કોરોનાથી બચાવવા માટે આ હોટલે શરૂ કરી આયુર્વેદિક થાળી, જુઓ તો ખરા મેનુમાં શું શું આપે છે !

આયુર્વેદિક । Ayurvedic Thali । AGN । allgujaratnews.in । Gujarati News ।
આયુર્વેદિક । Ayurvedic Thali । AGN । allgujaratnews.in । Gujarati News ।

અનલોકમાં હવે રેસ્ટોરન્ટથી લઈને બજારો પણ ધીમે ધીમે ખુલ્લી રહી છે. પણ બની શકે છે કે હજૂ પણ આપ મનથી બહારનું ખાવાથી ડરી રહ્યા હોવ. પણ દિલ્હીમાં એક મોટી રેસ્ટોરન્ટ હવે આપને સ્વાદિષ્ટ ભોજન તો આપશે જ, સાથે સાથે તમારી ઈમ્યુનિટી વધારવાનો પણ દાવો કરી રહ્યા છે.

આયુર્વેદિક રીતે થાળી આપશે

દિલ્હીની એક રેસ્ટોરન્ટ Ardor2.1ને કોરોનાથી લડવા માટે એક એવી થાળી તૈયાર કરી છે, જે દાવો કરે છે કે, તેને આયુર્વેદિક રીતે બનાવી છે. આ થાળીનું નામ છે વૈદિક થાળી, જેમાં ઈમ્યુનિટી વધારનારા આયુર્વેદિક સામગ્રી ભરપૂર માત્રામાં મળી રહેશે. સ્વાદિષ્ટ પણ હશે અને શરીર માટે લાભદાયી પણ રહેશે.

અહીં ખાવાનું બનાવવા માટે લાકડા અને કોલસાનો ઉપયોગ થાય છે.

તથા માટીના વાસણમાં ખાવાનું તૈયાર કરવામાં આવે છે. વૈદિક થાળીમાં કેટલાય પ્રકારના લીલાશાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં આયરન, વિટામીન સી, વિટામીન ડીની વધુ માત્રા હોય. મસાલા તરીકે હળદર, આંબલા, તુલસી, શંખપુષ્પી જેવા આયુર્વેદિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.

મેન્યૂમાં શું હશે

જો મેનૂની વાત કરીએ તો, સ્ટાર્ટરમાં સપ્તસામગ્રી પનીર ટિક્કા, પાત્રા, કારેલા આલૂ પિટીકા રહેશે. તો વળી મેઈન કોર્સમાં લાલ સાગ, ગઢવાલ દાળ, કાફૂલી, અંજીર કોફતા, કુમાઉની રાયતા, મડુઆ રોટલી, આલૂ ભાજી સામેલ હશે. મીઠાસમાં આપને ચ્યવનપ્રાસ, આઈસ્ક્રીમ પણ આપશે.

આલ્કોહોલિક ઉકાળો પીવાનો પણ મોકો આપશે

પહેલી વાર એવા આલ્કોહોલિક ડ્રિંક્સ બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય પરંપરાનું પણ મિશ્રણ હશે. નામ જાણીને જ તમે ચોંકી જશો, જેમાં હાઈ રસમ અને વિટામીન સી બ્રૂ જેવા અનોખા કોકટેલ આપને આ હોટલમાં મળી જશે.