ખેતરની અંદર રહેલાં અળસિયા ખાતરની ફેક્ટરી તરીકે કામ કરે છે. દેશી અળસિયું મારી ખાય છે. જો તેને માટી ન મળે તો તે બીજે જતું રહે અથવા જમીનમાં અંદર જઈને સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કર્યું છે કે, અળસિયું 24 કલાકમાં 7 વખત ખેતરની જમીનની અંદર જઈને બીજા માર્ગે ઉપર આવે છે. આમ કૂલ તે જમીનમાં 14 છિદ્ર કરે છે. જેનાથી હવાની અવર જવર ભરપૂર થાય છે. દેશી અળસિયું જુદા-જુદા તાપમાને કામ કરી શકે છે.
રસાયણ ખાતરની ફેક્ટરી
અળસિયું માટી ખાઈને મળ બહાર કાઢે છે. તેણે જે માટી ખાધી હોય તે માટી કરતાં તેમાં 7 ટકાથી વધું નાઈટ્રોજન હોય છે. 9 ટકાથી વધું ફોસ્ફરસ, 11 ટકાથી વધું પોટાશ અને 6 ટકાથી વધું ચૂનો હોય છે. 8 ટકાથી વધું મેગ્નેશ્યમ હોય છે. 10 ટકાથી વધું સલ્ફર હોય છે. એ ઉપરાંત જમીનની સૂક્ષ્મ તત્વો વિપુલ માત્રામાં હોય છે.
અળસિયું ભેજ પસંદ કરે છે. તે માટે કોઈ પણ પાકની ઊપજ જમીનની ફળદ્રુપતા પર છે. ફળદ્રુપતા વધારવા માટે એક જૈવ-રસાયણીક ચક્ર જેને હયુમસ કહેવાય છે. ખેતરના સુકા પદાર્થો પાકમાં જમીન પર વેરવામાં આવે છે. જેની નીચે અળસિયું રહે છે.
અળસિયની વસતી તેમ વધું તેમ કુદરતી ખાતર વધું મળે છે. અળસિયાની વસતી વધારવા માટે રાસાયણીક ખાતર અને રાસાયણીક જંતુનાશક દવા વાપરવાનું બંધ કરવું જોઈએ. અળસિયાની વસતી વધારવા માટે જીવામૃત ઉત્તમ છે. જે ખેતરમાં જ બની શકે છે. 200 લિટર પાણી, 10 લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, 10 કિલો છાણ, 1 મૂઠી વડ નીચેની માટી, 1 કિલો કાળો ગોળ, 1 કિલો ચણાનો લોટ ભેગા કરીને દિવસમાં સવાર સાંજ 4 દિવસ હલાવવું. જે ખેતરમાં છાંટવું કા પાણી સાથે આપવું. આમ કરવાથી સજીવ ખેતી થશે અને અળસિયા વધશે.