પાટીલની વિદાયમાં નારાજગીનો લાલ ઝંડો, પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં

પાટીલ સામે આટલો વિરોધ કેમ Patil’s departure is a red flag of displeasure, how did he fail? Why the protest? पाटिल का जाना नाराजगी का लाल झंडा है, कैसे हुए फेल? विरोध क्यों?

દિલીપ પટેલ
અમદાવાદ, 4 જાન્યુઆરી 2025
સી.આર.પાટીલે જાહેર મંચ પરથી કહ્યું છે કે, હું જઈ રહ્યો છું. મને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી છૂટો કરો.

ગુજરાતમાં 4 જાન્યુઆરી 2025થી ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખો માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. 10 તારીખ સુધીમાં 50 ટકા વિસ્તારમાં પ્રમુખોની નામની યાદી થશે જાહેર અને 15 જાન્યુઆરી બાદ કોઈપણ ઘડીએ પ્રદેશ ભાજપના નવા પ્રમુખના નામની થશે જાહેરાત.
તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશકક્ષાએથી થઇ ગઈ, હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે.
સાડા ત્રણ વર્ષ પાટીલ પક્ષ પ્રમુખ રહ્યાં તેમાં અડધા ગુજરાતમાં તેઓ નારાજગી અને બળવો ફંકે એવા કાળા કામો કરતાં ગયા છે. જીતુ વાઘાણી પછી સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઈ ત્યારે તેમનું કોઈ જગ્યાએ પ્રમુખ તરીકે નામ ચર્ચાતુ નહોતુ. તેમને દિલ્હીથી સીધા ઉતારી દેવામાં આવ્યા હતા.

સી આર પાટીલે હમણાં જ દિલ્હીમાં પાર્ટી રાખી જેમાં ગુજરાતમાંથી કેટલાં નેતાઓ હાજર હતા. જેમાં ઉદાય એક હતા.

14 જાન્યુઆરી પછી જાહેર થઈ શકે છે.

પાટીલને પાણી પ્રધાન બનાવી દેવાયા બાદ, તેમના સ્થાને રાજકોટ ઉદય કાનગડ, જગદીશ વિશ્વકર્મા, દેવુભાઈ ચૌહાણ, મયંક નાયક, પૂર્ણેશ મોદી, વિનોદ ચાવડા, ગોરધન ઝડફીયા હોઈ શકે. કોઈ કહી ન શકે.

ભાજપ કોંગ્રેસમય બની જતાં વિખવાદો વધ્યા છે. શિસ્તના નામે અને અન્ય સમાધાનકારી યુક્તિ પ્રયુક્તિથી વિવાદ ઉપર અંકુશ લાવતાં હતા. પણ વિવાદનો અંત નથી આવતો. ભાજપમાં એક બાદ એક આંતરિક વિખવાદ સામે આવી રહ્યા. દિલીપ સંઘાણીએ તો પાટીલ સામે ખુલ્લો બળવો કરીને તેમને કોંગ્રેસથી લાવેલાં કાર્યકરો અને નેતાઓની સંભળાવી હતી. જયેશ રાદડિયાએ પણ પાટીલ સામે બાંયો ચઢાવી હતી.

ભાજપમાં વિવાદનું એપી સેન્ટર વડોદરા બની ગયું છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના વિખવાદોનું એપી સ્નેટર વડોદરા હતું. છેલ્લી 3 ચૂંટણીથી આવું થઈ રહ્યું છે.

વડોદરા
વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ 2025માં પણ જોવા મળે છે. વડોદરાના ભાજપના નેતાઓએ હમાણાં જ આવી એક વિવાદાસ્પદ બેઠક બોલાવી હતી.
વિવાદો ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ. કામ થવા જોઇએ તે થતા ન હોવાથી કેતન ઇનામદારમાં નારાજગી જોવા મળતી હતી.કેતન ઇનામદારની છાપ તેમના વિસ્તારમાં એક દબંગ નેતા તરીકેની છે, તેઓ પોતાના લોકો માટે કાર્યકર્તાઓ માટે કામ કરતા જોવા મળ્યા.

લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગીનો દોર સામે આવ્યો છે

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાત્રે બે વાગે વિધાનસભા અધ્યક્ષ ઈ. મેઈલ મારફતે રાજીનામું આપ્યુ છે. બે ટર્મથી ચુંટાતા સાવલીના ભાજપના ધારાસભ્ય 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. માન સન્માન જળવાતું ન હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજ છે. કેતન ઇનામદાર અગાઉ 2020 માં પણ રાજીનામું આપ્યું હતું. અધિકારીઓ તેમની વાત સાંભળતા નહીં હોવાનું કારણ આગળ કયુ હતું. પાછળથી સમજાવટ પછી આ રાજીનામું તેમણે પાછું ખેચ્યું હતું.

કોરોના કાળમાં ઓકિસજન અને રેમેડી સીવીલ ઇન્જેકશનના કાળા બજાર ના મામલે વિજય રૂપાણી સરકારને પત્ર લખીને વિરોધ વ્યકત કર્યેા હતો.

ઈનામદાર
ભાજપના ભરતીમેળાથી કાર્યકરો નારાજ છે. આત્મસન્માનથી મોટુ કોઈ નહીં. આત્મસન્માનનો અવાજ ભાજપના અનેક કાર્યકર્તાઓમાં છે. ભરતી મેળાથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે. આત્મસન્માનના ભોગે રાજનીતિ ન હોય. મે તમામ સ્તરે મારી રજૂઆત કરી હતી. ભરતી મેળાથી માત્ર પોતે જ નહીં, અનેક કાર્યકર્તા નારાજ છે. માનસન્માનને ઠેસ પહોંચતા રાજનામું આપ્યું છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. ભાજપ પરિવારના જૂના સભ્યો અપમાનિત થઇ રહ્યા છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓ અપમાનિત થતા હોવાનો ઈનામદારે આરોપ લગાવ્યો હતો. મારા જેવી જ નારાજગી ભાજપના કાર્યકર્તાઓના આત્મામાં છે. મારા નારાજગીનો અવાજ અનેક કાર્યકર્તાઓનો છે.

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબગં મધુ શ્રીવાસ્તવે રંજનબેન ભટ્ટ સામે પોતાનો રોષ વ્યકત કર્યેા હતો

પૂર્વ મેયર
વડોદરામાં ડો. જ્યોતિ પંડ્યાનો વિરોધ હતો. ભાજપમાં આંતરિક વિખવાદ! વડોદરાનાં પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને ભાજપે કર્યાં સસ્પેન્ડ

વડોદરાના પૂર્વ મહિલા ધારાસભ્ય સીમા મોહીલે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના તેઓ મહામંત્રી છે. તેમની એક પોસ્ટે વીવાદ વધાર્યો . વડોદરાના પૂર્વ મહિલા ધારાસભ્ય સીમા મોહીલેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું છે. પ્રદેશ અથવા શહેર લેવલે નેતાથી તેઓ નારાજ હોય તે પ્રકારની પોસ્ટ તેમણે મુકતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ભાજપ શાસિત વડોદરા મનપાનો આંતરિક વિખવાદ હવે સી.આર.પાટીલ સુધી પહોંચ્યો હતો.

2023ના ભાજપના વિવાદો
પક્ષ પલટુઓ અને પક્ષનો એક જ ધર્મ હોય છે સત્તા અને અહં. જ્યારે સત્તા દેખાતી હોય ત્યારે લાલચુ રાજનેતાઓ પક્ષાંતર કરવાનું એક મિનિટ પણ વિચારતા નથી. પણ જ્યારે પોતાના સ્વમાન ઘવાતું હોય અને રાજીનામું આપી દેતાં હોય એવા મરજીવા રાજકારણીઓ પણ છે. જ્યારે બે નેતાઓના અહંકારને ઠેસ પહોંચતી હોય છે ત્યારે પણ પક્ષને અલવિદા કરી દેતાં હોય.

મહેસાણા
કડીમાં નિતિન પટેલ અને ધારાસભ્ય વચ્ચે હુંસાતુંસી થઈ હતી.

પાટણ
લોકસભા ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં વિખવાદ છે. હારીજમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સામે વિરોધ છે. દશરથજી સગાવાદ કરતા હોવાનો આક્ષેપ. પાયાના કાર્યકર્તાઓની અવગણના થતાનો પણ આક્ષેપ છે.

