દિલીપ પટેલ, અમદાવાદ, 2020
એક સમયે કુદરતી રેશમના પાટણના પટોળા વિશ્વ વિખ્યાત હતા. હવે સુરતના અશલ સીલ્ક ઉદ્યોગ માટે નવા દ્વારા ખોલી શકે તેમ છે. શેતુરના રેશમની ખેતીની શક્યા વધારી આપે એવી જાતો અંગે પ્રયોગો કરીને નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કીટક શાસ્ત્ર વિભાગ દ્વારા 2019થી ખેતી કરવાની ભલામણ કરેલી જાતો છે.
દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ ખેત આબોહવાકીય વિસ્તારના શેતુરના રેશમના સંકર કીડાનો ઉછેર કરવા માટે નવી જાતો છે. જેમાં FC1+ FC2 અથવા FC2+FC1નો ઉછેર કરવાથી ઉચ્ચ ગુણવત્તા વાળું અર્થક્ષમ રેશમ પ્રાપ્ત કરી શકાય છે. તેના ઇંડા બેંગલોરના સેન્ટ્રલ સિલ્કબોર્ડના નેશનલ સિલ્કવોર્મ સીડ ઓર્ગેનાઈઝેશન પાસેથી મળી શકે છે. આ જાતોની ચકાસણી દક્ષિણ ગુજરાત માટે કરી છે.
હિંસા અને ઝેર
ગુજરાત અહિંસાને વરેલું હોવાથી રેશમી કિડાથી રેશમ મળવવાનું ઓછું પસંદ કરે છે. જોકે, ખેડૂતો કપાસ પેદા કરવામાં જંતુનાશક દવા છાંટીને કરોડો કિડા મારી નાંખે છે. તેના કરતાં શેતુરના કિડા ઓછી મરે છે.
રેશમી કાપડમાં ચોથું સ્થાન
દેશમાં કાપડ બનાવવા માટે ભારતમાં સુરત અને ખંભાત ચોથા જાણીતા સ્થાનો છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યયાલયના કિટક શાસ્ત્ર વિભાગના પ્રો.એમ.એમ.નાટક, એક.એન. ગજ્જર, ડો.એમ.બી.પટેલ, જી.જી. રાદડિયા અને તેમની ટીમે અભ્યાસ કરીને ઘણી વિગતો રેશમની ખેતી જેને શેરીકલ્ચર કહે છે તે માટે તૈયાર કરી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારીમાં રેશમની ખેતી 1984થી થાય છે. હવે મહેસાણા, વડોદરા, ખેડામાં ખેતી થવા લાગી છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ખેડૂતોને સેરીકલ્ચરની તાલીમ 2016થી આપવામાં આવે છે. શેતરના કિડાઓ માટે હાલ સંશોધન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ગ્રાસરી અને ફ્લેચરી રોગ કિડાઓમાં આવે છે.
દેશમાં કિડાના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન
ગુજરાત પહેલા 10 રાજ્યો છે જે રેશમના કીડા ઉછેરવાની ખેતી કરે છે. ગુજરાતના પટોળા તેની સૂક્ષ્મતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આમાં, દોરાને પાંચ કે છ પરંપરાગત રંગો જેવા કે લાલ, જાંબલી, વાદળી, લીલો, કાળો અથવા પીળાનો ઉપયોગ કરીને હાથથી વણવામાં આવે છે. જેમાં પક્ષીઓ, ફૂલો, પ્રાણીઓ, શ્રેષ્ઠ રંગ અને આકારની ભૂમિતિ શૈલીની પૂર્ણતા સાથે રંગવામાં આવે છે.
સુરતની ઝરી
તુંચૂઇ ઝરીનું નામ ચુઇ તરીકે જાણીતા 3 પારસી ભાઈઓ પરથી રાખવામાં આવ્યું છે. જેમણે આ કળા ચીનમાં શીખી હતી. પછી સુરતમાં તે કળાથી કાપડ વણવાની શરૂઆત કરી હતી. તંચુઇ ઝરીમાં સામાન્ય રીતે જાડા સટિન વણાટ, જાંબુડિયા અથવા જાડા રંગ અને ફૂલવાળો, વેલો, પક્ષી વગેરે ડિઝાઇનમાં હોય છે.
