના સુમારે લેવાયેલી  આ તસવીર શહેરના રાયપુર દરવાજા નજીક  મુખ્ય માર્ગ પાસે આવેલા મહીપતરામ રુપરામ આશ્રમની છે. જ્યા એલઇડી સાઈન બોર્ડ દ્વારા નવજાત બાળકને ફેંકી ન દેતા તેને અહીં મુકાયેલા ઘોડિયામાં મૂકી જવાની વિ...

રીક્ષાચાલકોને પડતી મુશ્કેલીઓની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરાશે

અમદાવાદ, તા. 13 અમદાવાદના ઓટોરીક્ષા ચાલકના વિવિધ સંગઠનના અગ્રણીઓ આવતીકાલ 14મી ઓક્ટોબરે તેમના વણઉકલ્યા પ્રશ્નોને લઈને શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘને મળીને રજૂઆત કરશે. સંગઠનોનો આક્ષેપ છે કે, બે લાખ કરતાં વધારે રીક્ષા શહેરમાં હોવા છતાં માત્ર 3200 જ રીક્ષા સ્ટેન્ડ હોવાના કારણે પોલીસ દ્વારા તેમની સામે ખોટી રીતેકનડગત કરવામાં આવે છે એ બાબતે ઉગ્ર રજૂઆત...