રાધનપુર કોંગ્રેસના માજી જિલ્લા ડેલીગેટના ભાઇની તિક્ષણ હથિયારો વડે હત્ય...
રાધનપુર, તા.13 રાધનપુર તાલુકાના કામલપુર( ધરવડી)માં ખેતરમાં પશુઓના ભેલાણ બાબતે નિરાશ્રિત ઠાકોર અને કાંકરેજ તાલુકાના માનપુર ગામના શખ્સો વચ્ચે માથાકૂટ થતાં ટોળાએ તલવાર ધારિયા લાકડીઓ જેવા હથિયારો વડે ઠાકોરો પર હિચકારો હુમલો કરતાં કોંગ્રેસના માજી જિલ્લા ડેલીગેટના ભાઇનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે સાત વ્યક્તિને ઇજાઓ થઇ હતી. જેમાં એકનો હાથ કપાઈ ગયો...
રાજકોટમાં રોગચાળો વકર્યોઃ તાવ, શરદી , મેલેરીયાના અનેક દર્દીઓથી દવાખાના...
રાજકોટ તા.૧૩ રાજકોટ શહેરમાં આ ચોમાસામાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો હતો. સતત વરસાદી વાતાવરણ બાદ હવે ધીમેધીમે ઉઘાડ નિકળી રહ્યો છે. જોકે વરસાદી પાણીને કારણે અને ગંદકીની સાફ સફાઇમાં તત્પરતા નહીં દાખવી રહેલા મનપાના તંત્ર સામે રાજકોટવાસીઓામા રોષ જોવા મળી રહ્યો છે. મેલેરિયા નાબુદી અભિયાન અને વન-ડે-થ્રી વોર્ડ સફાઇ ઝૂંબેશ ચાલી રહ્યાની જોર-શોરથી...
કોંગ્રેસના અબડાસના ધારાસભ્યના પુત્ર સહીત 22 સામે ટ્રકોમાં તોડફોડની પોલ...
ભુજ, તા.૧૩: કચ્છમાં ટ્રાન્સપોર્ટ માટેના કોન્ટ્રાકટને લઇને કોઇને કોઇ બબાલ અને ઝઘડો થતાં રહે છે. ડેના કારણે રાજકીય વિવાદ સર્જતા વાર નથી લાગતી.હવે આવો જ એક નવો વિવાદ ઉભો થયો છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અબડાસાના ધારાસભ્યના પુત્ર સહિત ૨૨ જેટલા લોકો સામે થયેલી પોલીસ ફરિયાદે ચકચાર સાથે રાજકીય ખળભળાટ સજર્યો છે. આ અંગે આર્ચીયન કંપની વતી રોહિત જોશીએ નખત...
રાજકોટના રસ્તાઓ બન્યાં વાહનચાલકો માટે શિરદર્દઃ અનેક વાહનચાલકો ભોંયભેગા...
રાજકોટ,તા.13 રાજકોટ શહેરમાં ભારે વરસાદ પછી ઠેરઠેર રસ્તાઓ ઉબડખાબડ થઇ ગયાં છે. જાહેર માર્ગો ખાડાખબડાથી એટલા બરબાદ થઇ ચૂક્યા છેકે વાહનચાલકોની પરેશાનીનો પાર નથી. વ્યવહાર માટે ભારે મુશ્કલી પડી રહી છે. રાજકોટના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે માર્ગો કાચા છેકે પાકા તેની ખબર જ પડતી નથી. એટલા પ્રમાણમાં રસ્તા ખખડધમ થઇ ગયાં છે. વરસાદી પાણી અને ગટરના...
મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ભાજપના નેતાઓની પ્લાસ્ટિકની ફે...
ગાંધીનગર, તા.13 ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે...
મેટ્રો નીચેના રોડ, મફત મુસાફરી સાથે કમર, મણકા, સાંધાના દુઃખાવા ફ્રી
અમદાવાદ, તા.૧૩ અમદાવાદ શહેરમાં હાલ મેટ્રો રેલ માટે ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ એલિવેટેડ કોરિડોર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. શહેરના 39 કિલોમીટરના માર્ગનું કામ થઈ રહ્યું છે જેમાં શહેરના 20 કિ.મી.ના માર્ગો ખરાબ છે. કોન્ટ્રાક્ટરોને અમપાએ વારંવાર નોટિસ આપી હોવા છતાં લોકો માટે કંઈ થતું નથી. એ તમામ વિસ્તારોના એપ્રોચ રસ્તાઓ એટલી હદે ખરાબ બની ચુકયા છે...
