વિશ્વમાં મોદીની ફજેતી, શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને હંબનટોટા આવવા મંજૂરી આપી 

વિશ્વમાં મોદીની ફજેતી, શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને હંબનટોટા આવવા મંજૂરી આપી

दुनिया में मोदी की विफलता, श्रीलंका ने चीनी जासूसी जहाज को दी हंबनटोटा की इजाजत

Modi’s failure in the world, Sri Lanka allows Hambantota to Chinese spy ship

14 ઓગષ્ટ 2022

ભારતની સરહદો પર અને સરહદો આસપાસ ચીન દરેક જગ્યાએ પોતાની તાકાત બતાવી રહ્યું છે. ભારતની અંદર રસ્તા બનાવીને અને ગામો વસાવીને ઘુસણખોરી કરી છે. હવે હિંદ મહાસાગર પર કબજો કરીને દક્ષિણ ભારતની સલામતી જોખમમાં મૂકી છે. શ્રીલંકાએ ચીનને ભારતની ચિંતાઓથી વાકેફ કર્યા પરંતુ ડ્રેગન સ્વીકાર્યા નહીં. હિમાલય પછી હવે હિંદ મહાસાગર જોખમમાં આવી ગયો છે. ભારતે ચીનને શ્રીલંકાથી દૂર રાખવા સખત પ્રયાસ કર્યા, પણ આખરે તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘોર નિષ્ફલતા મળી છે. જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી નિષ્ફળતા માનવામાં આવે છે.

ચીનના દબાણ સામે ઝૂકીને શ્રીલંકાએ ચીનના ટ્રેકિંગ જહાજ યુઆન વાંગ 5 ને ઈન્ટરનેશનલ પોર્ટ હમ્બનટોટા પર આવવાની મંજૂરી આપી છે. આ જહાજ ભારતની આાઝાદીની 75મી ઉજવણીના દિવસે કે 16 ઓગસ્ટે હંબનટોટા પહોંચશે. ભારત અને અમેરિકા ચીનના ગુપ્તચર જહાજના આગમનનો વિરોધ કરવા માટે નક્કર કારણો આપવામાં નિષ્ફળ રહ્યા છે.
આ જહાજ અગાઉ 12 ઓગસ્ટે શ્રીલંકા પહોંચવાનું હતું, પરંતુ મોદીના વાંધાઓને પગલે શ્રીલંકાની સરકારે તારીખ મોકૂફ રાખી હતી. 5-6 દિવસ પછી ફરીથી મંજૂરી આપી છે.
કોલંબોમાં ચીનના રાજદૂતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે બંધ બારણે બેઠક કરી હતી.

15 વર્ષથી હરીફાઈ
હિંદ મહાસાગરમાં દેખરેખ માટે ચીનનું સંશોધન અને સર્વેક્ષણ જહાજ. ચીની બેલિસ્ટિક મિસાઇલ અને સેટેલાઇટ ટ્રેકિંગ શિપ છે. 2.2 કરોડની વસતી ધરાવતા આ દ્વીપ પર પોતાનો દબદબો ફરી જમાવવાનો મોકો મળ્યો છે. છેલ્લાં 15 વર્ષથી ભારત અને ચીન હિંદ મહાસાગરમાં તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે શ્રીલંકા સાથે અનુકૂળ રાજદ્વારી અને વેપાર સંબંધો માટે સ્પર્ધા કરી રહ્યા હતા. જેમાં ચીનનો વિજય થયો છે. ભારતનો પરાજય થયો છે. શ્રીલંકાને મદદ કરતી વખતે દુનિયામાં મોદીનો ડંકો વાગ્યો હતો. શ્રીલંકાની મદદ બદલ ભારતના વખાણ થયા હતા. હવે બદનામ થયા છે. ભારતની સલામતી જોખમમાં આવી ગઈ છે.

https://twitter.com/FinMinIndia/status/1516173364963909634?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1516173364963909634%7Ctwgr%5E28ef3d5acee2d8b3bb1eabd72ffc77ec9bbe81a1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Findia-help-sri-lanka-in-dealing-with-its-worst-economic-crises-imf-chief-hails 

ચીન કોઈ પણ સંજોગોમાં શ્રીલંકાના દૃષ્ટિકોણને સ્વીકારવા તૈયાર નથી. ચીનને કહ્યું કે, શ્ર્રીલંકા પર દબાણ કરવું સંપૂર્ણપણે અયોગ્ય છે. ભારતે શુક્રવારે ચીનના વાંધાને ફગાવી દીધો હતો.

