Sunday, June 21, 2026

હીજરત કરી ગયેલા મજૂરો હવે સરકારી પોર્ટલ પરથી નોકરી શોધી શકશે

છેલ્લાં 5 વર્ષમાં 5 કરોડથી વધુ યુવકોએ કૌશલ્ય હાંસલ કર્યુ છે. કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટેના પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા હીજરતી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે. માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. હીજરતી શ્રમિકોના કૌશલ્યનો...

રશિયામાં રાજ્યપાલની ધરપકડ મામલે લોકો પુતિન સામે વિરોધ પ્રદર્શન

રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્‌ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશં...

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેફામ, કેસમાં ૩૦૦ ટકાનો વધારો

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામ...

ગૂગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ) અને ગૂગલ એલ.એલ.સી. (ગૂગલ) એ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડના રોકાણ માટે બંધનકર્તા કરાર કરવાની જાહેરાત કરી હતી. ગૂગલ દ્વારા કરવામાં આવેલા આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.36 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. ગૂગલનું આ રોકાણ જિયો પ્લ...

નર્મદા યોજના છતાં, ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100 ટકા વધી

ગાંધીનગર, 15 જૂલાઈ 2020 ગુજરાતમાં જ્યારે નર્મદા યોજના બની રહી હતી ત્યારે રાજકારણીઓએ પોતાના પક્ષના મત ખંખેરવા માટે અનેક પોપલીલા કરીને ખેડૂતોને ભ્રમમાં નાંખ્યા હોવાનું હવે સાબિત થઈ રહ્યું છે. નર્મદા નહેરોમાં 18.50 લાખ હેક્ટરમાં સિંચાઈ આજે થવી જોઈએ તેના 20 ટકા માંડ થઈ રહી છે. નહેરો બનાવવામાં ભાજપ સરકાર સદંતન અણઆવડત ધરાવતી સાબિત થઈ છે. દેશના પ્રધાન મં...

મુંબઈના ટેક્ષી ડ્રાઈવરોની જેમ ગુજરાતના રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફરજ...

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે. રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી...

કોરોનાના વધતા સંક્રમણને લીધે બિહારમાં 17 દિવસનું લોકડાઉન

કોરોના મહામારી વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમ...

કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા

ગાંધીનગર, 14 જૂલાઈ 2020 14 જાન્યુઆરી 2020થી કમુરતા બેસતા હતા. તે પહેલાં ભાજપે જાહેરાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકની જાહેરાત કરી દેવામાં આવશે. જીતુ વાઘાણીની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને બીજા કોઈને બેસાડવાના હતા પણ ભાજપના કમુરતા જૂલાઈ આવી ગયો છતાં ઉતર્યા નથી. કમુરતા ઉતરતા BJPના કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ ...

ચંદનની ખેતી, 15 વર્ષના રોકાણ કરતાં 10 ગણો ફાયદો અપાવે છે

ગાંધીનગર, 14 જૂલાઈ 2020 ગુજરાતમાં ચંદન વૃક્ષની ખેતી કરનારા ખેડૂતો વધી રહ્યાં છે. જેમને દર વર્ષે ખેતી કરવી નથી અને પડતર કે ઓછી ફળદ્રુપ જમીન છે ત્યાં ચંદનની ખેતી વધી રહી છે. 15 વર્ષ પછી ઉપજ આપે છે. ત્યાં સુધી રોકાણ કરવું પડે છે. પણ શેઢા, ગમાણ કે કુવાની આસપાસ છૂટક ચંદન ઉગાડવામાં આવે તો તે સારૂં વળતર આપે છે. ચંદનની ખેતી જેટલી નફાકારક બતાવવામાં આવે છ...

કચ્છમાં અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે મીઠા પકવાના પ્લોટ બનાવાયા

કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના પ્લોટો બનાવામાં આવ્યા છે. તેને તાત્કાલિક દુર કરવા માંગ કરવામાં આવી છે. ભરૂડિયાના ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ભરૂડિયા ગામના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે જમીનપર કબ્જો કરી મીઠું પકવામાં આવી રહ્યું છે. તેઓ ઓવરલોડ ટ્રકોમાં મીઠાનું પરિવહન કરતા હો...

દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાતમાં, 240% નો વધારો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઊદ્યોગો માટે મુકત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછા હસ્તક્ષેપ છે ત્યારે આવનારા સમ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વીડિયો કોન્...

કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે પિચાઇએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ લૉકડાઉન લાગુ કરવાનું જે પગલું લીધું તેનાથી ભારતમાં આ મહામારી સામેની લડાઇનો એક મજબૂત પાયો નાંખી શકાયો છે. ખોટી માહિતીનો પ્રસાર રોકવા માટે ...

હું સાધુ તરીકે જીવ્યો નથી, પણ સાધુ તરીકે મરવું ગમશે, નગીનદાસ સંઘવી લેખ...

અમદાવાદ, 13 જૂલાઈ 2020 કટાર લેખક નગીનદાસ સંઘવીનું સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન થયું છે. ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષથી 100 વર્ષની ઉંમરે કટારલેખન કરતાં હતા. 26મી જાન્યુઆરીએ 99 વર્ષની વયે શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા હતા. મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરના...

ક્વાલકોમે જિયો મોબાઈલ ફોનનો રૂ.730 કરોડનો હિસ્સો ખરીદ કર્યો, Jio 25 ટક...

મુંબઈ, 13 જુલાઈ 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 12 જૂલાઈ 2020એ વાયરલેસ ટેક્નોલોજીની કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કંપની ક્વાલકોમ વેન્ચર્સ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું મૂડીરોકાણ કરશે. રૂ.4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને રૂ.5.16 લાખ કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્ય...

ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.ના ૧૩૮ પ્લોટનો ઇ-ડ્રો કરાશે

મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે  રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં  પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ ...