Monday, August 10, 2026

જસ્ટિસ વિક્રમ નાથની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદના જસ્ટિસ વિક્રમ નાથની નિમણૂક કરાઇ છે. કેન્દ્ર સરકારના ન્યાય અને કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યરત જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજિયમ દ્વારા ગત તા. 22 ઓગસ્ટન...

ગુજરાતમાં 2700 વેપારીઓના રિટર્નની અનિયમિતતાથી રિટર્ન ચેક કરવાની ક્વાયત...

અમદાવાદ, તા.06 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ડિફોલ્ટરોની ગુજરાત સરકારના જીએસટી ડિપાર્ટમેન્ટે રૂા. 2000 કરોડની ચોરી પકડી પાડી છે. ગત ફેબ્રુઆરી માસમાં તેમના માસિક કે ત્રિમાસિક રિટર્ન ફાઈલ ન કરનારા વેપારીઓ 2700 કેસ જીએસટી ગુજરાતના અધિકારીઓના ધ્યાન પર જીએસટીએન તરફથી ધ્યાન પર મૂકવામાં આવ્યા હતા. આ 2700 કેસમાંથી 2650 કેસમાં તપાસ કરવામાં આવતા તેમની પાસેથી ...

ડિફેક્ટ લાયાબિલિટીવાળા રસ્તાઓ તેમની પાસે જ રીપેર કરાવાશે

અમદાવાદ, તા.0૬ અમદાવાદમાં આ વર્ષે તુટેલા રસ્તાઓના સમારકામ મામલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા કરાઈ હતી. જેમાં શહેરના જે વિસ્તારોમાં રસ્તાઓ તુટેલા છે એ રસ્તાઓ પૈકી ડિફેક્ટ લાયાબિલિટીમાં આવતા રસ્તાઓ જે તે રોડ બનાવનારા કોન્ટ્રાકટરો દ્વારા જ રિપેર કરવામાં આવે તેવી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત તુટેલા રસ્તાઓ મામલે કોન્ટ્રાકટરોને નો...

આગામી વિધાનસભા સત્રમાં ટેબલ પર અહેવાલ મૂકવામાં આવશે

અમદાવાદ, તા. 06 વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોની તપાસ કરનાર નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં ટેબલ કરવા મુદ્દે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી વિધાનસભા સત્ર દરમિયાન આ પંચનો બીજા ભાગનો રિપોર્ટ મૂકવામાં આવશે. નાણાવટી અને મહેતા પંચના બીજા ભાગના રિપોર્ટમાં ગોધરા ટ...

ભેજાબાજ ભેળસેળિયાની કમાલની કરામત, માવામાં ટેક્લમ પાવડરની મિલાવટ

ગાંધીનગર, તા.06 ગણપતીના લાડુ ભેળસેળ વાળા બની રહ્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીક જેઠીપુરા અને વલાદ ગામમાં દરોડા પાડી નકલી માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી છે. ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીકથી ડૂપ્લિકેટ માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી રૂ. 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માવામાં ટેલકમ પાવડર...

અમદાવાદની 50 વર્ષ જૂની ફ્લાઇંગ ક્લબને બંધ કરી દેવા નોટીસ આપવામાં આવી

અમદાવાદ,તા.6 અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 50 વર્ષથી કાર્ય કરી રહેલી જૂની પુરાણી અમદાવાદ ફ્લાઇંગ ક્લબને બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ ક્લબને બંધ કરી દેવાની નોટીસ આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટનો વહીવટ અદાણી જૂથને આપ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. ફલાઈંગ કલબ બહાર જતા એરપોર્ટ ઓથોરીટીનો વિસ્તાર વધશે રાજ્યના હવાઇ ઉડ્ડયન વિભાગનું કહેવુ...

ગુજરાત ક્રૂઝ ટુરિઝમની પોલિસી બનાવશે, 3 સ્થળોએ ક્રૂઝ વિકસાવશે

ગાંધીનગર,તા.07 ગુજરાત સરકાર કેન્દ્રના પરામર્શમાં રાજ્યમાં ક્રૂઝ પ્રવાસન વિકસાવવા માગે છે. આ હેતુ માટે પ્રથમવાર નવી ક્રૂઝ પોલિસી બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ત્રણ સ્થળો-પોરબંદર, સોમનાથ અને દ્વારકાનો સમાવેશ કરવાનું વિચારાધિન છે. આ અગાઉ સરકારે ત્રણ સ્થળોએ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે. રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સ...