ભાજપાના ટોચના હોદ્દેદારો અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને છાવરી રહ...
અમદાવાદ,તા.૧૨ અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસમાં આગના ચાર મોટા બનાવો બન્યા છે. જેમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.૨૦૦થી વધુ લોકોને રેસ્કયુ કરાયા છે.શહેરમાં બનેલા આગના બનાવો અને ટયુશન કલાસીસમાં ફાયર એનઓસી મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવેલી શો-કોઝ નોટીસ સામે આજદીન સુધી કોઈ નકકર કાર્યવાહી કરવા...
સીસીટીવી ફૂટેજના આધારે કાયદાપ્રધાનની કોર્ટે ઉલટ તપાસ કરી
અમદાવાદ, તા. 12 ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજીમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં ફરીએકવાર તેમની ઉલટતપાસ હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે ચૂડાસમાને મતગણતરીનાં સીસીટીવી ફૂટેજ બતાવીને ઉલટતપાસ કરી હતી. તેમની પૂછપરછ આજે પૂર્ણ થઈ છે અને હવે આ અરજીની વધુ સુનાવણી 17મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ હાઈ...
જયાંસુધી સંપૂર્ણ સલામતિની ખાત્રી ન થાય ત્યાંસુધી શાળામાં જવા શિક્ષિકાઓ...
અમદાવાદ,તા.12 સાણંદની ઝોલાપુરની સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શિક્ષિકાઓ પર કરાયેલા હુમલાની ઘટના બાદ આજે દિવસ દરમિયાન આ શિક્ષિકાઓ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીમાં બેસી રહી હતી. વિભાગ દ્વારા આજે ગામના સરપંચ સહિતના આગેવાનોને બોલાવીને સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોને ઉશ્કેરવાની કામગીરી કરનારા શાળા...
વાઘાણીને બચાવવા જંગલ વિભાગનું હડહડતું જુઠ્ઠાણું
ગાંધીનગર, તા. 12 ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ 9મી સપ્ટેમ્બરે ગીરનાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. તેમનાં બચાવમાં રાજ્ય સરકાર તો મેદાનમાં આવી ગઈ છે પણ તેમનું જંગલ વિભાગ પણ હવે વાઘાણીનાં આ ગુનાને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો સ્થાનિક લોકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વ. અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા દાવો કરી રહ્યા છે કે વાઘાણી પ્ર...
અમે જીવ આપી દઈશું પણ જમીન નહી આપીએ
ગાંધીનગર, તા.12 અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને 2023માં પૂર્ણ કરવા માગતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે હવે નવસારીના ખેડૂતોનું ગ્રહણ આવ્યું છે. આ ખેડૂતોએ કહ્યું છે કે અમે જીવ આપી દઇશું પણ જમીન નહીં આપીએ. આ ખેડૂતોએ સરકારના પગલાંને ગેરબંધારણિય ગણાવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતોનો વિરોધ કેન્દ્ર સરકારનું રેલવે મંત્રાલય અને ગુજર...
શામળાજી બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાં ગંદકી થી ત્રાહિમામ યાત્રાળુઓ
શામળાજી,તા.૧૨ શામળાજી મંદિરમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. શામળાજી બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં અને અનેક જગ્યાએ ગંદકી થી મુસાફરો અને યાત્રાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત શામળાજી મંદિર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફોટો સેશન પૂ...
જાહેર માર્ગોના દબાણો સહેજ પણ સાંખી નહીં લેવા રાજકોટના નવા મ્યુનિસિપલ ક...
રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકારે ટ્રાફીકના નવા નીતિ નિયમોની દંડની રકમની જાહેરાત કરી તેનો અમલ કરવાનુ જાહેર કર્યુ છે. જેમાં પાર્કિંગ, સ્પીડ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય શહેરોની જેમ રાજકોટ શહેરોમાં પાર્કિંગની મોટી સમસ્યા છે. શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર લારી, ગલ્લા, પાથરણાના દબાણોના કારણે ટ્રાફીક સમસ્યા વકરી છે. અનેક માર્ગો પર ખાણીપીણીના ધંધાર્થીઓ...
જે પોલીસ કર્મચારીઓ ટ્રાફીક નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક પગલા લો...
ભાવનગર,તા.12 પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકન...
એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભ...
ગાંધીનગર, તા.૧૨ અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મં...

English