મોબાઇલ યૂઝર્સ માટે સારા સમાચાર, TRAI એ લીધો મોટો નિર્ણય

ટેલીકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ યૂઝર્સને મોટી રાહત આપી છે. 100 SMS બાદ મોકલવામાં આવેલ SMS પર 50 પૈસાના ચાર્જને પણ ખતમ કર્યો છે, હવે રોજ 100થી વધારે SMS કરી શકાશે. TRAIએ SMS માટે ટેરિફના નિયમને લઇને ટેલિકમ્યુનિકેશન ટેરિફ ઓર્ડર 2020 નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે.

ટ્રાઇનું માનવું છે કે 100 SMSની રોજની મર્યાદા બાદ લાગતા 50 પૈસાના ચાર્જને રાખવાની કોઇ જરૂરિયાત નથી, કેમકે સ્પેમ SMSની તપાસ કરવા માટે હવે પુરતી ટેક્નોલોજી છે. તેમા વર્ષ 2012માં SMSથી લાગુ પડતા નિયમોને પાછા લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. તેના માટે TRAIએ સ્ટેકહોલ્ડર્સથી 3 માર્ચ સુધીમાં લેખિત કોમેન્ટ અને 17 માર્ચ સુધી કાઉન્ટર કોમેન્ટ મગાવ્યાં હતા.

ત્યારબાદ જ ટ્રાઇએ આ નિર્ણય લીધો છે, અત્યાર સુધીમાં ટેલિકોમ ઓપરેટર્સ રોજના 100 SMSની મર્યાદા બાદ ઓછામાં ઓછા 50 પૈસા ચાર્જ કરે છે. આ નિયમ વર્ષ 2020માં લાગુ થયો હતો. TRAIએ ટેલિકોમ સબ્સક્રાઇબર્સને UCC થી બચાવવાને લઇને રોજ 100 એસએમએસની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.