ઉત્તર પ્રદેશ ધિક્કારના રાજકાણનું હબ બની ગયું છે, પૂર્વ સનદી અધિકારીઓએ સીએમ યોગીને પત્ર લખ્યી વટહુકમ પરત ખેંચવા માંગણી કરી

30 ડિસેમ્બર 2020

યુપીના મુખ્યમંત્રી 100 થી વધુ પૂર્વ અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે . પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધર્માંતર વિરોધી વટહુકમથી રાજ્યને સામાજિક નફરત, ભાગલા પાડો ને રાજ કરો અને ધાર્મિક કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. સનદી અધિકારીઓએ વટહુકમને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યા છે. જેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. પહેલા ગુજરાતને પરતનું રાજ્ય મોદી રાજમાં બન્યું હતું હવે આ અધિકારીઓએ ઉત્તપ્રદેશને ગુજરાતના માર્ગે ધકેલવામાં આવી રહ્યું હોવાનું તેમના પત્ર પરથી લાગે છે.

પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરૂપમા રાવ અને પૂર્વ વડા પ્રધાન સલાહકાર ટી.કે. એ. નૈયર સહિત 104 નિવૃત્ત આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અધિકારીઓએ નામ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે.

બધાએ ‘ઉત્તર પ્રદેશ કાયદાઓ વિરુદ્ધ ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ, 2020’ પાછો ખેંચવાની માંગ કરી છે. અમલદારોનું કહેવું છે કે આ કાયદાથી ઉત્તર પ્રદેશને નફરત, ભાગલા અને કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બનાવ્યું છે. જેની અસર આખા દેશમાં થઈ રહી છે.

ઉત્તરપ્રદેશ એક સમયે ગંગા-જમુના તેહઝિબને સિંચન કરાવવાનું હતું, પરંતુ હવે આ કાયદો આવતાની સાથે ધિક્કાર, ભાગલા… કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બની ગયું છે.

પત્રમાં પૂર્વ અધિકારીઓએ લખ્યું છે કે કાયદો લઘુમતીઓ વિરુદ્ધ કાવતરું છે. તેમને પજવવા માટે રચાયેલો છે. લવ જેહાદનું નામ જમણેરી વિચારધારાઓ દ્વારા આપવામાં આવ્યું છે. આમાં, મુસ્લિમ પુરુષો કથિત રીતે હિન્દુ મહિલાઓને લલચાવી દે છે અને લગ્ન કરે છે અને પછી તેમના પર ધર્મપરિવર્તન માટે દબાણ કરે છે. આ માત્ર એક ઉશ્કેરણી છે. આ એક તરફનો ઘોર અત્યાચાર છે જે વહીવટી તંત્ર યુવા લોકો સામે આચરે છે.

પૂર્વ અધિકારીઓએ અલાહાબાદ હાઈકોર્ટનો ચૂકાદો ટાંક્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જો છોકરો અને છોકરી સગીર છે અને પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છે તો ક્યાંય પણ ગુનો નોંધી શકાતો નથી. કોર્ટે ગયા મહિને એક આદેશ આપ્યો હતો, જે વ્યક્તિના અંગત સંબંધોને ઉલ્લંઘન કરતો સ્વતંત્રતાના અધિકારના ભંગ કરે છે.

CONTACT

Constitutional Conduct Group
Facebook: Constitutional Conduct
Twitter: constitutionalconduct
ENGLISH

આ એ અધિકારીઓ છે જેમણે વહીવટી, કાયદો અને વ્યવસ્થા, જંગલો, વિદેશ સેવા જેવા ક્ષેત્રે 60 વર્ષની ઉંમર સુધી લોકોની વચ્ચે રહીને કામો કર્યા છે. દેશને લોકશાહી રસ્તે લઈ જવા તેઓએ પોતાના જીવવો ભોગ આપ્યો છે. સત્તા સામે લડીને પણ કામ કરનારા ઘણા છે. તેઓએ દેશ સામે સત્ય રજૂ કર્યું છે. કારણ કે ઉત્તર પ્રદેશની નફરત હવે ગુજરાતમાં પણ શરૂ થઈ છે. અને લવજેહાદનો કાયદો લાવવા માટે કટ્ટર પંથીઓની ઝૂંબેશ ગુજરાતમાં શરૂ થઈ છે.