Thursday, September 17, 2026

Tag: Politics

રુઆબદાર રૂપાણીએ નીતિ આયોગમાં રજૂ કર્યું રૂપાળું ગુજરાત

ગાંધીનગર, તા.18 ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશના કૃષિક્ષેત્રમાં પરિવર્તન માટેના સૂચનો નીતિ આયોગે રચેલી મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિની મુંબઇમાં આયોજિત બેઠકમાં ભાગ લેતાં મોડેલ એપીએમસી એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમની વાત કેટલી વાસ્તવિક છે તે અંગે ખેડૂતો પોતાના...

નોટબંધી પછી બિનહિસાબી રોકડ જમા કરાવનારને પકડવા માટે આવકવેરા ખાતાએ માર્...

અમદાવાદ,રવિવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે નવેમ્બર 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂા. 500 અને રૂા. 1000ની ચલણી નોટ્સને રદ કરી દેવાના નિર્ણયની જાહેરાત કરી તે પછી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલા બિનહિસાબી રોકડને પકડી પાડવા માટે આવકવેરા ખાતાએ 17 પોઈન્ટની એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. દેશના દરેક ઝોનમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર અને ડિર...

શંકરને હટાવતાં ભાજપમાં સંકટ : રાજીનામા આપવા શંખેશ્વરના કાર્યકરોના પાટણ...

પાટણ, તા.૧૮ જિલ્લા પંચાયતના સદસ્ય શંકરભાઈ કટારીયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાતાં શંખેશ્વર પંથકના ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકયો છે. ગતરોજ નારાજ કાર્યકરોના ધાડાં જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે સભ્યપદેથી રાજીનામા આપવા માટે ઉમટ્યા હતા અને આગામી રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારે પડશે તેવી કેટલાક યુવકોએ ચીમકી ઉચ્ચારી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. ...

અમદાવાદમાં કેમિકલ એન્જિનિયરીંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થપાશે– માંડવિયા

ગાંધીનગર- કેન્દ્રીય શિપીંગ એન્ડ કેમિકલ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં સૌ પ્રથમ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત ગુજરાતના અમદાવાદમાં થશે. અમદાવાદ સ્થિત સીઆઇપીઇટીમાં 31 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિદ્યાર્થી છાત્રાલયનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પ્લાસ્ટિકના વપરાશ પર નિયં...

ભાવનગર કલેક્ટર અને શિક્ષણ મંત્રી આમને સામને, જુઓ વિડિયો.

https://youtu.be/nRv2OMFdkcI પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરના ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, જો કે મંત્રી વિભાવરી દવેનો દાવો છે કે આ મેળો ભાજપ દ્વારા આયોજીત છે પરંતુ શહેરમાં લાગેલા હોર્ડીંગમાં યુવક સેવા અને સાંસ્કુતિક વિભાગના નામનો ઉલ્લેખ જોવા મળે છે, જો કે શનિવારે આ અંગે જાણકારી આપવા...

સત્તાના દૂરુપયોગથી પાણીના ટેન્કર મંગાવનારા કોર્પોરેટરને રૂ.31,400 ભરવા...

મહેસાણા, તા.૧૭ મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર હિરેન મકવાણાએ સત્તાનો દૂરુપયોગ કરી નાણાં ચૂકવ્યા વિના બે વર્ષમાં 157 ટેન્કર પાણી મગાવી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવી એક મહિનામાં રૂ.31,400 ભરપાઇ કરવાનો હુકમ પ્રાદેશિક કમિશ્નર દ્વારા કરાયો છે. તેમજ દોષિત કર્મચારી વિરુદ્ધ નિયમોનુસાર પગલાં લેવા ચીફ ઓફિસરને આદેશ કરાયો છે. નગરપાલિકાન...

પાણીમાં ડૂબેલા ધોલેરાનો 92 હજાર હેક્ટરમાંથી 1100 હેક્ટર વિસ્તાર સલામત ...

અમદાવાદ,તા:16 રાજનેતાઓનું જ્યાં અબજો રૂપિયાની જમીન આવેલી છે ત્યાં વિદેશના રોકાણકારોને જમીન પધરાવી દેવા ઉતાવળી બનેલી ગુજરાત સરકાર લોકોની ખેવના કરવા 921 ચો.કી. વિસ્તારમાં આજે પણ પાણી ભરાયેલા છે તેને સહાય કરવાના બદલે જ્યાં 1100 હેક્ટર જમીન ઉપર માટી નાંખીને થોડા બિલ્ડીંગો બનાવી દીધા છે તે બતાવીને આવું સાબિત કરવા માગે છે કે, ધોલેરામાં પાણી નથી. પણ ખર...

મલેશિયામાં પણ જાકીર નાઇક હિન્દુઓ સામે ઝેર ઓકી રહ્યો છે, સરકારે કડક કાર...

