Sunday, August 16, 2026

લોકરક્ષક દળ પેપર લીકનો રેલો ભાજપનાં નેતા સુધી પહોંચ્યો

એલઆરડી પરીક્ષાનું પેપર લીક મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરેક ક્ષણે નવા ખુલાસા થઈ રહ્યા હે ત્યારે પેપર કાંડમાં પાંચ આરોપી તો પ્યાદા છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર કાંડમાં મુખ્ય માથું હજુ પોલીસ પહોંચ બહાર હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સમગ્ર કૌભાંડમાં ભાજપના બે કાર્યકરની સંડોવણી ખુલીને સામિ આવી હતી. તો આજે હવે ત્રીજા એક નેતાનું નામ...

ભાજપની આબરૂના ધજાગરા, વાલજી ટાપરીયાએ દારૂ પીને કરી ધમાલ

ગુજરાત ભાજપ પોતાનાં નેતાઓ અને કાર્યકરોને કારણે છેલ્લાં કેટલાંક સમયથી ભારે પરેશાની અને શરમમાં મૂકાઈ રહી છે. ભાજપનાં કેટલાંક નેતાઓ ધાકધમકી આપવાનાં કેસમાં સંડોવાયેલાં છે, અને કેટલાંક નેતાઓ અને કાર્યકરો તાજેતરમાં રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષાનાં પેપર લીક મામલામાં પણ નામ ખૂલતાં પ્રદેશ નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવાની મથામણ કરી રહી છે. ત્યાં ભાજપનાં કચ્છના...

ભાજપ સરકાર બેરોજગાર યુવાનોનો રાજકીય ઉપયોગ કરે છે.: પરેશ ધાણાની

ચર્ચાસ્પદ પેપરલીક મામલે રાજકીય સકરૂપ ધારણ કર્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના વિપક્ષી નેતા પરેશ ધણાની એ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના રાજીનામાં ની માંગ કરી હતી. પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતાં પરેશ ધણાની એ જણાવ્યું હતું કે ભાજપ ના શાસન માં ચૂંટણી ઓ નજીક આવે ત્યારે યુવાનો ને નોકરી આપવા માત્ર તાયફાઓ થાય છે. ભૂતકાળ...

ઉત્તર ગુજ. યુનિ.એ પાટણનાં ધારાસભ્ય વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ભરતી પ્રક્રિયા તેમજ પતનની MSW કોલેજની ભરતી પ્રક્રિયામાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન થયેલી આવકના હિસાબો જે તે સમયના MSWના પ્રિન્સિપાલ અને હાલના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ દ્વારા રજૂ નહિ કરીને રૂપિયા દોઢ કરોડ ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બી. એ. પ્રજાપતિએ નોંધાવી છે. યુનિવર્સિટીના કુ...

ગાંધીજીને નામે સરકારમાં ભ્રષ્ટાચાર

ગુજરાતની રૂપાણી સરકારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું તે માટે સમગ્ર રાજ્યમાં ગાંધીજીની સાથે સરકારની પ્રસિદ્ધિ માટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા અનેક જગ્યાએ કૌભાંડો થયા હતા જેમાં ગાંધીજીના નામે ગાંધીજીની ૧૫૦મી જયંતી ના નામે લગાવવામાં આવ્યા હતા જેમાં 25000 55000 બિલ બનાવાયું હતું ખેતી અને ગાંધીજીને નામે પણ આ સરકારમા...

પેપરકાંડથી ગુજરાત સરકારની આબરૂનું ધોવાણ

રાજયભરનાં 8.76 લાખ બેકાર ઉમેદવારો લોકરક્ષક દળની ભરતીનું પેપર આપે તે પહેલા જ પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવી પડી હતી. પરીક્ષા રદ કરાતા તેના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે. રાજયમાં લાખો બેરોજગારો નોકરી માટે આમ તેમ રઝળી રહ્યા છે. ત્યારે બેરોજગારીનો મુદો રાજયસરકાર માટે ગળાનું હાડકુ બને તે પહેલા જ રાજયસરકારે આગોતરૂ આયોજન કરી લીધું છે. લોકસભાની ચૂંટણી નજીકમાં છ...

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધના પરિણામોથી પ્રદેશ કાર્યાલય બન્યા...

રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોના જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસનો વિજય થતા તેની સીધી અસર પ્રદેશ કાર્યાલય કમલમ અને સ્વર્ણિમ સંકુલમાં જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે  આવી રહેલી લોક સભા પૂર્વે સત્તાની સેમિફાઇનલમાં ભાજપનો પરાસ્ત થતા સ્વર્ણિમ સંકુલ સૂમસામ ભાસતું હતું .તો બીજી તરફ પ્રદેશ કાર્યાલય ઉપર મીડિયા જોઈ દોડાદોડી કરતા પ્રવક્તાઓ...

