એર ઈન્ડિયા ‘ટાટા’ સીવાય કોઈ ખરીદવા તૈયાર નથી

એર ઈન્ડિયાને ખરીદવા માટે હરરાજી માટે દોઢ મહિનો બાકી છે ત્યારે અત્યાર સુધીમાં એકમાત્ર ટાટા સમૂહે ઈચ્છા વ્યકત કરી છે. જો કે હાલમાં વિશ્વની અનેક નામાંકિત વિમાનની કંપનીઓ કોવિડ-19ની મહામારીના પગલે સંકટમાં મુકાઈ ગઈ છે. એકમાત્ર ટાટા સમુહ હરરાજી માટે આગળ આવી શકે છે. જયારે ઉદયમ એરલાઈન, સિંગાપુર એરલાઈને કોવિડ-19ના લીધે એર ઈન્ડિયા સાથે જોડાવવાની ના પાડી દીધી છે. હરરાજીની અંતિમ તા. 31 ઓગષ્ટ છે. જેની તારીખ લંબાવવામાં સરકાર ઈચ્છતુ નથી. એર ઈન્ડિયા કોવિડ-19 પહેલાથી જ સંકટનો સામનો કરી રહી છે.