ચીન – ભારતનું ઉત્પાદન
રેશમની ખેતીમાં વિશિવનું 60 ટકા ઉત્પાદન ચીન અને ભારત કરી રહ્યું છે. ફ્રાંસ, બ્રાઝિલ, જાપાન, રશિયા, કોરિયામાં રેશમની ખેતી થાય છે. ગુજરાતમાં મોટા પાયે ખેતી થતી નથી. છૂટક ખેડૂતો પ્રયોગ કરે છે. સુરતમાં રેશમી સાડીનો વિશ્વ વ્યાપી ધંધો છે, તેથી ગુજરાતના ખેડૂતોને તેનો સીધો ફાયદો મળી શકે છે. ભરતામાં રેશમથી બનેલું કાપડ વીંટીમાંથી પસાર કરી શકાતું હતું. ભારતની સરખામણીએ ગુજરાતનું ઉત્પાદન 3 ટકાથી નીચે છે.
ભારતમાં રેશમનું ઉત્પાદન | ટનમાં |
2013-14 | 26,489 |
2014-15 | 28,523 |
2015-16 | 19,954 |
2016-17 | 20,534 |
2017-18 | 30,721 |
2018-19 | 30,832 |
2020-21 | 32,763 |
રેશમી કાપડનો ધંધો
સુરતની કૃત્રિમ સિલ્કી સાડી પ્રખ્યાત છે. હવે કીડાનું સિલ્ક પેદા કરી શકાય એવી બે નવી સંકર જાતો આવી છે. ભારતમાં કુદરતી રેશમના કપડાની નિકાસ 2015-16માં 2496 કરોડ રૂપિયા થઈ હતી. 2016-17માં 2093 કરોડ રૂપિયા થઈ હતી. 2019-20માં અંદાજે 3 હજાર કરોડ રૂપિયાની નિકાસ થઈ હોવાની શક્યતા છે. 85થી 1 કરોડ લોકોને તેમાં રોજગારી મળે છે. 2011-12માં 1685 મીનીયન ટન હતું. જે 2019-20માં 8500 મી.ટન ઉત્પાદન ભારતમાં કરવાનો લક્ષ્યાંક અપાયો હતો.
30 દિવસમાં સિલ્ક તૈયાર
2500 કોશેટોમાંથી 400 ગ્રામ રેશમના તાર નિકળે છે. 100 રોગમૂક્ત ઈંડા (40,000) કિડામાંથી આશરે 40 કિલો કોશેટોનું ઉત્પાદન મળે શકે છે. સારી જાતના રેસમના કીડા ઉછેર કરવાથી 50થી 60 કિલો રોશેટાનું ઉત્પાદન મળે છે. 25થી 30 દિવસમાં તૈયાર થઈ જાય છે. મરેલા કોશેટોને બહારમાં વેચી દેવામાં આવે છે. અથવા જાતે જ તેમાંથી તાર અલગ કરીને બહારમાં વેંચી શકાય છે.
કેમ થાય છે ખેતી
રેશમના નર અને માદાને શેતુર – મલાબેરીના પાન ખાઈ ઉછરે છે. તૈયાર ટ્રેમાં તેના પાન કિડાઓને ખાવા માટે અપાય છે. દેશના 26 રાજ્યો તેનું ઉત્પાદન કરે છે. માદા ફૂદુ 24 કલાકમાં 300થી 500 ઈંડા મૂકે છે. વર્ષમાં 8 પેઢી તૈયાર થાય છે, 9-12 વખત ઈંડા મૂકે છે. 4 અવસ્થામાં ઈંડા, ઇયળ છે.
ઇયળ મોટી થતાં તે ખાવાનું બંધ કરી દે છે અને મોંથી ફાઈબ્રોનની પ્રોટીન 70થી 80 ટકા અને 20થી30 ટકા સેરેનિં ધરાવતો તાર મોંઢાથી લાળગ્રંથી દ્વારા બહાર કાઢે છે. આવું તે 2થી 2.5 દિવસ કરે છે. ઇયળ ગોળ ફરતી રહેતાં તેની શરિરની ચારેબાજું તે તાંતણો વિંટાઈ જાય છે. જેને કોશેટો કહેવામાં આવે છે. તેને તારની લંબાઈ 300થી900 મીટર હોય છે. જેનો વ્યાસ 10 માઈક્રોન હોય છે.