બોટાદ ભાજપમાં આંતરિક જૂથવાદ, કોઈ બેઠક બોલાવાતી નથી

બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો દ્વારા સત્તા પક્ષ ભાજપ સામે રામધૂન બોલાવી નોંધાવ્યો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના આંતરિક જૂથવાદના કારણે વિકાસના કામો ન થતા હોવાના કારણે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. બોટાદ નગરપાલિકામાં કોંગ્રેસના 17 સભ્યો સામે ભાજપ 27 સભ્યો સાથે સત્તા પર છે, ત્યારે 6 મહિના પહેલાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નગરપાલિકાના નવા પ્ર...

બાવળિયા લોક સંપર્ક દરમિયાન ડાન્સ કર્યો

જસદણની પેટા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બન્ને પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. એક બાજુ કોંગ્રેસનાં ઉમેદવાર અવચર નાકિયા છકડામાં બેસીને પ્રચાર કરી રહ્યાં છે તો બીજી બાજુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બનનારા અને ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયા શનિવારે જસદણમાં ડી.જે.ના સંગે પ્રચાર અર્થે નિકળ્યા હતા. ત...

મોદી માટે નર્મદાના પાણીનો બગાડ

અછતનો સામનો કરી રહેલું આખું ગુજરાત જયારે પીવાના અને સિંચાઈના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે ત્‍યારે માત્ર પ્રધાનમંત્રીશ્રીની તા.૨૨-૨૩ ડીસેમ્‍બરના કેવડીયા કોલોનીની મુલાકાત વખતે પ્રધાનમંત્રીને સ્‍વચ્‍છ પાણી બતાવવા અને ફોટોજેનીક બેક ગ્રાઉન્‍ડ ઉભું કરવા માટે ભાજપ સરકારે શહેનશાહની જેમ નર્મદા ડેમનું ૨૦ થી ૪૦ મીલીયન કયુબીક મીટર પાણી સ્‍ટેચ્‍યુ ...

હિંમતનગર નગરપાલિકામાં સિવિક સેન્ટરનાં રિનોવેશનનો નવો વિવાદ

આમ તો આજકાલ હિંમતનગર નગરપાલિકા વિવાદોમાં ઘેરાયેલી વધુ રહેવા લાગી છે. પહેલા ચીફ ઓફિસર રિવોનેશનમાં મોટી લાંચમાં ઝડપાયા અને બાદમાં નવા ચીફ ઓફિસરની ગેરહાજરીથી પરેશાની અને હવે પાલિકા દ્વારા ત્રણ સિવિક સેન્ટરોમાં લાખ્ખોના ખર્ચે હવે રિવોનેશનનો નવો વિવાદ સર્જાયો છે. હિંમતનગર શહેરની નગરપાલિકા દ્વારા છેલ્લા સાત આઠ વર્ષ દરમિયાન નિર્મિત કરાયેલા સિવિક સેન્ટરો ...

નર્મદા નહેર 3000 કિ.મી. લંબાઈ ઘટાડી દેવાઈ

નહેર માળખાની કુલ અંદાજીત ૭૧,૦૦૦ કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં લગભગ ૬૮,૦૦૦ કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં ૬૦,૧૬૯ કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ થયેલ છે એટલે કે ૮૮% કામો પૂર્ણ થયા છે. છેલ્લાં ચાર વર્ષોમાં આશરે ૩૪,૦૦૦ કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સ...

144ની કલમ સામે વિરોધ

ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી છે  અમદાવાદ અને રાજકોટમાં સી.આર.પી.સી. ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમા...

અનાર પટેલના જમીન કૌભાંડની તપાસ કેમ ન થઈ ?

12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રીનું ગીરની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હોવી હતી. 400 એકર જમીન પૈકી 250 એકર જમીન રૂ. 15 દર સ્કવેર મીટરે ફાળવવામાં આવી હતી. રાજય સરકા...

ગુજરાત ભાજપના 30 કલંકિત નેતાઓ સામે કોઈ પગલાં જાહેર ન કરાયા

3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેચતાઓની યાદી જાહેર કરી હતી. તેનો 17 ડિસેમ્બર 2018 સુધીમાં ભાજપે પગલાં અહેવાલ જાહેર કર્યો નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવતાં કોંગ્રેસ તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલાં ભાજપના 30 નેતાઓની યાદી જાહેર કરી હતી. અમતિ શાહને જનરલ...