પેટા ચુટણી સંદર્ભે સ્થાનિક સંગઠનને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ આગેવાનોન...

અમદાવાદ,તા.7 ગુજરાતની ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા આ બેઠકોના સ્થાનિક સંગઠનને મજબૂત બનાવવા માટે આજે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. જયારે ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી ચૂંટણીની જાહેરાત બાદ હાથ ધરવામાં આવશે. તેવું પણ અ બેઠકમાં નક્કી કરાયું છે. સ્થાનિક કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા પ્રાધાન્ય ...

સરકાર આ વર્ષે પણ મગફળી અને કપાસ ટેકાના ભાવે ખરીદશે : રૂપાણી

ગાંધીનગર, તા.૦૭ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે ૯ હજાર કરોડથી વધુની કિંમતના મગફળી અને કપાસ સહિતના પાકોનો ટેકાના ભાવે ખરીદી કરી છે. આ વર્ષે પણ મગફળીને ૧૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કરાયું છે. નવમાં એગ્રી એશિયા ટેક પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્ય...

ટ્રાફિકના નિયમનો ભંગ કરનારે વાહનના વીમાની રકમ વધુ ચૂકવવી પડશે

અમદાવાદ, તા.૦૭ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડવા મક્કમ ઇરાદો ધરાવતી અને જીવલેણ રોડ અકસ્માત ઘટાડવાનો પાક્કો ઇરાદો ધરાવતી સરકાર હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને વાહનના વીમાનું પ્રીમિયમ ઊંચુ ભરવું પડે તેવી સિસ્ટમ દાખલ કરવા સક્રિય બની રહી છે. આ માટે ઇરડાના અધિકારીઓ સાથે બેઠક કરીને પાઈલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવાની યોજના તૈયારી કરવામાં આવી રહ...

ગાંધીના ગુજરાતમાં વર્ષે 100 કિસાનો આત્મહત્યા કરવા મજબુર

ગાંધીનગર, તા.૦૭ ભારતના દેશોની સરકારો માટે કિસાન આત્મહત્યા કરે એ વિકરાળ પ્રશ્ન બની ચૂક્યો છે. અને તેમાંથી આપણું ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. આ સમયે મહાત્મા ગાંધીના શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે. ગાંધીજીની 150મી જન્મજ્યંતિ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કિસાનોની આત્મહત્યાના આંકડા ચોંકવનારા છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે ક...

ભાજપ સરકાર દ્વારા જ બનાવટી મિઠાઈના લાયસન્સની લહાણી

અમદાવાદ, તા. 07 તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે તેલની મિઠાઈઓ છે. તેલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યા છે. લોકો રોજની 3 લાખ કિલો બનાવટી મીઠાઈ આરોગી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસન્સ આપી દીધા છે જે ગુજરા...

ભાજપના MLA બલરામ થાવાણીએ પોતાના દારૂડિયા મિત્રનો પક્ષ લીધો, લોકોએ હુરિ...

થોડા મહિનાઓ પહેલા અમદાવાદના નરોડામાં એક મહિલાને માર માર મારીને બાદમાં માફીનું નાટક કરનારા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ફરીથી વિવાદમાં આવ્યાં છે, એક તરફ ભાજપની વિજય રૂપાણી સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે, બીજી તરફ તેમના જ ધારાસભ્યો દારૂડિયાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે, ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ અમદાવાદના કુબેરનગરમાં કર્ણાવટી સુંદરવન રેસીડેન્સી પા...

રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી અપાશે નહીં : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે. રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં ...

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુએ ખુરશી બચાવવા ભરતી કૌભાંડ કર્યું

કાયમી કર્મચારીઓથી ચાલતી યુનિવર્સિટીમાં હવે કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇની વધી ગયા ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને...