Monday, February 2, 2026

Tag: Coronavirus

કોરોનથી કંટાળ્યા હો તો આબુ ફરતા આવો, અમારી સલાહ ‘ના’ છે

કોરોના લોકડાઉનને કારણે 3 મહિનાથી બંધ માઉન્ટ આબુના પર્યટન સ્થળ અને હોટળ આજથી ખોલી દેવામાં આવ્યા છે. પર્યટકોને આવા-જવાની છૂટ છે પરંતુ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. કોરોના મહામારીને કારણે માઉન્ટ આબુ ફરવા આવતા પ્રવાસીઓ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. હોટલને ખોલવા...

ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ, તેમને મળેલા નેતાઓ કોરન્ટીન

કોરોના વાયરસ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યો છે ત્યારે તેના સિકંજામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને એ દરમ્યાન તેઓ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સંપર્કમાં પણ આવ્યા હતા. તેઓ જે જે નેતાઓને મળ્યા હતા, જે જે કાર્યકરો...

ભારતે કોવિડ-19 માંથી ઉગારવા માટે 5,718 કરોડ રુપીયાની લોન લીધી, કુલ કેટ...

ભારત સરકાર અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)એ આજે “કોવિડ-19 સક્રિય પ્રતિભાવ અને ખર્ચ સહાય કાર્યક્રમ” અંતર્ગત ભારતને કોવિડ-19 મહામારીના કારણે ગરીબ અને નિઃસહાય પરિવારો પર થતા વિપરિત પ્રભાવો સામે પ્રતિક્રિયા આપવા માટે વધુ મજબૂત બનાવવાના આશયથી 5,718 કરોડ રુપીયાની મદદ માટે સમજૂતી કરાર કર્યો છે. AIIB તરફથી ભારતને આ પ્રકારની પ્રથમ અંદાજ...

મુલાકાતીઓ માટે જલિયાંવાલા બાગનું સ્મારક 31 જુલાઈ 2020 સુધી બંધ રહેશે

દેશમાં 13 એપ્રિલ 2019 થી 13 એપ્રિલ 2020 સુધીમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ માનવામાં આવ્યો હતો. હાલમાં, સ્મારકનું નવીનીકરણ અને સુધારણા કરવામાં આવી રહ્યું છે અને સ્મારક સ્થળ પર એક મ્યુઝિયમ / ગેલેરી અને સાઉન્ડ અને લઈટ શૉ બનાવવામાં આવ્યું છે. માર્ચ 2020 સુધીમાં સ્મારક સ્થળના નવીનીકરણનું કામ પૂર્ણ થવાનું હતું, જેના કારણે લોકો 13 મી એપ્રિલના રોજ શ્રદ્ધાંજલ...

અમરેલી જિલ્લાના 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ

કોવિડ-19ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ 2900 જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે. સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા ...

સરકાર ઠન ઠન ગોપાલ: દારૂની જેમ હવે તમાકુ પર પણ કોવિડ સેસ

કોવિડ-19 અને લોકડાઉનની સીધી અસર GST કલેકશન પર પડી રહી છે. કેન્દ્ર પાસે રાજ્યોને GSTનું વળતર ચુકવવા માટે ફંડ નથી. બીજી બાજુ, રાજ્યોની નાણાકીય સ્થિતી પણ સારી નથી. એટલે રાજ્યોની આવક વધારવા માટે સરકાર હવે તબાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાવવાની તૈયારીમાં છે. આ સેસને કોવિડ સેસનું નામ પણ આપી શકાય છે. તેનાથી વાર્ષિક 50,000 કરોડ રૂપિયાની વધારાની વસુલાત ...

કોરોના વોરિયર્સ માટે રાહતના સમાચાર હવે સમયસર પગાર મળશે

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સામે ફ્રન્ટલાઈન પર કામ કરતા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને સમયસર ચુકવણી કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલેથી જ એક પરિપત્ર જારી કર્યો હતો કે ડોકટરો અને અન્ય આરોગ્ય સંભાળ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો પડશે, રાજયોના મુખ્ય સચિવે તેની ...

પતંજલિએ કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કર્યો, 80% લોકો સાજા થયા

પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છે કે, બે અઠવાડિયામાં કોરોનાની દવા તૈયાર થઈ જશે અને બજારમાં ઉપલબ્ધ પણ થઈ જશે. એમનું કહેવું છે કે, આયુર્વેદિક દવાઓના એક ખાસ પ્રકારના મિશ્રણથી કોરોના વાયરસની સારવાર કરવી શકય છે અને આ દવાઓનું મિશ્રણ રસી તરીકે પણ સારું કામ કરે છે. આચાર્ય બાલકૃષ્ણના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી આ વિશે સંશોધન ચાલી રહ્યુ...

રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની વાતો માત્ર અફવા: વિજય રૂપાણી

મુખ્યમંત્રી સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરી રહી નથી તેમ પણ સ્પષ્ટ કર્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે.

ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC)માં ઉચ્ચ ગુણવત્તાવાળા ફેસ માસ્ક વિકસિત ક...

ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC) મુંબઇમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફેસ માસ્ક વિકસિત કરવામાં આવ્યા છે. BARC એટોમિક એનર્જી વિભાગ સાથે જોડાયેલ છે. માસ્ક HPA ફિલ્ટર્સની મદદથી વિકસિત કરવામાં આવ્યો છે અને આર્થિક હોવાની પણ અપેક્ષા છે. નોંધનીય છે કે અણુ ઉર્જા વિભાગમાં લગભગ 30 એકમો છે જેમાં R&D શૈક્ષણિક સંસ્થાઓ, સહાયિત હોસ્પિટલો, પીએસયુ વગેરેનો સમાવેશ થાય છે....

કોરોના સારવારનું બિલ અમેરિકામાં 11 લાખ ડોલર, સુરતમાં 12 લાખ રૂપિયા

અમેરિકા, સીઆટલ ટાઇમ્સે શનિવારે અહેવાલ આપ્યો છે કે 70 વર્ષીય અમેરિકન વ્યક્તિ, જેને COVID-19 થયો હતો, તેના હોસ્પિટલના ખર્ચ રૂપે 1.1 મિલિયન સોલાર એટલે કે 8 કરોડ 35 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું માઇકલ ફ્લોરને 4 માર્ચે ઉત્તરપશ્ચિમ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને 62 દિવસ રોકાયો હતો - એક સમયે મૃત્યુની એટલી નજીક આવી ગઈ હતી ક...

પરીક્ષા રદ નહી કરાતા NSUIએ મામલો હાથમાં લીધો

શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 25 તારીખે યોજાનારી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસાર જીદે ચડ્યાં છે કે ગુજરાત યુનિવર્સિટી કોઇ પણ સંજોગોમાં પરીક્ષા રદ નહી કરી. હવે એનએસયુઆઇ આ મામલે વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવી રહ્યું છે. શનિવારે એનએસયુઆઇનાં હોદેદારોએ કુલપતિ અને રજીસ્ટ્ર્રાર પિયુષ પટેલ...

ચીનમાં કોરોનાનો સેકન્ડ વેવ, નવા 57 કેસ નોંધાયા

દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં ફરીથી કોરોના વાઇરસનાં નવા કેસ આવી રહ્યાં છે, પહેલા 83,000 જેટલા લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતુ, અને 4,600 થી વધુ લોકોનાં મોત થઇ ગયા હતા, બાદમાં અહી કોરોના વાઇરસની સ્થિતી કાબૂમાં આવી ગઇ હતી, અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું હતુ, પરંતુ અહી પાછું કોરોના વાઇરસે માથું ઉંચક્યું છે. અહી એક જ દિવસમાં કોરોનાનાં ન...

માસ્ક ન પહેરવા પર હવે પોલીસ કાર્યવાહી

રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે અનેક એક્શન પ્લાન બનાવ્યાં હતા, પરંતુ તેનો યોગ્ય અમલ ન થતા કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. માસ્ક,સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના સંક્રમણને રોકવાનો એક માત્ર ઉપાય છે. ત્યારે જાહેર સ્થળોએ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરાયા છે. તેમ છંતા કેટલાક બેજવાબદાર લોકો મ...

કોરોના ને કારણે વસ્તી ગણતરી અટકી પડી, જાણો હવે પછી ક્યારે ચાલુ થશે

ભારતમાં 2021ની વસતી ગણતરીનું કામ એપ્રિલ 2020માં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શક્યું નથી, એટલું જ નહીં વસતી ગણતરી નિયામકે નવી તારીખ પણ જાહેર કરી નથી તેથી આ કાર્યક્રમ અનિશ્ચિતતા ભણી જઇ રહ્યો છે. એક વર્ષ સુધી ચાલે તેટલી આ લાંબી પ્રોસેસ છે પરંતુ આખરે વિલંબ સાથે પણ તેને પૂરી કરવાની હોય છે. વસતી ગણતરીના એક અધિકારીએ ક...