Saturday, May 30, 2026

આંગણવાડીના મહિલા અધિકારી અને કર્મચારીના ફોન બંધ આવતા લાલિયાવાડી બહાર આ...

ગાંધીનગર, તા. 11 સરકારી કર્મચારીઓ સામાન્ય રીતે કામચોરી કરતાં હોવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. સરકારી કર્મચારીઓ દ્વારા ચાલુ ફરજે પોતાના કામના સ્થળેથી ગાયબ રહેવું અથવા તો ફોન બંધ રાખવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બહાર આવી છે. પરંતુ જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન એક અધિકારીનો ફોન ફરજના સમયે બંધ આવતા ગુસ્સે ભરાયા હતા એવું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહ...

રાજ્યની તમામ શાળાઓમાં દીકરીઓને આત્મરક્ષણની તાલીમ અપાશે

ગાંધીનગર, તા. 10 સુરક્ષિત દીકરી સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યની દીકરીઓને વધુ સુરક્ષા પુરી પાડવા માટે તથા આત્મરક્ષણ માટેની યુક્તિઓ શીખવવા મહિલા આયોગ દ્વારા ‘કવચ’ કાર્યક્રમનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના દ્વારા દીકરીઓને આત્મરક્ષણની તાલીમ સહિત માર્ગદર્શન આપવાનો ધ્યેય રાજ્ય સરકારનો છે. આજે ગાંધીનગ...

પાટનગરના આંતરિક રસ્તાઓની બિસ્માર હાલત માટે મેયરે પત્ર લખ્યો

ગાંધીનગર, તા. 10 રાજ્યના પાટનગરમાં વરસાદના કારણે ઘણાં સેક્ટરોમાં માર્ગોની હાલત બિસ્માર બની  ગઇ છે. રાજ્યનું પાટનગર હોવાના કારણે શહેરના રસ્તા બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વરસાદના કારણે શહેરના સેક્ટરોના આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે ભાજપના પૂર્વ પ્રધાન આઈ. કે. જાડેજાની માફક ગાંધીનગરના મેયરે માર્ગ અને મકાન વિભાગન...

દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમની આગામી દિવસોમાં સ્થાપના કરાશે

ગાંધીનગર, તા. 10 સરકારે રાજ્યનાં દિવ્યાંગોને આપવામાં આવતી સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર વ્યક્તિ દીઠ ૧૦ હજાર રૂપિયા આપે છે તે સાધન સહાય યોજનાની રકમ દિવાળી બાદ બમણી એટલે કે ૧૦ હજાર રૂપિયાની જગ્યાએ ૨૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દિવ્યાંગ નાણાં અને વિકા...

એક અઠવાડિયા બાદ લર્નિંગ લાઈસન્સ આઈટીઆઈમાંથી જ મળી શકશે

ગાંધીનગર, તા. 10 રાજ્ય સરકારે રાજ્યના શીખાઉ વાહનચાલકોના લાઈસન્સ કઢાવવા માટે આરટીઓના સ્થાને આઈટીઆઈને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની એક તાલીમ સરકારે 11મી ઓક્ટોબરે ગોઠવી છે અને એક અઠવાડિયા સુધી નવી કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી આરટીઓ શીખાઉ લાઈસન્સની કામગીરી કરશે પણ ત્યારબાદ દરેકે આ લાઈસન્સ મેળવવા આઈટીઆઈ જવું પડશે. આ અંગે રાજ્યના ટ્રાન...

વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ અને અટક જિલ્લા શિક્ષણાધિકારી બદલી શકશે

ગાંધીનગર, તા. 09 ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર હવેથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જોગવાઈ મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા બાદ કરાવી શકાતો ન હત...

કેવડિયામાં 11-12 ઓક્ટોબરે રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સ યોજાશે

ગાંધીનગર, તા.૦૯ કેન્દ્રીય ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના કેવડિયામાં ઉર્જા વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જા વિભાગના મંત્રીઓ તેમજ અધિકારીઓ હાજરી આપશે. આ ઉર્જા કોન્ફરન્સનું યજમાનપદ ગુજરાતને મળ્યું છે. 11 અને 12 ઓક્ટોબરે યોજાનારી આ ઉર્જા કોન્ફરન્સને કેન્દ્રીય ઉર્જા મ...

સોમનાથના દર્શન કર્યા બાદ અમદાવાદમાં વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ 22મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત આવવાના છે. અને આ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. ત્યારે રાજ્ય સરકારે તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્...

વિશ્વ બેન્કના ચેરમેન સાથે મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળે 31 ઓક્ટોબરે હાઈપ્રોફાઈલ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ બેન્કના ચેરમેન પણ ઉપસ્થિત રહેવાના છે. એ ઉપરાંત ભારત સરકારના તમામ કેડરના ઓફિસર્સ અને કેબિનેટના મંત્રીઓ પણ કેવડિયામાં આવીને ત્રણ દિવસ રોકાશે. નર્મદા નદી પર રાજ્ય સરકારે બનાવે...

વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?

ગાંધીનગર,તા:૦૭  મુંબઈમાં મેટ્રો માટે વૃક્ષોના નિકંદન પર વિરોધના વંટોળ હજુ ઊભા છે, ત્યાં અમદાવાદમાં પણ બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઈ ગયાં છે. બંને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 હજાર વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી, ઉપરાંત બંને પ્રોજેક્ટ માટે રિ-ટ્રીપ્લાન્ટેશન પણ નિષ્ફળ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઈ ગ...

ગરીબ પરિવારો માટે ગૂંચવાડો ઉભો થયો, વિદેશની જેમ આખા દેશમાં એક જ આરોગ્ય...

­­­­­­­­­­­­ ગાંધીનગર,તા.0૭  ગુજરાતમાં આરોગ્યની સુવિધા આપતી રાજ્ય સરકાર અને કેન્દ્રની યોજનામાં આરોગ્ય ની બાબતોને સમાંતર કરવા માટે    આરોગ્ય વિભાગે તમામ આરોગ્યલક્ષી સેવાઓ માટે લોકોને એક જ કાર્ડ આપવાનું નક્કી કર્યું છે. હાલ આ સુવિધાનો લાભ લેવા માટે ત્રણ કાર્ડ રાખવા પડતા હતા, જો કે નવું કોમન કાર્ડ કઢાવવા માટે લોકોએ રૂપિયા ખર્ચવા પડશે. ગુજરાત...

ગુજરાતમાં એપ્રેન્ટિસ યોજનામાં કૌભાંડની આવતી દુર્ગંધ, મોટું કૌભાંડ ખૂલવ...

ગાંધીનગર,તા:૦૭  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાને રાજ્યભરમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. ખાનગી કંપનીઓ યુવાનોને ટ્રેનિંગ માટે રોકે છે, પરંતુ કોઈપણ પ્રકારનું સ્ટાઈપેન્ડ આપતી નથી અને સરકારી ગ્રાન્ટના રૂપિયા ચાંઉ કરી જાય છે. જો સરકાર આ યોજનામાં તકેદારી નહીં રાખે તો વર્ષના અંતે સૌથી મોટું કૌભાંડ સામે આવી શકે છે. ...

સમાજના ખભે બંદુક મુકીને શેકાતો અલ્પેશનો આર્થિક રોટલો, મિલ્કતોમાં બમણો...

ગાંધીનગર, તા.05 રાધનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પક્ષપલટો કરી ગયેલા અલ્પેશ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સામે આવ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરની મિલકત ડબલ થઇ ગઈ છે. ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે અલ્પેશ ઠાકોરે ઉમેદવા...

રૂપાણીના રાજમાં દર ત્રણ વ્યક્તિએ એક દારૂ પીવે છે, તો ગહેલોતે ખોટું શું...

ગાંધીનગર, તા.૦૭  ગુજરાતમાં દારુબંધી કાયમ રાજકીય મુદ્દો બનતો રહ્યો છે. ગુજરાતમાં રાજસ્થાનથી 80 ટકા દારૂ આવે છે. કસદાર ધંધો કરનારા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરેધરે દારૂ પિવાય છે એવું નિવેદન રાજસ્થાનથી ટ્રકો ભરીને શામળાજી અને અંબાજી નાકા પરથી દારૂ આવે છે તેના આધારે કર્યું હોઈ શકે છે. તેમની વાત ગુજરાતના લોકો દારૂ માટે સાચી છે. ગુજર...

અતિવૃષ્ટિના કારણે સાબરકાંઠામાં 50 ટકાથી વધુ પાક થયો નિષ્ફળ

સાબરકાંઠામાં પડેલા વધુ વરસાદને લઈને મગફળી, કપાસ, મકાઈ અને ડાંગરનાં પાકનો સોથ વળી ગયો છે, જ્યારે કપાસના 40 ટકા પાકને નુકસાન થયું છે. જો કે સરકારે ખેતીવાડી ખાતાને પાકના નુકસાન અંગે સરવૅ કરીને સત્વરે ખેડૂતોને પાક સહાય તથા પાકવીમાનાં નાણાં ચૂકવીને ખેડૂતોની દિવાળી સુધારવી જોઈએ. જમીનમાં પાકીને તૈયાર થયેલી 57 હજાર હેક્ટર મગફળી ફરીથી ઊગી ગઈ છે. કપાસમાં ...