જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પિંજોરા વિસ્તારમાં સેનાએ આજે સોમવારે 4 આતંકીઓને ઠાર કર્યા હોવાના અહેવાલ છે. સાથેજ છેલ્લા 8 દિવસ માં જવાનો એ 6 એકાઉન્ટર હાથ ધરી 18 આતંકીઓ ને ઠાર કર્યા છે.
કોઈ મોટી ઘટના ને અંજામ આપવા માટે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલાં ગઈકાલે રવિવારે પણ શોપિયાના જ રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરમાં પુલવામા અને કુલુગામના હિજ્બુલ કમાન્ડર ફારુક અહમદ બટ ઉર્ફે નાલીને પણ ઠાર કરાયો હતો.
ઈન્ટેલિજન્સ એજન્સીએ ગયા મહિને પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરીનું એલર્ટ આપ્યું હતું. ત્યારપછી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરીને એકપછી એક આતંકીઓએ ઠાર મારવામાં આવી રહ્યા છે.