Tuesday, June 2, 2026

Tag: gujarat

પોલીસની ધોંસ વધતાં અમરેલી જિલ્લાનાં વ્યાજખોરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા

અમરેલી, તા.16 અમરેલી જિલ્લા પોલીસ વડાને મળેલ બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી., એલ.સી.બી. ટીમે અગાઉ સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્ટરલ, જીવતા કાર્તુસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથીયારો જપ્ત કર્યા હતાં. આ કેસમાં મકાન માલીક નરેન્દ્રલ ઉર્ફે નટુભાઈ સુરગભાઈ ખુમાણ, ગૌતમ નરેન્દ્રેભાઈ ખુમાણ સામે જે તે સમયે વંડા પોલીસ સ્ટેશન...

ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે આઇટી અને ફાર્મા શેરો તેજી

અમદાવાદ,૧૬ સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સ 250ની બેતરફી વધઘટે અથડાઈને અંતે સેન્સેક્સ 93 પોઇન્ટ વધીને 38,598.99ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 43.25 પોઇન્ટ વધીને 11,450ની સપાટી કુદાવીને 11,471.55ના મથાળે બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુખ્ય 11 ઇન્ડેક્સ...

દિવાળી સમયે કામ ધંધા છોડી લોકો ટ્રાફિક ઓફિસ અને એસબીઆઇમાં મેમો ભરવા ગય...

અમદાવાદ,તા.17 અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે. અમદાવાદ શહ...

લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે

ગાંધીનગર, તા. 17 રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...

ફેસલેસ ઇ-એસસમેન્ટ કેવી રીતે કરવું તેની અમને જ કંઈ ખબર નથી

અમદાવાદ,૧૬ આવકવેરાના રિટર્નની ફેસલેસ સ્ક્રૂટિની કેવી રીતે કરવી તે અંગેની સ્પષ્ટ સમજણ અમારી પાસે પણ નથી એવી રજૂઆત ભારત ભરના આવકવેરા અધિકારીઓવતી સંયુક્ત પણે કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. ત્રીજી ઓક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને આવકવેરા અધિકારીઓના ગ્રુપ દ્વારા સંયુક્તપણે સહીઓ કરીને ફેસલેસ ઇ-એસેસમેન્ટ સામે આડકતરો વિરોધ પણ...

ટૂંકાગાળામાં રૂપિયો મજબુત થવાના કોઈ સંયોગ નથી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...

સરકારી ફિઝોયોથેરાપી-નર્સિગમાં ૩૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો

ગાંધીનગર,તા.16 ફિઝિયોથેરાપી અને નર્સિગમાં સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૮૨ બેઠકો માટે વિદ્યાર્થીઓે આપેલી ચોઇસના આધારે આજે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી હતી. જેમાં ૩૩૫ વિદ્યાર્થીઓએ નવો પ્રવેશ અને ૪૭ વિદ્યાર્થીઓએ સ્વનિર્ભર કોલેજમાંથી સરકારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ધો.૧૨ પછીના નીટ વગરની પ્રવેશ પ્રક્રિયામાં બે ઓનલાઇન રાઉન્ડ કર્યા પછી સરકારી કોલ...

કેન્દ્રના રિપોર્ટ મુજબ ગુજરાતના પશુધનમાં ચોંકાવનારો ઘટાડો

ગાંધીનગર, તા.૧૬ કેન્દ્ર સરકારે પશુધનની વસતી ગણતરીના બહાર પાડેલા આંકડામાં ગુજરાત એક એવું રાજ્ય છે કે, જ્યાં પશુધનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં 0.95 ટકા પશુઓની ઘટ વર્તાઇ છે, જ્યારે દેશના બીજા રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશમાં 11.81 ટકા, પશ્ચિમ બંગાળમાં 23.32 ટકા, બિહારમાં 10.67 ટકા તેમજ આંધ્રપ્રદેશમાં 15.79 ટકા પશુધન વધ્યું છે. ...

