Monday, June 2, 2025

Tag: collector

આંગણવાડી કાર્યકરો પોતાની માંગણીઓ પૂરી કરાવવા મક્કમઃ કલેક્ટરને આવેદનપત્...

રાજકોટ, તા.06 :. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગુજરાતના આંગણવાડી વર્કર-હેલ્પર તથા આઈ.સી.ડી.એસ. યોજના સંબંધી  બાબતે ગુજરાત સરકાર તાકિદે નિર્ણય કરવા રજુઆત કરી હતી. રજૂઆતમાં જણાવેલ કે ગુજરાતમાં તમામ બાલમંદિરોને આઈ.સી.ડી.એસ. યોજનામાં સમાવેશ કરવામાં આવે તેને આંગણવાડી કેન્દ્રમાં લાવવામાં આવે. વડાપ્રધાન દ્વારા જ...

કામ માટે પ્રજા ખાય ધક્કા, બિલ્ડરોને એનએ માટે બખ્ખાં

હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા.05 રાજ્યની વિજય રૂપાણી સરકારને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ખૂબજ ચિંતા છે. બુધવારે તેમણે તમામ કલેક્ટર્સ અને અન્ય સબંધિત અધિકારીઓને જમીનના એનએની કાર્યવાહી ઝડપી કરવા વિશેષ સુચના આપી છે. સ્વભાવિક છે કે અર્થતંત્રને ગતિ આપવાના નામે તેમણે બિલ્ડરોને લાભ થાય એવી વ્યવસ્થા કરી છે પણ બીજી બાજુ સામન્ય પ્રજાના કમ માટે સરકારે જ નક્ક...

પાટીદારો પર માત્ર 31 પોલીસ અત્યાચાર શોધાયા પણ બે વર્ષથી કોઈ અહેવાલ નહી...

પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા અમિત શાહને પાડીદારો  જવાબદાર માને છે ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે ર...

બૂલેટ ટ્રેનનાં અસરગ્રસ્તોનું આંદોલન

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારનાં ખેડૂતો અને બિન ખેડૂતોની જમીન અને ઘર સંપાદિત થવાના છે અને તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું તે લોકો આગામી ત્રણ મહિનામાં વાપીથી અમદાવાદ સુધી એક યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન તેઓ આઠ જેટલા જિલ્લામાંથી પસાર થશે અને ત્યાં દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને ન્યાય આપવાની માગણી કરશ...

નાનકડા ગામની બહેનોનું સખી મંડળ માટીના ગણેશની મૂર્તિઓ બનાવે છે

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામની બહેનોનું સખી મંડળ આજે સમગ્ર ગુજરાતમાં તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્વારા  કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી તેના પર નારિયેળના છોતરાઓમાંથી ઉત્પન્ન થતા રેસા, ઊન અને કાપડ...

આધાર કાર્ડ માટે રઝળતાં વૃધ્ધાની પુત્ર-પૌત્ર સાથે ઈચ્છામૃત્યુની માગ

મહેસાણા, તા.28 બહુચરાજીના કાલરી ગામના 65 વર્ષનાં વૃદ્ધાએ 38 વર્ષના પુત્ર અને 4 વર્ષના પૌત્ર સાથે દેહ છોડવા જિલ્લા કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરી છે. અંગૂઠાની છાપ નહીં મળવાના કારણે તેમનું આધારકાર્ડ નીકળતું નથી અને તેના કારણે મળવાપાત્ર સરકારી લાભો માટે છેલ્લા 2 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં ઇચ્છામૃત્યુની માગણી ...

પોલોના જંગલમાં હવે પ્રવાસીઓ ફોર વ્હીલ કે ભારે વાહનો લઈ જઈ નહી શકે

વિજયનગર,તા. 28 પોલો ફોરેસ્ટ સહેલાણીઓ માટે આકર્ષણનું સ્થળ છે. ચોમાસાની સિઝન દરમિયાન મોટા પ્રમાણમાં અહી પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે ત્યારે પોલો જંગલની મુલાકાત લેવા માગતા યાત્રિકો માટે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે જે પ્રવાસીઓ માટે થોડુ મુશ્કેલીરુપ બની શકે તેમ છે. પોલો ફોરેસ્ટમાં ફોર વ્હીલ અને અન્ય ભારે વાહનોના પ્રવેશ પર સાબરકાંઠા કલ...

લોકોના દર્દ દૂર કરતા ઢબુડી માતા તેમની સામેના પ્રચારથી કણસે છે

અમદાવાદ, તા.25 આપણે ત્યાં માણસોને ઈશ્વર અને વિજ્ઞાન કરતા કહેવાતા બાબાઓ અને માતાજીઓમાં વધુ શ્રધ્ધા છે. જેના કારણે ચોક્કસ ટોળકીઓ ગરીબ અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોનો લાભ ઉઠાવી રહી છે. પોતાને રૂપાલની જોગણી અને ઢબુડી માતા તરીકે ઓળખવતા ધનજી ઓડ ગુજરાતના ગામે ગામ પોતાની ગાદી સ્થાપિત કરી રહ્યા છે.  જો કે ઢબુડી માતાનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણ...

6 હજાર શિક્ષકોને રૂ.200નો દંડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મળવા જોઈએ તેના કરતાં ઓછા ગુણ આપીને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ કરનારા 6 હજાર શિક્ષકો સામે ગાંધીનગર બોર્ડની કચેરીએ બોલાવીને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ.100થી 200ન...

કલેક્ટરનો સ્ટાફ હડતાલ પર જશે

મહેસુલી કર્મચારીઆેના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આગામી તા.29થી બેમુદતી હડતાલ પર જવાનો નિર્ણય ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા લેવામાં આવેલ છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત મહામંડળના પ્રમુખ વિરમભાઈ દેસાઈ અને મહામંત્રી આશિષ બાખલડિયાએ કરી છે. મહેસુલમંત્રી ને પાઠવાયેલા આવેદ...

ગુજરાતમાં મોટાપાયે બદલીઓ થવાની તૈયારી 

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ગમે તે ઘડીએ મોટા પાયે ફેરબદલ થવાની શક્યતા છે. સીએમઓએ સંકેત આપ્યા છે કે રાજ્યના જિલ્લાઓમાં કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ સચિવાલયના સિનિયર અધિકારીઓની સામૂહિક બદલીઓ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના નથી પરંતુ જિલ્લા કક્ષાએ અને રાજ્યક...

સરકારી ચોપડે દુષ્કાળ ન રહ્યો, ગુજરાતમાં સારા વરસાદથી

રાજ્યમાં હવે ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. જો 125 મી.મી. કરતાં ઓછો વરસાદ હોય તો જ અછત જાહેર કરવામાં આવતી હોય છે. આમ સરકારી નિયમ પ્રમાણે હજુ 1 ઓક્ટોબર સુધી આ 14 તાલુકામાં વરસાદ પડશે અને તેથી ગુજરાતમાં આ વખતે દુષ્કાળ નથી એવું સ્પષ્ટ પણે કહી શકીએ. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત હવે દુષ્કાળગ્રસ્ત નથી. તેથી કોઈ ખેડૂતને ખેતર માટે  કે પશુઓ...

મુખ્ય પ્રધાન 500 કર્મચારી વગર વહીવટ ચલાવે છે

સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારીની ૫૦૫ જગ્યાઓ ખાલી રાજ્યના પાટનગરમાં આવેલા સચિવાલયમાં ૫૦૫ જગ્યાઓ ખાલી છે, જે પૈકીની ૭૪ જગ્યાઓ તો બે વર્ષ કરતા વધુ વર્ષથી ખાલી છે. સામાન્ય વહીવટ  વિભાગદ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી કે, સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 સંવર્ગની મંજુર થયેલી ૧૫૧૩ જગ્યાઓમાંથી ૧૦૦૮ જગ્યાઓ ભરેલી છે.  આ જગ્યાઓને વહીવટી અનુકૂળતાએ ભરવ...

ગુજરાતને લૂંટતા 83 ખાણમાફિયાઓ સામે ફરિયાદોમાં કોઈને જેલ નહીં

રાજ્યના છ જિલ્લામાં ખાણ માફિયાઓ સામે 83 ફરિયાદો થઇ છે. સૌથી વધુ 35 ફરિયાદો કચ્છમાં થયેલી છે. બીજાક્રમે સૌથી વધુ ફરિયાદો ગીર સોમનાથ જિલ્લામાં છે. વિભાગે માત્ર દંડની કાર્યવાહી કરી છે, કેટલાકને દંડમાં હપ્તા બાંધી આપ્યા છે. ગાંધીનગર અને અમદાવામાં સાબરમતી નદીની રેતી કાઢવાનું એક મોટું કૌભાંડ ચાલે છે છતાં વિભાગની નજર સામે બિન્દાસ રેતી કાઢવાના કામો થઇ રહ્ય...

સંકટ મોચન યોજના અણધારી આવી પડેલી આફતમાં મદદ

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા સંકટ મોચન યોજના સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૫મી ઓગષ્ટ ૧૯૯૫થી અમલમાં આવેલી સંકટ મોચન યોજના અંતર્ગત કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના કુદરતી કે અકસ્માતે મૃત્યુથી તેના કુટુંબીજનો પર આવી પડતી અણધારી આફત સમયે તે કુટુંબના સભ્યોને રૂા....