લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચોક્કસ કોમને લક્ષ્ય બનાવીને કહ્યું કે તેઓ કોરોના માટે જવાબદાર છે. પણ તેઓ ગુજરાતની પ્રજા સમક્ષ હળાહળ જુઠ્ઠું બોલ્યા હતા. જે અંગે એક મહત્વનો પુરાવો તેમના જ શબ્દોનો બહાર આવ્યો છે. 20 માર્ચના રોજ જાહેર કરેલ વિડીયોમાં
આપે જણાવ્યું છે કે 20 માર્ચ સુધી 5 કોરોના પોજેટીવ કેસ આવેલ છે જે લોકો વિદેશથી આવેલ ગુજરાતીઓ છે.
પ્રતિ શ્રી,
વિજયભાઈ રૂપાણી સાહેબ
મુખ્યમંત્રી શ્રી, ગુજરાત
વિષય: ધાર્મિક અસહિષ્ણુતા ના ફેલાવવા અને રાજયમાં કોરોના મહામારી ઉપર શ્વેત પત્ર લાવવા બાબત
સાહેબશ્રી, આપના દ્વારા તારીખ 24-4-20 ના રોજ એક વિડીયો સંદેશ આપવામાં આવેલ હતો જેમાં આપે જણાવ્યું કે માર્ચમાં વિદેશથી આવેલા 6000 લોકોને કોરાંટાઈન કરવામાં આવ્યા જેથી કોરોના ફેલાય નહીં પરંતુ કમનસીબે દિલ્લી નિજામુદ્દીનથી તબલીગો આવ્યા અને તેમના કારણે કોરોના ગુજરાતમાં ફેલાયો જેની નોંધ શનિવાર 25 એપ્રિલના દિવ્ય ભાસ્કર અહમદાબાદમાં પણ પ્રથમ પાનાં ઉપર લેવામાં આવેલ છે. આપના દ્વારા કહવામાં આવેલ આ વાત તદ્દન ખોટી, ભેદભાવપૂર્ણ, વિભાજનકારી અને બે સમુદાયો વચ્ચે નફરત પેદા કરવા વાળી છે. જેવુ કે આપ જાણો છો કે ચીનમાં 17 નવેમ્બર 2019 તેમજ અમેરીકામાં 20 જાન્યુઆરી 2020ના રોજ પહલો કોરોના કેસ રિપોર્ટ થયો, ભારતમાં કોરોનાનો પહલો કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ કેરેલામાં નોંધાયો અને ગુજરાતમાં પેહલા બે કેસ 19 માર્ચના રોજ આપના જિલ્લા રાજકોટ અને સુરતમાં નોધાયા, આપના દ્વારા 20 માર્ચના રોજ જાહેર કરેલ વિડીયોમાં https://youtu.be/S_x-xMApR0U આપે જણાવ્યું છે કે 20 માર્ચ સુધી 5 કોરોના પોજેટીવ કેસ આવેલ છે જે લોકો વિદેશથી આવેલ ગુજરાતીઓ છે.
સાહેબશ્રી વિશ્વ સ્વાથ્ય સંગઠન દ્વારા 30 જાન્યુઆરી 2020 ના રોજ COVID-19 ને એક આંતરરાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય આપાતકાલ ઘોષિત કરેલ હતો, જે એક અસાધારણ બીમારી બાબતની એક ઓપચારિક ઘોષણા હતી જે સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે પૂર્વતૈયારી કરવાની હોય છે, પરંતુ અમે જોયું કે જે સમય દરમિયાન આ પૂર્વ તૈયારી કરવાની હતી તે દરમિયાન આપણે નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં વ્યસ્ત હતા અને અમેરીકામાં 20 જાન્યુયારીના રોજ કોરોનાના કેસ શરૂ થઈ ગયા હોવા છતાં પણ આપણે 24 ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ કર્યો જેના આયોજન માટે ઘણા લોકો, અધિકારીયો, સુરક્ષકર્મીઓ, વાહનો અને કુતરાઓ પણ વિદેશથી આવ્યા હતા અને આખું અમદાવાદ ફર્યા હતા જે કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત સરકારનું આખું તંત્ર તનમન અને ધન થી 1 મહિના માટે ઊભા પગે કામમાં લાગેલું રહ્યું અને આ કાર્યક્રમમાં દેશ વિદેશ અને રાજયનાં બધા જિલ્લાઓમાથી 1 લાખથી વધુ લોકોને કોરોના બીમારો નો પડઘો હોવા છતાં ભેગા કરવામાં આવ્યા, જે લોકો આ કાર્યક્રમમાં આવ્યા તે લોકોના આરોગ્યની કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી કે કેમ એ પ્રશ્ન છે. આપશ્રી એ આ બાબતનો ખુલાસો કરવાની જરૂર છે ના કે તબલીગના નામે ખોટો ભ્રમ ફેલલવાની જરૂર છે. સાહેબ શ્રી સત્તામાં બેઠેલા બધા લોકોએ હાલ ધર્મ વિરોધી રાજનીતિ થી ઉપર આવીને ધ્યાનમાં લેવું જોઈએ કે અહમદાબાદ કે જ્યાં નમસ્તે ટ્રંપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યાં જ કોરોના ના વધુ કેસો છે, સરકારની આ ઘોર બેદરકારીનો ભોગ અહમદાબાદ અને ગુજરાતની જનતા બની રહી છે. સરકારે મોડા જાગીને વગર આયોજનનું લોકડાઉન કર્યું જેના લીધે લોકો જે તે જગ્યાએ ફસાઈ ગયા, ખોરાક ના મળવાને કારણે લોકો ભૂખ થી પીડાઈ રહ્યા છે, પોતાના ઘરે જવા માટે રસ્તા ઉપર ચાલીને નીકળી રહ્યા છે, રોજ રોજ નિયમો બદલાઈ રહ્યા છે અને આવી પરિસ્થિતીમાં પણ ધાર્મિક આભડછેટ રાખીને હિન્દુ મુસ્લિમ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવે છે, જેનાથી સ્પસ્ટ થાય છે કે સંપૂર્ણ પણે આ નિર્ણય કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી અને આયોજન વગર લેવાયા છે.
સાહેબ શ્રી આપ રાજ્યના મુખ્યમંત્રી છો અને આ પદ એક બંધારણીય પદ છે જે રીતે આપે એક સમાજ પર નિરાધાર આરોપ લગાવ્યો છે તે બંધારણના અનુચ્છેદ 51 નું ઉલ્લંઘન છે. આપની પાસેથી રાજ્યની અપેક્ષા દેશના બંધારણ અને સામાજિક સહિષ્ણુતાને મજબૂત કરવાની છે નહીં કે એક જમણેરી વિચારધારા ધરાવતા નેતા તરીકેની કે જે સમાજને અલગ થલગ કરે અને જેના થી દેશ કમજોર થાય.
તેમજ આપને અરજ છે કે ગુજરાતમાં 30 જાન્યુઆરી 2020 થી લઈને ફ્લાઇટ બંધ કરયા સુધીમાં વિદેશથી આવેલ દરેક લોકોના નામ જાહેર કરો અને તેમાંથી કેટલા લોકોની કોરોના તપાસ થઈ છે તે પણ જણાવો અને કોરોના મહામારી થી લડવાના આયોજન અને તૈયારી પર એક શ્વેત પત્ર લાવો. જેથી રાજ્યના દરેક નાગરિકને સમજાય કે કોરોના કોના લીધે ગુજરાત અને અહમદાવાદ માં પ્રવેશ પામ્યું અને વધ્યું.
મને ખાત્રી અને વિશ્વાસ છે કે આપ બંધારણની રક્ષા કરવાની શપથને યાદ કરીને એવા નિર્ણય લેશો કે જેનાથી રાજયમાં સામાજિક અને ધાર્મિક જોડાણમાં મજબૂતી આવે અને દરેક નાગરિકને સાચી વાત ની જાણ થાય, તેમજ આપણે સહુ મળીને આ મહામારી થી લડી શકીએ અને તેને હરાવી શકીએ.
તા- ૨૯-૪-૨૦
આપનો વિશ્વાસુ,
મુજાહિદ નફીસ
કન્વીનર
માઈનોરિટી કોર્ડિનેશન કમેટી
ડી ૪૦૪, હતીમ ૧, બાગે નિશાતની આગડ
સોનલ રોડ, જુહાપુરા
અહમદાબાદ, ગુજરાત, ૩૮૦૦૫૫
મોબ- ૯૩૨૮૪૧૬૨૩૦
ઈમેલ- nafeesmujahid43@gmail.com