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વ...

અમદાવાદ,તા:૧૬ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે. ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બ...

રાજ્ય સરકાર સળંગ છ દિવસના દિવાળી વેકેશનના મૂડમાં

ગાંધીનગર, તા.૧૬ દિપાવલીના તહેવારો સરકારી કર્મચારીઓ માણી શકે તે માટે રાજ્ય સરકાર છ દિવસનું સળંગ વેકેશન આપવા માટે તૈયારી કરી રહી છે. જો 30મી ઓક્ટોબરે રજા પાડવામાં આવે તો સરકારી કર્મચારીઓને 26 થી 31 સુધી વેકેશન મળી શકે છે. 25મી ઓક્ટોબર સુધી સરકારી કચેરીઓ ચાલુ રહેશે, ત્યારબાદ 26 થી 29 અને 31મી ઓક્ટોબરે રજા છે. પરંતુ 30મી ઓક્ટોબરે સરકારી કચેરીઓ ચાલ...

ટ્રાફિક વિભાગે ચાર વર્ષમાં અમદાવાદીઓને 78 કરોડના ઈ-મેમો આપ્યા, માત્ર 2...

અમદાવાદ, તા.16 શહેર ટ્રાફિક વિભાગે છેલ્લા ચાર વર્ષમાં ટ્રાફિક સીગ્નલ જમ્પના 78 કરોડ રૂપિયાના દંડના ઈ-મેમો ઈસ્યુ કર્યા છે, પરંતુ વસૂલાત માત્ર 24 કરોડની જ થઈ શકી છે. ભૂતકાળમાં ઈ-મેમોની વસૂલાત માટે માધવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. જો કે, આ વખતે ટ્રાફિક પોલીસે દંડની રકમ નહીં ભરનારા શખ્સોને એક મોકો આપી રહી છે. નોટિસ બ...

ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ માટે ધોરણ-8 પાસ હોવું જરૂરી નથી

ગાંધીનગર,તા.16 ગુજરાતમાં ધોરણ-8 પાસ વ્યક્તિને જ ટ્રાન્સપોર્ટ મોટર વાહન ચલાવવાનું લાયસન્સ આપવામાં આવશે તેવું જાહેર થતાં કેન્દ્રના આદેશને પગલે એવું નક્કી કરવામાં આવ્યું છે કે વાહન લાયસન્સ માટે ધોરણ-8 પાસ હોવું જરૂરી નથી. રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરીએ જણાવ્યું છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટીફિકેશનથી સેન્ટ...

મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપી અન્ય નોકરી કરતા 3000 ફાર્માસીસ્ટ્સને ...

ગાંધીનગર,તા.16 મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપીને બીજી કંપનીમાં નોકરી કરતા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી ચેતવણી આપવામાં આવી છે. આવી ગેરકાયદે ડ્યુઅલ જોબ કરતા ફાર્માસીસ્ટોના લાયસન્સ રદ્દ કરવા સહિત અનેક કડક પગલાં લેવામાં આવશે. તાજેતરમાં કાઉન્સિલની બેઠકમાં વધુ 103 ફાર્માસીસ્ટોને સસ્પેન્ડ કરીને તેઓને દંડ ફટકારવાનો નિર્...

રાહુલ ગાંધીના ફરમાન બાદ કોંગ્રેસ એક્શન મોડમાં

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં સાવ સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો મુદ્દો ચગતા રાહુલ ગાંધીએ પ્રદેશના ટોચના નેતાઓ પરેશ ધાનાણી, અમિત ચાવડા અને રાજીવ સાતવને ફોન કરીને પરિણામ ન આપી શકનારા નેતાઓની હકાલપટ્ટીનો સ્પષ્ટ આદેશ આપતા તેની અસર જોવા મળી રહી છે. સરકારે ગૌણ સેવા પસંદગી...

બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગુણ આપશે...

ગાંધીનગર, તા. 16 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહે...