-
ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થતાં વૈશ્વિક વેપાર-કારોબારને ગુજરાતમાં નવું બળ મળશે
-
કચ્છના ધોળાવીરાનો આઇકોનિક રી-ડેવલપમેન્ટ માટે સમાવેશ કરાતાં, વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની તક મળશે
-
લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનતાં સદીઓ પહેલાનો સામુદ્રિક વ્યાપારી વારસો ઉજાગર થશે
ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલા બજેટને જન-જનનું, હરેક વર્ગ, હરેક સમાજને આવરી લેતું જનહિતાય બજેટ ગણાવ્યું છે.
ગિફ્ટ સિટી
ગુજરાતને આ બજેટમાં જાહેર થયેલી નવી યોજનાઓથી ખૂબ લાભ મળવાનો છે. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવાની જાહેરાતથી વિશ્વભરના વેપાર કારોબારને ગુજરાતમાં નવું બળ મળશે
દેશની ઐતિહાસિક વિરાસતોને આઇકોનિક રી-ડેવલપ કરવા માટેની જાહેરાતમાં કચ્છના ધોળાવીરાનો સમાવેશ કરીને કચ્છ અને આ પુરાતત્વીય સાઇટને વર્લ્ડ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની તક મળશે.
લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમ
આ ઉપરાંત લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમની જાહેરાત કરીને જે નાણાં ફાળવ્યા છે, લોથલના પૌરાણિક બંદરને અને સદીઓ પહેલાંના સામુદ્રિક વેપારને આ મ્યુઝિયમમાં ઉજાગર કરાશે.
નેશનલ ગ્રિડનો ૨૭ હજાર કિલોમીટરનો વ્યાપ વધારવાની બજેટમાં થયેલી જાહેરાત સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતને આનો મોટો લાભ થશે. અત્યારે ગુજરાત દેશમાં આવી ગ્રિડના વ્યાપમાં લીડ લઇ રહ્યું છે હવે, ગુજરાતની ગેસ કંપનીઓને નેશનલ ગ્રિડનો લાભ મળશે.
બુલેટ ટ્રેન
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિથી આગળ વધારવા માટે બજેટમાં અપાયેલા. આ બજેટમાં નાના અને મધ્યમ વર્ગના નાગરિકોને પાંચથી પંદર લાખ સુધીની આવક પરના કરમાં જે છૂટછાટ આપવામાં આવી છે તેનાથી લોકોના પૈસાનું સેવિંગ થશે અને પરચેઝ પાવર વધારવામાં તે ઉપયોગી બનશે.
વ્યક્તિગત કરદાતા
અગાઉ કોર્પોરેટ ટેક્સમાં સરકારે ઘટાડો કર્યો છે અને હવે વ્યક્તિગત કરદાતાને પણ રાહત આપીને કોર્પોરેટ સેક્ટર અને વ્યક્તિગત કરદાતા બંને માટે પૈસાનું સેવિંગ થઇ શકે અને ઇકોનોમી બૂમ થઇ શકે તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.
ખેડૂતો ઇન્ટરનેશનલ કક્ષા
ખેડૂતોને પણ આ બજેટમાં વિશેષ ફોક્સ કરવામાં આવ્યા છે. ખેડૂતો ઇન્ટરનેશનલ કક્ષાએ પોતાના માલની ખપત કરાવી શકેશે ઉપરાંત વેરહાઉસ અને સોલારપંપથી માંડીને ખેડૂતલક્ષી સુવિધાઓ દ્વારા પોતાની આવક બમણી કરી શકે તેવો લક્ષ્યાંક પણ આ બજેટમાં છે.
‘‘આ બજેટમાં પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી ભારત બને તે માટેનું રિફલેક્શન થયુ છે.’’
સોશિયલ સેક્ટર
સોશિયલ સેક્ટરમાં જે રીતે ફોક્સ કરવામાં આવ્યું છે, તેના પરિણામે શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઇરિગેશનનો વ્યાપ વધશે તેમ જણાવ્યું છે. એટલું જ નહીં વનવાસી, પીડિત શોષિત, ગરીબ, ગ્રામીણ હરેક વ્યક્તિનો વિચાર કરીને ઘડાયેલું બજેટ છે.
માછીમારો માટે સારૂં
પશુધન, દૂધ ઉત્પાદન બમણું, ફિશરીઝ દ્વારા બ્લ્યુ ઇકોનોમીને પ્રોત્સાહન તથા ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ બધાના સર્વગ્રાહી વિકાસનું આ બજેટ છે તેવો મત વ્યક્ત કર્યો છે.
લોકોપયોગી
ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે, ઓ.બી.સી. માટે, પર્યાવરણ જાળવણી માટે તથા નવા એરપોર્ટ, ડિજિટલ કનેક્ટિવીટી, ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન અને જિલ્લાને એક્સપોર્ટર બનાવવા તેમજ સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપનારૂ સર્વગ્રાહી લોકોપયોગી અને જન-જનનું બજેટ આપવા માટે ગુજરાતની જનતા જનાદેશ વતી પ્રધાનમંત્રી અને નાણા મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.