ઇન્ટરનેશનલ, તા:૧૬ ધર્મના પ્રચારના નામે કથિત આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા જાકિર નાઇક સામે ભારતીય તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે તેને મલેશિયામાં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, કહ્યું કે મલેશિયામાં હિન્દુઓની પાસે ભારતના લઘુમતી મુસ્લિમોથી પણ 100 ગણા વધુ અધિકારો છે, અને આપણી પાસે તે નથી, તેને અહી શાંતિભંગ કરીને લોકોને ઉશ્...

UNSCમાં ચીન-પાકિસ્તાનનું નાક કપાયું, જમ્મુ-કાશ્મીર મામલે 10માંથી માત્ર...

ઇન્ટરનેશનલ,તા:૧૬ ,ભારતનો વિરોધ કરવા દુનિયાભરમાં જઇ આવ્યાં તેમ છંતા કોઇ દેશે પાકિસ્તાનને મદદ ન કરી અને નવાઇની વાત તો એ છે કે પાકિસ્તાન સાથે ચીન પણ અવળચંડાઇ કરવા ગયું અને બંને દેશોના નાક કપાઇ ગયા, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાં બાદની સ્થિતિ મામલે બંધ બારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠક યોજાઈ હતી. ચીનની માંગ પર આ બેઠક યોજાઇ હતી, ...

રાજકોટ કોંગ્રેસમાં અંદરો-અંદર વિખવાદ, છેવટે સોશિયલ મીડિયાનું વોટ્સએપ ગ...

રાજકોટ, તા:૧૬ થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બે નેતાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી, તે વાત હજુ ચર્ચાનો વિષય છે, તેવામાં જ કોંગ્રેસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, રાજકોટમાં એક કોંગ્રેસી કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં ટિપ્પણી કરી હતી કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ગેરંટી ? આ ટિપ્પણી બાદ વ...

સાવધાન પાકિસ્તાન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું જરૂર પડશે તો પરમાણ...

તા:-૧૬, જમ્મુ-કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની રહી છે, પાકિસ્તાન વારંવાર ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે અને દુનિયાભરમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે હવે ભારતે પણ તેને જવાબ આપવાની જોરદાર તૈયારી બતાવી છે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જો જરૂર પડશે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ પરમાણું હથિયારોના ઉપયોગની નીતિ બ...

PDP નેતા મહેબૂબા મુફ્તિ બાદ તેની પુત્રી પણ નજરકેદ, ગૃહમંત્રી અમિત શાહન...

વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં મનમાણી કરનારા મુફ્તિ પરિવારને હવે ભારતની તાકાતનો અંદાજો આવી રહ્યો છે, પીડીપી નેતા અને વારંવાર પાકિસ્તાનની તરફેણ કરનાર મહેબૂબા મુફ્તિ હાલમાં નજર કેદ છે અને હવે તેની પુત્રી ઇલ્તિઝા જાવેદને પણ નજરકેદ કરી દેવાયાના સમાચાર સામે આવ્યાં છે, તેને મીડિયા સાથે વાત કરી હતી ત્યાર બાદ તેની પર સુરક્ષા એજન્સીઓની નજર છે, તેને ગૃહમંત્રી અ...

રોકડ વ્યવહારનો નિયમ તોડવાથી ઘરે આવશે આવકવેરા વિભાગ

અમદાવાદ, તા:૧૬ 73માં સ્વતંત્રતા  પર્વ દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું વેપારીઓને કહીશ કે તમે દુકાન બહાર બોર્ડ એવું લગાવતા હતા કે- આજે રોકડ, કાલે ઉધાર.અમે એવું ઇચ્...

નવેમ્બર સુધીમાં પ્રદેશ ભાજપના સંગઠનનું નવીનીકરણ

ભાજપના સંગઠન પર્વ અંતર્ગત આગામી નવેમ્બર મહિના સુધીમાં પ્રદેશ પ્રમુખ અને કારોબારીની રચના પૂર્ણ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પક્ષના સંગઠન પર્વ અંતર્ગત આગામી વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત પ...

રશિયન રાજનીતિના પાઠ ભાજપે ભણ્યા છે, ગુજરાત અને દિલ્હીમાં અમલ થયો

ગુજરાતમાં અને દિલ્હીમાં ભાજપનું રાજકારણ બદલાયું છે. પાર્ટીના વિશ્વાસુ કાર્યકર્તાઓને હોદ્દા આપવાની જગ્યાએ વિરોધીઓને પ્રેમથી ઉચ્ચ આસને બેસાડી દેવામાં આવતાં તેઓ ટીકા કરતાં અટકી ગયા છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં બન્યા છે અને દિલ્હીમાં પણ બનતા રહ્યાં છે. રશિયાના ઝારના મહામંત્રીએ એક દિવસ પોતાના સચિવને બોલાવીને સૂચના આપી કહ્યું કે- જે લેખકો પોતાના લેખમાં મ...