[:gj]6 હજાર શિક્ષકોને રૂ.200નો દંડ [:]

[:gj]ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મળવા જોઈએ તેના કરતાં ઓછા ગુણ આપીને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ કરનારા 6 હજાર શિક્ષકો સામે ગાંધીનગર બોર્ડની કચેરીએ બોલાવીને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ.100થી 200નો નજીવો દંડ કરીને છોડી મૂકવામાં આવી રહ્યાં છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં અદાજે ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અંદાજે ૨૫૦૦ અને ધો.૧૨ સાયન્સમાં અંદાજે ૫૦૦ જેટલા શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણી દરમિયાન ૨ માર્કસથી લઇને ૨૦થી લઇને ૨૫ માર્કસ સુધીની ભૂલ કરી હતી. બોર્ડના ધ્યાનમાં આ ભૂલ આવતાં તાકીદે સુધારી લેવામાં આવી હતી.

બોર્ડ દ્વારા તા.૨૭મીથી લઇને આગામી ૧૦ દિવસ સુધી અંદાજે ૬ હજાર શિક્ષકોને તબક્કાવાર બોર્ડ સમક્ષ બોલાવીને રૂબરૂ સૂનાવણી કરવાનુ નક્કી કરાયુ છે. જેના ભાગરૂપે આજે ૧૧૦ જેટલા શિક્ષકોને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા.

ભુલ કરનારા શિક્ષકો સામે દંડાનાત્મક કાર્યવાહી કરવાનુ નક્કી કરાયુ હતુ. જેમાં ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની ઉત્તરવહીમાં ભૂલ કરનારને રૂ.૧૦૦ અને ધો.૧૨ સાયન્સની ઉત્તરવહીમાં ભૂલ કરનારા શિક્ષકને રૂ.૨૦૦ દંડ કરવામાં આવે છે.

૧૦ માર્કસ કરતાં વધારે ભૂલો કરનારા શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. શિક્ષકોને પોતાના કામમાં ધ્યાન આપવા અને વિદ્યાર્થીઓની કારર્કિદી પ્રત્યે ચેંડા ન થાય તે રીતે કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી.  શિક્ષકની નાની ભુલના કારણે વિદ્યાર્થીઓને મળતાં ગુણમાં મોટા તફાવત આવી જતો હોય છે. કોઇ વિદ્યાર્થીઓને અન્યાય થાય તો ભવિષ્યમાં મોટી કિંમત ચુકવવી પડે છે. પેપર ચકાસણીના કાર્યમાં કોઇપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહી તેવી તાકીદ પણ કરવામાં આવી હતી.

સૂનાવણીમાં શિક્ષણમંત્રી હાજર રહીને શિક્ષકોને ભૂલો ન કરવા અને કામ પર ધ્યાન આપવા તાકીદ કરી હતી.[:]