અમેરિકા – ભારતને મોટો ફટકો
ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને મજબૂત ચિંતા વ્યક્ત કર્યા બાદ શ્રીલંકા અને ચીનનો મોદીની નીતિને મોટો ફટકો માર્યો છે. શ્ર્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ ભારતીય રાજદ્વારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ચીનના જહાજના હંબનટોટા પહોંચવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકી રાજદૂત જુલી ચુંગે પણ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથેની બેઠકમાં જહાજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ ચીનના જાસૂસી જહાજે અચાનક પોતાનો ટ્રેક બદલી નાખ્યો હતો.

શ્રીલંકામાં ચીનના ગુપ્તચર જહાજને એન્કર કરવાની પરવાનગી પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન આપવામાં આવી હતી. મંજૂરી પ્રક્રિયામાં શ્રીલંકાના વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને શ્રીલંકા પોર્ટ ઓથોરિટી સામેલ હતી. આ મંજૂરી પ્રક્રિયાને શ્રીલંકા અને ચીન દ્વારા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. જ્યારે ભારતે આ મામલે શ્રીલંકાની સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.

ભારતે કોંગ્રેસ સરકારોથી લઈને પરંપરાગત રીતે હિંદ મહાસાગરમાં ચીનના લશ્કરી જહાજો અંગે કડક વલણ અપનાવ્યું છે. પહેલી વખત ચીને શ્રીલંકા કબજે કર્યું છે. કોલંબોએ ચીનની પરમાણુ સંચાલિત સબમરીનને તેના એક બંદર પર ડોક કરવાની મંજૂરી આપ્યા બાદ 2014માં ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. શ્રીલંકાના અધિકારીએ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અદાણીને કામ આપવાનું દબાણ કર્યું હોવાના આરોપો મૂક્યા હતા.

શ્રીલંકાએ તેનું બંદર ચીનને લીઝ પર આપ્યું છે. 2017 માં, કોલંબોએ દક્ષિણ બંદર ચાઇના મર્ચન્ટ પોર્ટ હોલ્ડિંગ્સને 99 વર્ષ માટે લીઝ પર આપ્યું હતું. કારણ કે શ્રીલંકાએ ચીન પાસેથી લીધેલું દેવું ચૂકવવામાં અસમર્થતા દર્શાવી હતી.

વિશ્વ બૅન્ક તેને 600 મિલિયન ડૉલરનું ધિરાણ આપવા સંમત થઈ હતી.

ભારતની મદદ
શ્રીલંકાને ભારતે કરોડો રૂપિયાની મદદ કરી છે. ભારતે શ્રીલંકાને અલગઅલગ રૂપમાં 3.5 અબજ ડૉલરની મદદ કરી છે.
ભારતે સમયસર ઈંધણ અને ભોજનસામગ્રી મોકલીને મદદ કરી છે. ભારતની મદદ વગર શ્રીલંકા માટે સમય વધારે મુશ્કેલ બન્યો હોત.
ભારતના અદાણી ગ્રૂપને કોલંબો પોર્ટ પર વેસ્ટર્ન કન્ટેઇનર ટર્મિનલ વિકસાવવા અને તેના સંચાલનમાં મોટી ભાગીદારી આપવામાં આવી હતી.
ભારતે 1.9 અબજ ડૉલરની ખાતરી આપી હતી. આયાત માટે વધારાના 1.5 અબજ ડૉલરનું ધિરાણ આપવાનું નક્કી કરાયું હતું.
ભારતે પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી માટે પડોશી દેશને 500 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ પ્રદાન કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતે 65,000 ટન ખાતર અને 4 લાખ ટન ઇંધણ પણ મોકલ્યું હતું. ભારતે તબીબી પુરવઠો મોકલવા નક્કી કર્યું હતું. ભારતમાંથી વાજબી ભાવે ડુંગળી આપવામાં આવી હતી.

બદલામાં ભારતે એક કરાર મેળવ્યો છે, જે અંતર્ગત ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનને બ્રિટિશનિર્મિત ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મમાં પ્રવેશની મંજૂરી મળી છે.
ભારતમાંથી શ્રીલંકાને મદદનો હાથ લંબાવવામાં આવ્યો હતો. વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલા દાન પછી, ભારતે 25 ટન તબીબી પુરવઠો પૂરો પાડ્યો હતો.
ભારતની ત્રિંકોમાલી નજીક 100 મેગાવોટ પાવર પ્લાન્ટ વિકસાવવાની નેમ છે. 44,000 ટન યુરિયા ખાતર આપ્યું હતું.
શ્રીલંકાને મદદ કરતી વખતે દુનિયામાં મોદીનો ડંકો વાગ્યો હતો. શ્રીલંકાની મદદ બદલ ભારતના વખાણ થયા હતા. હવે બદનામ થયા છે. ભારતની સલામતી જોખમમાં આવી ગઈ છે.