બનાસકાંઠા
બનાસકાંઠાના દિયોદરમાં ભાજપમાં આંતરિક વિખવાદ

સોજીત્રા નગરપાલિકા સુપરસીડ
સોજીત્રા પાલિકામાં ભાજપના જ છ સભ્યોએ સત્તા મેળવવા કોંગ્રેસ પક્ષ સાથે ગઠબંધન કર્યુ હતું. કોંગ્રેસના સમર્થનથી ભાજપના 6 સભ્યોએ સત્તા મેળવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના નિર્ણય સામે પક્ષનો બળવો હતો. ભાજપમાં સત્તાનો સ્વાર્થ પ્રવેશી ગયો હતો. એટલે બળવો થયો હતો.
પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
રાજકારણમાં સત્તા ટકાવી રાખવા માટે મુખ્યત્વે રાજકીય ચક્રવ્યૂહ સહિતના આટાપાટાની રમતો થતી હોય છે. હઠાગ્રહ રાજહઠમાં ફેરવાયો છે, રાજ હઠ પર ભાજપના અનેક નેતાઓ છે.
2005માં સોજીત્રા ગ્રામ પંચાયતમાંથી પાલિકા મોદીએ બનાવી હતી ત્યારથી વિવાદો હતા.
ભાજપના પ્રમુખની હાર થઈ હતી.

બોરસદ ગુમાવી
અગાઉ બોરસદ પાલિકામાં પણ ભાજપે સત્તા ગુમાવી હતી. બોરસદ નગરપાલિકાને પણ બરતરફ કરી હતી. વિવાદ ચાહે બોરસદનો હોય,ઉમરેઠનો હોય કે જિલ્લા પ્રમુખના મત વિસ્તાર સોજીત્રાનો હોય સ્થાનિક આગેવાનો જિલ્લા સંગઠનને ગાઠતાં ન હતા.

સોજીત્રાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે પરિસ્થિતિ સ્થિર હોવાનો દાવો કરી રહ્યાં હતા. પણ એવું ન હતું.

રાજકોટ
રાજકોટમાં વડાપ્રધાનના આગમન પૂર્વે, શહેર ભાજપના અગ્રણીઓની મેયર બંગલે મળેલી બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે વાખવાદો ઝયા હતા. શહેર પ્રમુખ મુકેશ દોશીએ ટકોર કરી કે, ધારાસભ્ય દર્શિતાબેન કેમ દેખાતા નથી. વચ્ચે તું તું મેં મેં થઈ હતી.

આ પહેલા જ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. બેઠકમાં શહેર પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ ગઈ હતી. ધારાસભ્યએ શહેર પ્રમુખ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી હતી.

જસદણ
જસદણ તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેનો વિવાદ હતો. જસદણ તાલુકા ભાજપમાં વિખવાદ ચરમસીમાએ – સોનલ વસાણીનું રાજીનામું હતું.

કલોલ
કલોલ નગરપાલિકાની ચૂંટણીના મુદ્દે ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ અને ધારાસભ્ય વચ્ચે તનાવ બહાર આવ્યો હતો. નિતિન પટેલને મહેસાણાથી લોકસભાની ચૂંટણી લડવી હતી. પણ પક્ષે તેમને ના પાડી દીધી હતી. તેથી વિખવાદો વધ્યા હતા.
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોકમાં ભાજપની યાદવાસ્થળી કેવી હતી તે ગંદા રાજકારણની સમજ આપે છે.

31 ઓક્ટોબર 2023માં કલોલ નગરપાલિકામાં ભાજપના 9 કોર્પોરેટરો – સભ્યોએ સાગમટે રાજીનામાં આપી દીધા હતા. અધ્યક્ષ તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણૂક થતા રાજીનામાં ધર્યા હતા. અગાઉ પ્રમુખની નિમણુંકમાં રાજીનામાં આપી દેવામાં આવ્યા હતા. સત્તાની સાઠમારી હતી. અસંતોષ હતો. બીજા દિવસે વધુ 3 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા હતા. આ સાથે રાજીનામું આપનારા 12 કોર્પોરેટરો થયા હતા.
જેનો પડઘો ધારાસભ્ય અને ભાજપના નેતા નિતિન પટેલ વચ્ચે જોવા મળ્યો હતો.

