Wednesday, August 19, 2026

પેટ્રોલના વેરા અને ભાવ વધારામાં 12 લાખ કરોડ ખંખેરી લીધા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ અને વેરા વધારીને 52 મહિનામાં દેશના નાગરિકો પાસેથી રૂ.12.76 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. ત્યારે સમગ્ર દેશમાં પ્રજાના આક્રોશ સામે માત્ર અઢી રૂપિયાનો ઘટાડો કરીને દેશના નાગરિકોને લોલીપોપ આપી છે. મોદી સરકારની નીતિ અને નિયત સાફ હોય તો પેટ્રોલ-ડીઝલ સહીતની પેટ્રોલિયમ પ્રોડક્ટ...

ભાજપને પડકારતાં પ્રભાતસિંહ સામે પગલાં કેમ ન લેવાયા ?

પંચમહાલ લોકસભામાં પંચાયત દારૂ વિના ચૂંટણી જીતાતી નથી એવા પંચમહાલના ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે નિવેદનો કર્યા હોવા છતાં તેમની સામે ભાજપ દ્વારા આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. તેમણે 28 સપ્ટેમ્બર 2018માં આ નિવેદન કર્યું હતું. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખની એક બેઠકમાં પણ તેઓ હાજર હતા. અગાઉ તેમણે પક્ષ સામે બગાવત કરીને ટિકિટ માંગી હતી. દારુ અંગેનું તેમનું આ ...

રદ થયેલી કરોડોની નોટના કેસ દબાવી દેવામાં ભાજપના નેતાની સંડોવણી ?

ગુજરાતમાંથી જૂની ચલણી નોટ અને નવી બનાવટી નોટ સૌથી વધું પકડાઈ છે. આ અંગેનો કેસ આવકવેરા વિભાગ પાસે ગયા પછી અચાનક પડદો પડી જાય છે. મહેશ શાહ તેના માટેનું સૌથી મોટું ઉદાહરણ છે. અમદાવાદ રેન્જના આરઆર સેલ દ્વારા 3 ઓક્ટોબર 2018માં આણંદની સામરખા ચોકડી પાસે સ્કુટર પર લઈ જવાતી રૂ.3.70 કરોડની રદ થયેલી નોટ પકડાઈ છે. જે રૂ.1000 અને રૂ.500ની છે. આટલી મોટી માત્રામા...

રાજીનામું આપી દેવા પાછળનું ખરું કારણ સાંસદ વિનોદ ચાવડા

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયતના બે સભ્યો ભરત સોમજીયાણી અને ચન્દ્રીકાબેન જેન્તીલાલ પોકાર દ્વારા રાજીનામું આપી દેવા પાછળનું ખરું કારણ સાંસદ વિનોદ ચાવડા તેમ જ કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું છે. તેથી પ્રદેશ ભાજપના નેતાઓએ પણ આ પ્રશ્ને મૌન ધારણ કરી લીધું છે. પ્રજાની સમસ્યાઓની વારંવાર રજૂઆત કરી પણ તેનો કોઈ નિવેડો લાવવામાં આ બન્...

ગુજરાતની ચૂંટણી હિંસક બની, સરપંચના સસરા સહિત 6ની હત્યા

કચ્છના મુંદ્રા તાલુકાના છસરા ગામે ચૂંટણીના કારણે છ લોકોની 24 ઓક્ટોબર 2018ની મોડી રાતે હત્યા કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલાં છસરા ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. યુવકો પોતાના ખેતરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે સરપંચ જૂથના લોકોએ તેમને ગામ નજીક આંતર્યા હતા. છાસરાના મહિલા સરપંચના સસરા અને તેના પુત્રનું મોત થયું હતું. સામા પક્ષે ચારેય યુવકોને ગામના મહિ...

અમરેલી – સરકારની રાજકીય કિન્નાખોરીમાં ખેડૂતો જીવ ગુમાવી રહ્યાં છે

અમરેલીમાં ભાજપે ધારાસભ્યોની બેઠકો ગુમાવી અને તાલુકા તથા જિલ્લા પંચાયત ગુમાવી તેથી વેરની વસુલાત થઈ રહી હોવાનું મોટા ભાગના લોકો માની રહ્યા છે. 5 લાખથી વધુ હેક્ટરમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ વાવેતર કપાસનું 375179, મગફળીનું 126273, બાજરીનું 2708, તલનું 4411, શાકભાજીનું 4394 અને ઘાસચારો 33477 હેકટરમાં વાવેતર થયેલ છે. પરંતુ પાણીના અભાવે સૌથી વધુ નુકશાન ક...

ખેડા લોકસભા બેઠક પર બહારના ઉમેદવારને ટિકિટ નહીં અપાય

ખેડા જિલ્લો એક સમયથી કોગ્રેસના ગઢ તરીકે જાણીતો છે. નડિયાદમાં જિલ્લા પંચાયત ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કાર્યકરો, હોદ્દેદારોએ પ્રદેશ પ્રભારીની હાજરીમાં ઠરાવ જાહેર કર્યો હતો કે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ સિવાયના કોઇપણ આયાતી ઉમેદવારને ખેડા લોકસભા પરથી ટિકિટ આપવી નહીં. અહીં એવી વાત હતી કે ભાજપને પડકાર આપી રહેલાં પૂર્વ વહાન વ્યવહાર પ...

ધારાસભ્યએ ન કર્યું તે ગાંધીજીનું કામ કલેક્ટરે કર્યું

ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા કરીને મીઠાનો સત્યાગ્રહ 1930માં કર્યો હતો. દાંડીકૂચ દરમ્યાન ખેડા જિલ્લાના માતરના છબીલદાસ ટ્રસ્ટની ધર્મશાળામાં ગાંધીજી રાત રોકાયા હતા. તે સ્થળ આજે સચવાયું છે.  ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને આ સ્થળે ગંદકી છે. ગુજરાત સરકાર ગાંધીજીના સફાઈના નામે હાથમાં સાવરણા પકડીને ફોટો પડાવવાનો દેખાવ કરે છે. પણ ગાંધી...

અલ્પેશ ઠાકોરે અમિત ચાવડાને પડકાર ફેંક્યો, ઠાકોર સેના બંધ નહીં થાય

અલ્પેશ ઠાકોર એવું માને છે કે તે કોંગ્રેસ છોડી શકે છે પણ ઠાકોર સેના નહીં છોડી શકે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ પણ આવી જ સેના કોંગ્રેસમાં બનાવી હતી. જે કોંગ્રેસે બંધ કરાવી દીધી હતી. આવું જ કંઈક અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની સાથે ચાલતાં વ્યક્તિગત સંગઠનો બંધ કરી માત્ર કોંગ્રેસના સંગઠનો જ ચલાવવા માટે સૂચના આપી હોવાનું માનવામાં આવે છે. તેથી તેમણે કોંગ્રેસ પ્રમુખ અ...

ભાજપના નેતાઓ કુટુંબ પર અત્યાચાર કેમ કરી રહ્યાં છે, દિલીપ ઠાકોર એક પરાક...

ગુજરાતની ભાજપ સરકારના પ્રધાન દિલીપ ઠાકોરના કૌટુંબિક કારનામાં બહાર આવી રહ્યાં છે. ત્યારે હવે ભાજપના નેતાઓ સામે સમાજ આંગળી ચીંધી રહ્યો છે. શું ભાજપના નેતાઓ કહે છે કંઈ અને કરે છે કંઈ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલીપ ઠાકોર છે. તેમની ત્રણ પુત્રવધૂઓને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી છે. તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દિલીપ ઠાકોરના કુટુંબના સભ્ય પુત્રવધૂને માર...

રાહુલ ગાંધી ગુજરાતથી ભાજપને લોકસભા માટે પડકાર ફેંકશે

ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ નવી દિલ્હી ખાતે ખાસ બેઠક યોજી ગુજરાતમાંથી જ ભાજપને ઘેરવા અને લોકસભાની ચૂંટણીનો પડકાર ફેંકવાનું નક્કી કરાયું છે. પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં ગુજરાત કોંગ્રેસની સંકલન સમિતિની બેઠક યોજાઇ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ નવી દ...

ભાજપ સરકારના પૂર્વ પ્રધાન બિમલ શાહને કોંગ્રેસમાં લાવવા કવાયત

છેલ્લા થોડા સમયથી ખેડા લોકસભા બેઠકના રાજકીય સમિકરણોમાં ધરખમ ફેરફારો આવે તેમ મનાય છે. ગત વિધાનસભા વખતે ભાજપથી નારાજ થઇને કપડવંજની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવીને 45,000  જેવા જંગી મતો લઇ જનાર પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન બિમલ શાહનો ઝુકાવ કોંગ્રેસ તરફ ઢળ્યો છે. બિમલ શાહ કોંગ્રેસ આગેવાનોના સંપર્કમાં હોવાનુ મનાય છે. ખેડા લોકસભા બેઠક પર તે ભાજપનો મુકા...

ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યાં છે, દેવું માફ કરો – કોંગ્રેસ...

અમરેલીમાં ખેડૂતે હમણાં જ આત્મ હત્યા કરી લીધી છે. ગયા અઠવાડિયે ખેડૂત કુટૂંબ પર દેવું વધી જતાં પતિ અને પત્નીએ અમરેલીમાં આત્મહત્યા કરી લીધી હતી. ગયા વર્ષે 33 જિલ્લા કલેક્ટર કચેરીમાં આત્મહત્યા કરવાની પારાવાર ઘટનાઓ બની હતી. દરેક જિલ્લા દીઠ 50થી 200 લોકોએ આત્મહત્યા કરવા માટે માંગણી કરી હતી. જેમાં મોટા ભાગના લોકોનો પ્રશ્ન જમીનને લતા હતા. ગુજરાતમાં વર્ષ...

અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ અંગે ભાજપ મૌન કેમ ?

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યાં હોવાના સમાચારો જાહેર થઈ રહ્યાં છે ત્યારે ભાજપ તરફથી આ અંગે જાહેરમાં કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આ એક રહસ્ય ઊભું થયું છે. આ અંગે ભાજપના સત્તાવાર પ્રવક્તા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવાની કોઈ વાત ધ્યાનમાં નથી. ભાજપની વિચારધારા સ્પષ્ટ છે. લોકો આ વિચારધારા સાથે આકર્ષિત થઈને જોડાતાં હોય છે. આમ...

વિદ્યાર્થીઓએ ભાજપની કચેરીનો બહિષ્કાર કેમ કર્યો ?

ભાજપની ગાંધીનગર ખાતેની પ્રદેશ કચેરીએ સરકારની યુનિવર્સીટીના ચૂંટાયેલાં રાજકીય રીતે ભાજપના સેનેટર તથા સીન્ડીકેટ સભ્યોની હાજરીમાં એક બેઠકમાં વડોદરાના એક વિદ્યાર્થી જૂથ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને તેઓએ પ્રદેશના નેતાઓની હાજરી વચ્ચે મળેલી બેઠકનો બહિષ્કાર કરી દીધો હતો. ભાજપ દ્વારા યોજાયેલા એક વ્યાખ્યાનમાં હાજરી આપવા માટે આ વિદ્યાર્થીઓ આવ્યા હતા. જેમ...