ધરપકડ પછી કેદીઓની સારવારની પણ વિગતો આપવામાં આવી છે. કેદીઓના આ અનુભવો જેલમાં સાથી કેદીઓ દ્વારા આચરવામાં આવતી હિંસા વર્ણવે છે. જેલના કર્મચારીઓની મદદથી અથવા જેલના અધિકારીઓ દ્વારા આ અત્યાચાર કરવામાં આવ્યા હતા. જે જેલમાં કેદીઓની ખરાબ હાલત બતાવે છે.
જાતીય ગુનાઓ અને આતંકવાદના ગુનામાં ફાંસીની સજા પામેલા કેદીઓ આવી હિંસાનો સૌથી વધું બોગ બને છે. શારીરિક હિંસા ઉપરાંત સાથી કેદીઓ તેમની સાથે અપમાન જનક વ્યવહાર કરતાં હોય છે.
ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.