જીવીજ કોશેટોને ગરમ પાણીમાં નાંખતાં તે મરી જાય છે અને તેની ઉપરનો તાલ સિંડલમાં વિંટી લેવાય છે. જો તે કોશેટોને જીવત રખાય તો તેમાંથી તેમાંતી ફુદુ બહાર આવે છે. તેથી ઉપરના તાર કપાઈ જાય છે. ફૂદુ બહાર ન આવે તેથી તેને મારી નાંખવા ગરમ પાણીમાં નાંખવામાં આવે છે. આ કામ ભારતમાં મોટા ભાગે મહિલાઓ કરે છે.
વાંસની ટ્રેમાં ઉછેર
કિડાના ઉછેર માટે અલગ મકાન બનાવીને તેમાં રાખવામાં આવે છે. વાંસની કે લાકડાની ટ્રેમા આ કિડાને રાખીને તેને ખાવા માટે શેતૂર વૃક્ષના પાન અપાય છે. 25થી27 ડીગ્રી તાપમાન અને 80થી 85 ટકા ભેજ હોવો જરૂરી છે.
શેતુરના પાનની ખેતી
એક હેક્ટરે 30થી35 હજાર કિલો પિયત પદ્ધતિથી પાનનું ઉત્પાદન મળે છે. હેક્ટરે 2.30થી 2.40 લાખ રોપા એક વર્ષમાં ઉછેરી શકાય છે. જેમાંથી 1200 કિલો કોશેટાનું ઉત્પાદન મળી શકે છે. એક કિલો કોશેટાનો ભાવ રૂ.100 આસપાસ મળે છે. એક હેક્ટરે રૂ.120000ની આવક થા. છે. શેતુરના ઉછેર માટે 60થી70નું ખર્ચ થાય છે આમ 50થી60 હજારનો ચોખ્ખો નફો એક હેક્ટરે મળે છે. લાભ – ખર્ચની સરાસરી 1.33 છે.
21 ટકા વધું ઉત્પાદન આપતી જાતો
સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા તાજેતરમાં વિકસિત રેશમના કીડાની ઇંડા પ્રજાતિને 2018માં ભલામણ કરી છે. રેશમના કીડા ઇંડાની શેતૂર અને વાણ્યા રેશમ જાતિઓ વિકસિત કરી છે. તાસાર સિલ્કવોર્મ (બીડીઆર -10) પ્રજાતિની પરંપરાગત ડાબા જાતિ કરતાં 21 ટકા વધારે ઉત્પાદકતા છે. ખેડુતો 100 રોગ મુક્ત ઇંડા બેરિંગ પ્રક્રિયાઓ (DFL) દીઠ 52 કિલો સુધીના કોકન મેળવી શકે છે.
ઝારખંડ, છત્તીસગ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, તેલંગાણા અને ઉત્તરપ્રદેશના આદિવાસી ખેડુતોને આ રેશમવાળું જાતિનો લાભ મળશે. હાઇબ્રિડ (પીએમ એક્સ એફસી 2) પ્રજાતિઓ 100 ડીએફએલ દીઠ 60 કિલોનું ઉત્પાદન કરી શકે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને મહારાષ્ટ્રના ખેડુતો માટે આ વિવિધતા યોગ્ય છે.