અમદાવાદ પશ્ચિમ
દાણીલીમડાના ભાજપના જ કાર્યકરો આક્ષેપ કરતા કહે છે કે, સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ પોતાના ભૂતપૂર્વ પીએનાં એનજીઓને તેમજ પોતાના માનીતાઓની સંસ્થાઓને કરોડો રૃપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. તે રકમમાંથી જ જશદણમાં શૌચાલયો બનાવવામાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. એવો આક્ષેપ પણ છે કે જે કંઈ ગ્રાન્ટ અપાતી હતી તેમાંથી 30 થી 40 ટકા રકમ સંસદને પરત આપી દેવાતી હતી.

પ્રમુખ સામે વાંધો
કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષ પટેલ હતા. અગાઉ પ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી થઈ હતી ત્યારે પણ આ કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા હતા.

ખરેખર તો પક્ષ પ્રમુખને ચૂંટી કાઢવાનો અધિકાર તો કાઉન્સેલરોનો છે. પણ ભાજપ હંમેશાં ઉપરથી જ નગરપાલિકાના પ્રમુખ ઠોકી બેસાડે છે.

મહુવા
નવેમ્બર 2022માં મહુવા બેઠક પર ભાજપમાં ભડકો થયો હતો. જેના પડઘા 2024માં પણ પડતાં રહ્યાં હતા. ઉમેદવારનું નામ જાહેર થતા જ ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કપાતા 400 કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા. મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા હતા. શીવાભાઈ ગોહિલને ટિકિટ આપતાં આવું થયું હતું.

નરોડા
અમદાવાદની નરોડા બેઠક ઉપર પાયલ કુકરાણીને ટિકિટ મળતા નારાજગી જોવા મળી રહી હતી. તેમણે ઉમેદવાર સિંધી હોવા છતાં OBC માં લગ્ન કર્યા હોવાથી કાર્યકર્તાઓમાં નારાજગી હોવાનો દાવો કરી કહ્યું, પાયલ કુકરાણીએ લગ્ન થયા હોવા છતાં માહિતી છુપાવીછે. મહેસાણા ભાજપમાં આંતરિક વિખવાદ છે. ભાજપ શાસિત ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું પડી ગયું હતું.
ગુજરાત રાજકારણમાં અત્યારે ધારાસભ્યોના પક્ષાંતરની ઋતુ જામી છે.

ખંભાત
કૉંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું.

વિસાવદર
આમ આદમી પક્ષીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી રાજીનામુ આપ્યું છે. આ શ્રેણીમાં હર્ષદ રીબડીયાનો પણ સમાવેશ થાય છે.

સુનિયોજિત ઓપરેશનઃ ભાજપ સિવાયના પક્ષોમાંથી ધારાસભ્યો રાજીનામા આપે અને પછી ભાજપમાં જોડાય તે પક્ષાંતરનું ઓપરેશન છે.
ભાજપ સંગઠનમાં પ્રભાવ ધરાવતા પ્રદીપ સિંહ વાઘેલાનું સ્થાન હવે બોધરાને લેવું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તેથી રાજકોટમાં વિવાદો છે.

ભાજપ સિવાયના પક્ષોના ધારાસભ્યો રાજીનામું આપે ત્યારે ભરત બોધરાની સૂચક હાજરી જોવા મળી હતી. જે પહેલાં જાડેજા હાજર રહેતાં હતા.

પક્ષાંતર
ભાજપમાં ભેળવવામાં ભાજપને બહુ રસ છે. જો કે ભાજપની આ માનસિકતાથી ભાજપના સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો નારાજ છે. ભાજપમાં જ મૂળ ભાજપના અને આયાતી ઉમેદવારો એવા બે ગ્રૂપોની હાજરી સ્પષ્ટ જોવા મળે છે.

અત્યાર સુધીમાં 60થી વધુ ધારાસભ્યો, સાંસદો અને અગ્રણીઓ ભાજપમાં પક્ષાંતર કરીને આવેલા છે. ભાજપનો ખેસ પહેરી લેનારા આ પક્ષબદલુઓમાં મુખ્યત્વે કોંગ્રેસના અને આમ આદમી પક્ષના છે. તેમની સામે કાર્યકરોને વાંધો છે.

ગુજરાતમાં ભાજપ વિધાનસભામાં ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને જીત્યા પછી પણ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે 25 હજાર લોકોનું ભાજપમાં પક્ષાંતર કરાવવામાં આવ્યું છે.

