[:gj]આદિવાસીઓને જમીન આપવા મહત્વના નિર્ણયો [:]

[:gj]ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ વિકાસ વિભાગની બેઠકમાં  આદિજાતિ ખાતેદારોની જમીનની માલિકીનો વિસ્તાર નાનો હોવાથી બ્લોક / સર્વે નંબરના આદિજાતિ ખાતેદારને ૪ એકર જમીન હોય તો પણ બીજું વીજ જોડાણ આપવામાં આવશે.
રાજ્યમાં વધારાનું ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટે ખાતેદાર પાસે ૮ એકરથી વધુ જમીન હોવી આવશ્યક
છે. પરંતુ આદિજાતિ વિસ્તાર માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે.
આદિજાતિ વિસ્તારોમાં અનાજ દળવાની ઘંટી માટેના કનેકશન લેવા માટે અગાઉ બિનખેતી એન.એ.નું જે પ્રમાણપત્ર
મેળવવું પડતું હતું તે મેળવવામાંથી પણ મુકિત આપી છે.

ખેતી વિષયક અન્ય વ્યવસાયના કિસ્સામાં પણ આવા વીજ કનેકશન લેવા માટે એન.એ.
પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે નહિ.
યુનિવર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને પણ અનૂસુચિત જાતિ અને અન્ય પછાત વર્ગો (OBC)ના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના ધોરણે જ શિષ્યવૃત્તિ સહાય અપાશે.
રાજ્યમાં ૧૯૬ ફોરેસ્ટ વિલેજને રેવન્યુ વિલેજ બનાવવામાં આવેલા છે તેનું રેવન્યુ રેકર્ડ એક માસમાં તૈયાર કરી દેવાની પણ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આદિવાસી વિસ્તારમાં સિંચાઇ યોજનાના અસરગ્રસ્તોને પૂન: વસવાટના જે લાભો મળવાપાત્ર થાય છે તે ઝડપી મળી રહે તે હેતુસર મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને મહેસૂલ, વન-પર્યાવરણ અને સિંચાઇ વિભાગના વરિષ્ઠ સિચવોની બેઠક ૧પ દિવસમાં બોલાવી વ્યવહારૂ ઉકેલ લાવી દેવાશે.
આશ્રમ શાળાઓ છાત્રાલયોને પ્રથમ ૧ર ગેસ સિલીન્ડર સબસીડાઇઝડ ભાવે અપાશે તે પછીના વધારાના સિલીન્ડર પર આવી સબસીડી મળવાપાત્ર થશે નહિ. તમામ શાળાઓની જમીન મેળવવાની પડતર ૪૭ દરખાસ્તો
પરની કાર્યવાહી મહેસૂલ વિભાગ પંદર દિવસમાં પૂર્ણ કરી દેશે.

આદિજાતિ વિસ્તારની શાળાઓમાં ખૂટતા અને જર્જરીત કુલ ૩૩૬૦ ઓરડાઓ-વર્ગખંડો માટેની
કામગીરીને ર૦૧૮-૧૯ના સુધારેલ અંદાજમાં શિક્ષણ વિભાગને હવાલે મૂકીને સત્વરે પૂર્ણ કરવાની સૂચનાઓ
પણ બેઠકમાં આપવામાં આવી હતી.[:]