રેશમના નિર્માણ માટે જાણીતી Bombyx mori ફૂદાની ઇયળ. તે રૂપાંતરણથી કોશેટા (pupa) બનાવતા રેશમના તાંતણા નિર્માણ કરી પોતાના શરીરની ફરતું રેશમનું કવચ (cocoon) બનાવે છે. રેશમનો તાર અત્યંત મજબૂત અને ચળકતો તાર છે. તેનો ઉપયોગ રેશમનાં કપડાં, ગાલીચા અને પડદા જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. રેશમ મોટી માત્રામાં સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે અને કપાસ, રેશમ અને શણ કરતાં માફકસર ગરમ હોય છે. તે કરચલી-રોધક (wrinkle resistant) હોવાથી તેની ઇસ્ત્રી (ironing) સહેલાઈથી થાય છે. અન્ય પરિધાનોના પ્રમાણમાં રેશમનાં કપડાં વધુ આકર્ષક હોય છે. ભારતના બનારસી સાળુ, પાટણનાં પટોળાં, મૈસૂરનાં કપડાં અને કાશ્મીરના ગાલીચા દુનિયામાં બધે લોકપ્રિય છે. સાળુ અને પટોળાં મોંઘાં હોય છે. પાટણનાં પટોળાંની કિંમત તો 30 થી 40 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ભારત ઉપરાંત ચીન, દક્ષિણ કોરિયા, થાઇલૅંડ અને બ્રાઝિલ જેવા દેશો રેશમ-ઉદ્યોગ માટે જાણીતા છે. સૌથી વધારે રેશમનું ઉત્પાદન ચીનમાં થાય છે.
રેશમના ઉત્પાદન માટે Bombyx mori ફૂદાંનો ઉછેર મોટા પાયા પર કરવામાં આવે છે. તે શેતૂર(mulbery)નાં પાંદડાં ખાઈને જીવે છે.
ફૂદાં મધ્યમ કદનાં, પોચા શરીરવાળાં અને ઝાંખા સફેદ રંગનાં હોય છે. ફૂદાંને બે જોડ પાંખ હોવા છતાં તે ભાગ્યે જ ઊડે છે. ફૂદાં 2થી 3 દિવસ જ જીવે છે. કોશેટામાંથી નીકળ્યા બાદ નર અને માદા તુરત જ સમાગમ કરે છે. સમાગમના પરિણામે માદા ફૂદું ગોળ, ભૂરાશ પડતા સફેદ રંગના દાણા જેવાં લગભગ 300થી 400 જેટલાં ઈંડાં સમૂહમાં મૂકે છે. આવાં ઈંડાં થોડા સમયમાં જ ભૂખરા રંગમાં ફેરવાઈ જાય છે. ઈંડાંની અવસ્થા 8થી 10 દિવસની હોય છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળેલી નાની ઇયળો શરૂઆતમાં આશરે 3 મિમી. જેટલી લાંબી હોય છે. ઇયળ તેના 28થી 30 દિવસના જીવનકાળ દરમિયાન 4 વખત નિર્મોચન (શરીરની કાંચળી ઉતારવાની ક્રિયા) કરી પુખ્ત બને છે. પુખ્ત ઇયળ 5 સેમી. લાંબી, નળાકાર અને પીળાશ પડતા સફેદ રંગની હોય છે. તેના ઉદરપ્રદેશના છેડે ઉપરની બાજુ એક નાના કાંટા જેવો ભાગ હોય છે. ઇયળ તેના મોંમાં આવેલ લાળગ્રંથિમાંથી પ્રવાહી લાળ બહાર કાઢે છે, જે બહાર આવતાં સખત બની પાતળા તારના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પુખ્ત ઇયળ આવા તારના ગૂંચળા વડે એકાદ-બે દિવસમાં જ તેના શરીરની આજુબાજુ નાનું રક્ષણાત્મક કવચ બનાવી દે છે. એ કવચને કોશેટો કહેવામાં આવે છે. કોશેટા-અવસ્થા 10થી 12 દિવસમાં પૂર્ણ થતાં તેમાંથી પુખ્ત ફૂદાં બહાર આવે છે. ઋતુ પ્રમાણે લગભગ 6થી 8 અઠવાડિયાંમાં તેની એક પેઢી પૂર્ણ થાય છે.