પક્ષાંતરથી કાર્યકરો નારાજ હોવાથી તેની રણનીતિના રૂપમાં ગ્રામીણ વિસ્તારોની તેની વોટબૅન્ક ઓછી હોવાથી હવે ગામડાં ભાજપે યાત્રા કાઢવી પડી હતી.

ભાજપનો દાવો છે કે આ વખતે પણ ભાજપ 26માંથી 26 બેઠક 5 લાખની સરસાઈથી જીતશે. પણ કાર્યકરોના દીલ જીતી શક્યા નથી. તેથી લીડ ન મળી તે પાટીલની મોટી હાર છે.

સેમી અર્બન અને રૂરલ વિસ્તારમાં ભાજપ વિરોધી વોટની સંખ્યામાં ઘટાડો નથી થયો, જે 2022ના વિધાનસભાનાં પરિણામોમાં જોવા મળે છે. આવું લોકસભામાં થઈ શકે છે.

વિકાસ માટે ઉદ્યોગોને જમીન અપાઈ રહી છે પણ ગામડાંમાં રોજગાર નથી વધ્યો. ખેડૂત ભાજપથી વિમુખ છે. ગામડાંના કાર્યકરો આ કારણે દુઃખી છે. આપ પક્ષને ગામડાંમાં 14.6 ટકા અને સેમી અર્બન એરિયામાં 10.7 ટકા મત મળ્યા હતા.

પછાત
ગુજરાતમાં ઓબીસીની વસ્તી 52 ટકા છે. જે ભાજપથી ઘણે અંશે નારાજ છે. ગ્રામ્ય વિસ્તારમાં વસતા ભાજપના કાર્યકરો લોકોના સવાલોનો સામનો કરી રહ્યાં છે.

કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયા ભાજપમાં આવ્યા છે ત્યારથી ભાજપના કાર્યકરો નારાજ છે.
વીંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ કુંવરજી બાવળીયા પર ગંભીર આરોપ લગાવ્યો હતા. સુરતના કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં માજી મંત્રી કુંવરજી બાવળિયાને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હતો. બાવળિયાએ કહેવું પડ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ તો હું જ છું અને રહીશ.

ભાજપના જ પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયા સામે ભાજપના જ પૂર્વ મહામંત્રીએ આક્ષેપ કર્યા હતા.
જસદણ ભાજપમાં જૂથવાદમાં ભુપતભાઈ કેરાળીયા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આમને-સામને હતા.

મનસુખ વસાવા
ભરૂચ વિસ્તારમાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુબ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખનન, જીઆઇડીસીમાં કોન્ટ્રક્ટ વેગેરે જેવી બાબતોને લઇને ભાજપના નેતાઓમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. મનસુખભાઇ વસાવા પણ આ વિખવાદના ભોગ બન્યા છે. જેથી તેમને પણ આ વખતે ચૂંટણી ન લડવાની ઇચ્છા દર્શાવી હતી.
આંતરિક વિખવાદ ખુલ્લો પડી ગયો છે. જેથી લોકો પણ કંટાળી ગયા છે.
મનસુખ વસાવા પણ ભાજપના સ્થાનિક વિખવાદોથી કંટાળી ગયા છે.

ચંદ્રકાંત પાટીલના નવસારીમાં વિવાદો છે.
નવસારી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાજપમાં જોડાયા બાદ વિખવાદો થતાં રહે છે.
વલસાડ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર પ્રવીણ કચ્છી પોતાના માથાના અડધા વાળ અડધી મૂછો અને અડધી દાઢીનું મુંડન કરાવ્યું હતું. નારાજ થઈને આ વિચિત્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભાજપમાં અલ્પેશ ઠાકોર સામે આંતરિક વિરોધ છે. ત્યાંના લોકોને સેટ નથી થતું.

ઘણા નેતાઓ સામે પાટીલ પક્ષપાતી બન્યા હોવાથી નારાજ છે.
પક્ષપલ્ટુઓ પર ભાજપ મહેરબાન થઈ છે. સનિષ્ઠ અને પાયાના કાર્યકરોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. નેતાઓ ભાજપના ગાંધીનગર કાર્યલય ખાતે રજુઆત કરી તેઓ થાક્યા છે.