અગાઉની મદદ
શ્રીલંકામાં મે 2009માં વિદ્રોહીઓની હાર સાથે ગૃહયુદ્ધ પૂરું થયું હતું અને ભારતે ગૃહયુદ્ઘ વખતે શ્રીલંકાની સરકારનો સાથ આપ્યો હતો. 1980માં કેટલાક શ્રીલંકન તામિલ વિદ્રોહીઓએ ભારતમાં શરણ લીધું હતું ત્યાર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ આવી હતી. રાજીવ ગાંધીએ શ્રીકંલાની મદદે લશ્કર મોકલ્યું હતું. ભારતના 1200 સૈનિકો સહિદ થયા હતા. પછી રાજીવ ગાંધીની હત્યા તમિલ ટાઈગરે કરી હતી. શ્રીલંકમાં તામિલ બહુમતીવાળા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રીલંકન નાગરિકોએ ભારતના તામિલનાડુમાં શરણ લીધું છે. 2009માં ગૃહયુદ્ધ સમાપ્ત થયા પછી ભારતે શ્રીલંકાની સરકારને ટેકો આપ્યો હતો. જોકે શ્રીલંકાએ 1987ની ભારત-શ્રીલંકા શાંતિ સમજૂતીનો અમલ કરવાનું બાકી છે, જેમાં તમિલોની બહુમતી ધરાવતા તમામ પ્રાંતોને સત્તા સોંપવાનું વચન આપવામાં આવ્યું હતું.

ચીનની લોન
ચીને શ્રીલંકાને અત્યાર સુધી 6.5 અબજ ડૉલરથી વધુની લૉન આપી છે જે શ્રીલંકા પરના કુલ દેવામાંથી 10 ટકા જેટલી છે.
શ્રીલંકામાં ચીનનું ઘણું રોકાણ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સાથે ચીન શ્રીલંકાના મુખ્ય લેણદાર છે. USD 4 બિલિયનની આર્થિક સહાય પૂરી પાડી છે. 2021ની શરૂઆતમાં આર્થિક સંકટ સાથે શ્રીલંકાની સરકારે તેની વિદેશી હૂંડિયામણની અછતને પહોંચી વળવા ચીન પાસેથી લોન લીધી હતી. કરન્સીની સ્વેપ સુવિધા પણ મેળવી હતી.1948 માં સ્વતંત્રતા પછી તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો શ્રીલંકા કરી રહ્યું છે.

નાદાર દેશ
નાદાર દેશ ખોરાક, ઇંધણ, દવાઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે. ઘણા દિવસો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ લોકોને પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શ્રીલંકાની જૂની કેબિનેટે રાજીનામું આપવું પડ્યું છે. એક સમયે સત્તાના શિખરે ચમકેલા રાજપક્ષે પરિવારે જનતાના દબાણને કારણે સત્તા છોડવી પડી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડવો પડ્યો હતો. તાજેતરમાં દેશમાં સર્વપક્ષીય સરકારની રચના કરવામાં આવી હતી. રાનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ભારતમાં આવું થઈ શકે છે. કારણ કે બાંગલાદેશને બાદ કરતાં કોઈ પડોશી સાથે ભાજપની મોદી સરકારને સારા સંબંધ નથી.

સંબંધો
મહિંદા રાજપક્ષેએ 2005માં પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પછી શ્રીલંકાના ચીન સાથેના વલણને “ઘરેલુ આર્થિક વિકાસને સક્ષમ કરતાં વધુ વિશ્વસનીય ભાગીદાર” તરીકે ગણવામાં આવતું હતું.

વધુ ને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચીનને આપવામાં આવ્યા હતા. જેમાં અબજો ડૉલરના હમ્બનટોટા બંદર અને કોલંબો-ગાલે એક્સપ્રેસ વેનો સમાવેશ થાય છે.

2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કોલંબોની પ્રથમ મુલાકાત પણ દિલ્હી માટે સ્પષ્ટ રાજદ્વારી સંકેત હતી.