ગૃહઉદ્યોગ માટે રેશમના કીડાનો ઉછેર છાંયડામાં રાખેલી વાંસની છાબડીઓમાં 25°થી 30° સે. તાપમાને અને 70 %થી 80 % ભેજવાળા વાતાવરણમાં કરવામાં આવે છે. આ માટે કોશેટામાંથી નીકળ્યા બાદ નર અને માદા ફૂદાંને સમાગમ માટે ભેગાં કરવામાં આવે છે. સમાગમ બાદ નર અને માદાને અલગ કરી માદા ફૂદીને ઊંધા શંકુ આકારના ગળણી જેવા કાગળના પ્યાલાની અંદર રાખવામાં આવે છે, અને નીચે કાર્ડબોર્ડ મૂકવામાં આવે છે, જેથી માદા ફૂદી તેના પર ઈંડાં મૂકી શકે. ઈંડાંને કાર્ડબોર્ડ પરથી સુંવાળા વાળવાળા બ્રશ વડે ઉખેડી છાબડીમાં રાખેલા શેતૂરનાં પાન પર ફેરવવામાં આવે છે. ઈંડાંમાંથી નીકળેલી નાની ઇયળોને શરૂઆતમાં 4થી 5 દિવસ શેતૂરનાં પાન કાપી, તેમના નાના-નાના ટુકડા કરી ખવડાવવામાં આવે છે. શરૂઆતમાં 2થી 3 દિવસ શેતૂરનાં પાન દરરોજ 2થી 3 વખત બદલવામાં આવે છે. ચોથા દિવસથી ઇયળોને કુમળાં તાજાં પાન આખેઆખાં ખોરાક તરીકે આપવામાં આવે છે. ઇયળોને ખવડાવવા માટેનાં પાન એકદમ સ્વચ્છ અને ભીનાં ન હોય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. જો પાન ભીનાં હોય તો ઇયળોને તુરત જ રોગ લાગે છે અને ઇયળો મરી જાય છે. આ સિવાય કીડા-ઉછેર માટે વપરાતી વાંસની છાબડીઓ/ટોપલાં કે ખોરાક જો અસ્વચ્છ હોય તો કીડાને પેબ્રીન કે ફ્લેચરી જેવા રોગ લાગુ પડે છે. એક ઇયળ તેના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન લગભગ 90 ગ્રામ જેટલાં શેતૂરનાં પાન ખાય છે. પુખ્ત ઇયળ કોશેટામાં જતાં પહેલાં ખાવાનું બંધ કરે છે. આવી ઇયળોને વાંસની પાતળી પટ્ટીઓમાંથી ખાસ પ્રકારે બનાવેલી ગોળ મોટી છાબડીમાં મૂકવામાં આવે છે, જ્યાં ઇયળો કોશેટામાં ફેરવાય છે. આવા કોશેટાને જો એમ જ રહેવા દેવામાં આવે તો તેમાંથી 8થી 10 દિવસમાં ફૂદું બહાર નીકળી આવે છે. પરિણામે રેશમના તારના ટુકડા થઈ જાય છે. તેથી રેશમનો તાર આખેઆખો મેળવવા માટે ફૂદું બહાર નીકળે તે અગાઉ 2થી 3 દિવસ પહેલાં જ કોશેટાની અંદરના ફૂદાને મારી નાંખવામાં આવે છે. આ માટે કોશેટાને સૂર્યના તાપમાં 2થી 3 દિવસ રાખવામાં આવે છે. ગરમ હવા/વરાળમાંથી તેને પસાર કરવામાં આવે છે, અથવા તો તેને રાસાયણિક પદાર્થોથી ધુમાડો આપવામાં આવે છે. આ પ્રક્રિયાને ‘સ્ટાઇલિંગ’ કહે છે. આવી રીતે કોશેટાની અંદરના ફૂદાને મારી નાંખ્યા બાદ કોશેટાને સૂકવવામાં આવે છે અને તેની બહારની બાજુએ આવેલ ઢીલા નકામા પદાર્થને બ્રશ વડે દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ગરમ પાણીમાં નાખવામાં આવે છે, જેથી ગુંદર જેવો ભાગ ઢીલો પડવાથી રેશમનો તાર છૂટો પડે છે. અનુભવી માણસ તેનો એક છેડો બહાર કાઢી રીલિંગ મશીન પર ચઢાવી તેને વીંટી લે છે. એક કિલો રેશમના તારની આંટી મેળવવા માટે આવા 60,000 જેટલા કોશેટાની જરૂર પડે છે અને તે માટે લગભગ 1 ટન જેટલાં શેતૂરનાં પાનની જરૂરિયાત રહે છે.