પાદરા, વાઘોડિયા અને કરજણ બેઠક પર પણ કાર્યકરો નિરાશ થયા છે. ટિકિટ કપાતા દબંગ લોકો ગુસ્સે ભરાયા છે. વાઘોડિયા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ ભાજપને નુકસાન કરી શકે છે.

ભાજપના રિપિટ ઉમેદવાર સામે વિપુલ ચૌધરીને મેદાને ઉતર્યા હોવાથી ઉત્તર ગુજરાતમાં અંદરથી વિરોધ છે. બોટાદમાં નવા ચહેરા સામે કાર્યકરોનો વિરોધ રહ્યો છે. ઘનશ્યામ વિરાણી હારી ગયા હતા. ઉમેશ મકવાણા સામે લડાઈ હતી.

બોટાદ: ગઢડા નગરપાલિકામાં ભાજપમાં વિખવાદ, નગરપાલિકા સભ્યએ રાજીનામુ આપ્યું.

વિજાપુર વિધાનસભા બેઠક પર સ્થાનિક કાર્યકરોમાં કચવાટ આજે પણ ચાલે છે.

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા
પાટીલે રૂમાલ રાખીને ભાજપની બસમાં રોકેલી જગ્યા આખરે અંબરીસ ડેરે મેળવી હતી. પણ કાર્યકરો તે વાત ચલાવી લેવા તૈયાર નથી. કોંગ્રેસ છોડી રહ્યા છે. અનેક કોંગ્રેસ નેતાઓએ પક્ષાંતર કરીને ભાજપનો ખેસ પહેરી લીધો છે.

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ અનેક વખત અંબરીશ ડેરને ભાજપમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપી ચૂક્યા છે. ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, તેમને ખખડાવવાનો મારો અધિકાર છે.

2002થી લઈને અત્યાર સુધી લગભગ સો જેટલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં પક્ષાંતર કર્યું છે ત્યાં ભાજપના મૂળ કાર્યકરો ખુશ નથી. ભાજપના કાર્યકર્તાઓને હવે લાગે છે કે બહારથી આવેલા લોકો તેમનામાંથી ભાગ પડાવે છે. અસંતોષ હોય, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ જાહેરમાં વિરોધ કરતાં નથી.

નનામી પત્રિકા
રાજકોટમાં અનામી પત્રિકા વાઇરલ થઈ હતી. જેમાં પક્ષનો વિશ્વાસુ ‘એક ગાભામારુ કાર્યકર’ના નામથી આ પત્રિકા લખવામાં આવી છે. આ પત્રિકા પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલને સંબોધીને લખવામાં આવી હતી.

કેટલાંક વર્ષોથી ભાજપ પક્ષમાં કૉંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ-નિગમ સહિત પક્ષ અને સંગઠનમાં જે મહત્ત્વના હોદ્દા આપવામાં આવે છે.
જેને કારણે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓ માટે ખુરશીને ગાભા મારવાની સ્થિતિ પેદા થઈ છે. ભાજપના જૂના કાર્યકર્તાને લોકો સોશિયલ મીડિયામાં ‘ગાભામારુ’ તરીકે સંબોધીને મશ્કરી કરતા જોવા મળે છે.

અસલી કાર્યકરોને અનામત આપો
ગુજરાત ભાજપ સંગઠનમાં મૂળ લોકો માટે 14 ટકા અનામતની જોગવાઈ કરવાની માંગણી કરી હતી.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા માટે 40 ટકા અનામતની રમત બતાવી હતી. પક્ષ ફંડ આપતા લોકો માટે 30 ટકા અનામત રાખવામાં આવે.
નવા જોડાયેલા સેલિબ્રિટી કે ઘરવાપસી થયેલા હોય તેવા લોકો માટે 16 ટકા અનામત રાખવી જોઈએ.

આ જ પ્રકારની વધુ એક પત્રિકા સુરતમાં પણ વાઇરલ થઈ હતી.

વિખવાદો અને ચૈતર વસાવાને કારણે ભાજપે ભરૂચમાં મનસુખ વસાવાને રિપીટ કરવા પડ્યા છે.

પૂનમ માડમને પડતાં મુકાવાની અટકળો વચ્ચે ભાજપે ત્રીજી વખત ટિકિટ કેમ આપી?

