Tag: AGN
અનિલ અંબાણી 2892 કરોડ નહિ ચુકવતા યસ બેંકે ADAG ગ્રુપની મિલ્કતો ટાંચમાં...
દેવાદાર અનિલ અંબાણીની મુશ્કેલીમાં હજી વધારો થયો છે. અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG) રૂ. 2,892 કરોડનું ચુકવણુ નહિ કરી શકતા યસ બેંકે મુંબઇ ખાતેના રિલાયન્સ સેન્ટર કે જે આ ગ્રુપનું હેડકવાર્ટર છે તે પોતાના કબ્જામાં લઇ લીધું છે. યસ બેંક આ ગ્રુપ પાસે રૂ. 12,000 કરોડ માંગે છે. યસ બેંકે શાંતાક્રુઝમાં એડીએજીના 21,000 ચો.ફુટના બિલ્ડીંગ ઉપર તથા સાઉથ મુંબઇના ન...
ગુજરાતમાં એપ્રિલ દરમિયાન ટેલિકોમ ઉદ્યોગે 11 લાખ યુઝર્સ ગુમાવ્યા
ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયો છે.
જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે. સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં મ...
અનલોક-3 માં શું ખુલશે અને શું નહિ એની પુરી માહિતી જાણો
ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા
ગૃહ મંત્રાલયે (MHA) આજે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ ખોલવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. અનલોક 3માં, કે જે 1લી ઓગસ્ટ, 2020થી લાગુ થશે, તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરી ખોલવાની પ્રક્રિયા આગળ જતાં વધુ વિસ્તારવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસ...
રાફેલને ભારતીય વાયુ સેનાના “ગોલ્ડન એરો” સ્ક્વોડ્રોનમાં સામ...
પહેલા પાંચ ભારતીય વાયુસેના (IAF) રફેલ વિમાન અંબાલાના એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. વિમાનને 27 જુલાઇ 20 ના રોજ સવારે 10 વાગ્યે ફ્રાન્સના મેસિનાક, ડસોલ્ટ ઉડ્ડયન સુવિધાથી ઉડ્યા હતા અને યુએઈમાં અલ ધફ્રા એરબેઝ પર આયોજિત સ્ટોપઓવર સાથે આજે બપોરે ભારત પહોંચ્યું.
ફેરીનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું અને IAFના પાઇલટ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું...
ભારત અને ઝિમ્બાબ્વે પરંપરાગત અને હોમિયોપેથી દવાઓનું જ્ઞાન પરસ્પર વેચશે...
કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે દવાઓ અને હોમિયોપેથી ક્ષેત્રની પરંપરાગત પ્રણાલીમાં પારસ્પરિક સહયોગ માટે થયેલા સમજૂતી કરાર (MoU)ને પાછલી અસરથી મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચે 2 નવેમ્બર 2018ના રોજ કરવામાં આવ્યો હતો.
વિગતો
આનાથી બંને દેશો વચ્ચે દવાઓ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં પરંપરાગત પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે પારસ...
આ વર્ષે નવરાત્રીમાં ગરબા કરવાની પરમિશન નઇ મળે: સરકાર
રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેને જોતા આ વર્ષે ગરબા યોજાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાના આયોજકો સીએમને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જોકે, સરકારે તેમને હાલની સ્થિતિને જોતા અત્યારથી પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે અ...
લોકડાઉનને કારણે રેલવેને અધધધ…. 35,000 કરોડના નુકશાનનો અંદાજ
ભારતીય રેલ્વે પેસેન્જર સેવા માર્ચથી બંધ કરી દેવાઈ છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસનો ફેલા વાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. હવે રેલવેએ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે ભારતીય રેલવેને નાણાકીય વર્ષ 2020-2021માં 35,000 કરોડનું નુકસાન થઈ શકે છે.
હાલમાં ભારતીય રેલ્વે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવે છે. રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે, અમે ફક્ત 230 વિશેષ ...
વાઘ દિવસ પર આવ્યા સારા સમાચાર: 2967 વાઘ સાથે વિશ્વના 70 ટકા વાઘ ભારતમા...
કેન્દ્રીય વન તેમજ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે ગ્લોબલ ટાઇગર ડેની પૂર્વસંધ્યાએ એક રિપોર્ટ જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં છે. એટલું જ નહીં 1973માં આપણાં દેશમાં માત્ર 9 ટાઇગર રિઝર્વ હચા. જેમની સંખ્યા હવે વધીને 50 થઈ ગઈ છે.
તેમણે કહ્યું તે એ પણ જાણવું જરૂરી છે કે આ બધાં ખરાબ સ્થતિમાં નતી. આ બધાં સારા છે કાં તો ...
પેસેન્જર ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની
સરકાર દેશમાં પ્રાઇવેટ માલગાડીઓ ચલાવવાની યોજના બનાવી રહી છે. સરકાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બન્યા પછી માલગાડી ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને સામેલ કરશે. હાલ દેશમાં ભારતીય રેલવે જ માલગાડી ચલાવે છે. તમને જણાવી દઈએ કે સરકારે 2023 સુધી પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માટે 16 કંપનીઓએ રસ દાખવ્યો છે. સરકાર રેલવે ટ્રાફિકને ઓછ...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું કોરોના-બાયો વેસ્ટ ભેગું કરવાનું કૌભાંડ
વૈશ્વિક મહામારી દરમ્યાન લોકોને ગુજરાન ચલાવવાની તકલીફ થઈ રહી છે તેવા સમયે પણ આ લોકો પ્રજાના રૂપિયા બે હાથે લૂંટી રહયા છે. કોરોનાના દર્દીઓને કવોરેન્ટાઈન કરવામાં આવે છે તે સ્થળેથી કચરો એકત્રિત કરવાના નામે કેટલાક લોકો કરદાતાઓના પરસેવાની કમાણી ઘર ભેગી કરી રહયા છે. જેને મ્યુનિ. શાસકો મુક સમંતિ પણ આપી રહયા છે.
સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કવોરેન્ટાઈન દર્...
ગુજરાતમાં જાહેરમાં માસ્ક નહિ પહેરનારા-જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી 50...
ગુજરાત સરકારે આગામી તા. 1 ઓગસ્ટ 2020 શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
હાલ આ દંડની જે રકમ 200 રૂપિયા છે તે તા. 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.
નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક ઉપલબ્ધ કરાવાશે
૧૦...
ડ્રેગનફ્રુટની ખેતી એટલે સોનાની ખેતી – ખેડૂત હિતેશ ગોહિલ
વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 તેમજ ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ ઈમ્યુનિટી રોગ પ્રતિકાર શકિત વધારવા રામબાણ ઈલાજ મનાય છે અને ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી.
પિટાયા-થોર પ્રજાતિનું ફળ એટલે ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૂ.100 કરોડથી વધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે 350 એકર જમીનમાં ખેડૂતો પકવી રહયા છે....
કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા 9.80 લાખ સહાય યોજના
પાકને અનિયમિત વરસાદના નુકસાનથી બચાવવા તેમજ પાણીના કરકસરપૂર્ણ ઉપયોગથી પિયત હેઠળનો વિસ્તાર વધારવા ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા અને ખેડુતોમા સામાજીક સમરસતા વધારવાના હેતુથી પાણી માટે કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ ટાંકા બનાવવા સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે અમલમા મુકવામા આવેલ છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપન...
દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ
દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ના નિયં...
કોરોના: કુલ રિકવરી 9 લાખ, કુલ કેસ 14 લાખ
અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને દેખરેખ અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે દેશમાં કોવિડના કેસોનો મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાયો છે. દેશમાં મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 2.28% સુધી પહોંચ્યો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે.
...