કૉંગ્રેસ પાસે સૌરાષ્ટ્રમાં એક જ ધારાસભ્ય બાકી રહે છે અને તે છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે. ધારાસભ્યો ભાજપમાં પક્ષાંતર કરી ગયા હોવાથી તેની સામે ભારે વિરોધ છે.

અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર ભાજપમાં ગયા હતા.

પક્ષ બહારથી આવેલા નેતાઓને પદ મળી જાય છે, તેને કારણે ભાજપના નાના કાર્યકર્તાઓમાં કચવાટ પેદા થયો છે.

સુરત શહેર યુવા ભાજપના પૂર્વ મહામંત્રી મોનિલ ઠાકર પણ નારાજ હતા. ખરાબ લોકોને પક્ષમાં લેવાયા છે. માપદંડ નક્કી થવો જોઈએ. તેઓ કાર્યકરોના નેતા બની જાય છે, જે વર્ષોથી તેમની સામે લડ્યા હતા. જેને કારણે ભાજપના જૂના કાર્યકર્તાઓના નૈતિક બળ તૂટી ગયું છે. સ્વાભિમાન પણ ઘવાય છે.

કાર્યકર આજે નહીં તો કાલે તક મળશે તેવી આશામાં પક્ષનું કામ કરે છે. જેઓ ભાજપને અપશબ્દો કહેતા હતા, તેઓ આજે તેમના નેતા બની ગયા છે.

પાટીલ, મોદી અને શાહનું રાજકારણ છે. ભાજપની આ પાવરગેમ છે. સત્તાનાં સમીકરણો જ ધ્યાને લેવાય છે. કાર્યકર્તાઓ નારાજ હોય તો તેઓ સીધો વિરોધ વ્યક્ત કરી શકતા નથી.

વિજય રૂપાણી જૂથ
જ્યારથી સી. આર. પાટીલ ગુજરાત પ્રદેશઅધ્યક્ષ બન્યા છે ત્યારથી રાજકોટ ભાજપમાં રૂપાણી જૂથને સાઇડલાઇન કરી દેવામાં આવ્યું છે, જેને કારણે આ પત્રિકા જેવો અસંતોષ અવારનવાર પ્રગટ થતો રહે છે.

અંદરખાને નારાજગી છે પણ બહાર અસંતોષ દેખાતો નથી. ભયને કારણે પણ કોઈ પક્ષ સામે બોલવા તૈયાર નથી. પહેલાં કોઈ કાર્યકર્તાઓને ટિકિટ ન મળે તો કાર્યાલયે દેખાવો થતા હતા આજે કોઈની બોલવાની હિંમત નથી.

રાજકોટના કાર્યકર્તાઓએ કિરણ પટેલને લોકસભાની ટિકિટ આપી તો કાર્યકર્તાએ તેમને હરાવીને પરચો આપ્યો હતો. આજે રાજકોટ બહારના એવા પરશોત્તમ રૂપાલાને ટિકિટ મળી છે, તો વિરોધ કરનારું કોઈ નથી. રાજકોટની નેતાગીરીને કટ ટુ સાઇઝ કરી દેવામાં આવી છે. જેને કારણે કાર્યકર્તાઓમાં છૂપો અસંતોષ છે.

રાજકોટ કૉંગ્રેસના નેતા અને શહેરના પૂર્વ મેયર અશોક ડાંગર એક સમયે કૉંગ્રેસથી નારાજ હતા અને તેઓ તેને કારણે ભાજપમાં ગયા હતા. પરંતુ ભાજપ માફક નહીં આવતા તેઓ કૉંગ્રેસમાં પરત ફર્યા હતા. અશ

અરવિંદ લાદાણી ભાજપમાં જોડાયા બાદ તરત જ કહ્યું કે, માણાવદરથી ચૂંટણી લડીશ. કૉંગ્રેસ મૂળ ધરાવતા ભાજપના નેતા જવાહર ચાવડાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જવાહર ચાવડાનું શું થશે?

પ્રદેશ પ્રમુખ
2020માં પાટીલ
1985 એ. કે. પટેલ
1986થી 1991 શંકરસિંહ વાઘેલા
1993માં કાશીરામ રાણા
1996માં વજુભાઈ વાળા
1998થી 2005 રાજેન્દ્ર રાણા
આર.સી. ફળદુ 6 વર્ષ રહ્યાં