[:gj]ગુજરાતનું નવું હિલ-સ્ટેશન ડોન, પ્રથમ પસંદ કેમ છે ? [:]

[:gj]એક મહિના પછી ચોમાસુ શરૂં થશે. ત્યારે સાપુતારા પાસે આવેલા ડોન હીલસ્ટેશન પર રજા ગાળવા જવા માટે ઘણાં લોકો અત્યારથી જ આયોજન કરી રહ્યાં છે. હવે સાપુતારમાં લોકોની ભીડ વધતાં ડોન હીલ સ્ટેશન લોકો વધુ પસંદ કરે છે.
કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના નિસર્ગપ્રેમીઓ કે પછી નાગરિકોને પણ ડોન નામનું હિલ-સ્ટેશન ગુજરાતમાં છે એની કદાચ ખબર નહીં હોય. આ હિલ-સ્ટેશન હજી વિકસિત થયું નથી અને ત્યાં પહોંચવા માટે હજી માંડ સવા-દોઢ વર્ષ પહેલાં જ પાકો રસ્તો બન્યો છે.
ગુજરાતનું ગિરિમથક ડોન ડાંગ જિલ્લાની સરહદ પર પહાડ પર આવેલું ગામ છે. હાલના ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારાની જેમ આ ડોન ગામ પણ ૧૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેની સાથે ભગવાન ભોળા શંકર, રામસીતા અને હનુમાનજી, અંજની માતા અને ગુરુ દ્રોણની દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળ પર્વતારોહણ માટે શ્રેષ્ઠ છે અને ટ્રેક માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. અહીં આવેલા ટ્રેકરો અને મુસાફરો તો એમ કહે છે કે નૈનિતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું ખૂબસૂરત સ્થળ ડોન છે.

‘આ સ્થળ સાપુતારાથી પણ ૧૭ મીટર ઊંચું છે અને સાપુતારા કરતાં દસ ગણો વિસ્તાર ડોનનો છે. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. આ સ્થળે અંજનીમાતાએ ભગવાન શિવની આરાધના કરી હતી. આ સ્થળે ભગવાન રામચંદ્રજી અને સીતામાતાનાં પગલાં છે અને ડુંગર નીચે પાંડવ ગુફા આવેલી છે. પાંડવોને જ્યારે ૧૪ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો ત્યારે આ સ્થળે તેમણે વનવાસ ભોગવ્યો હતો. ડોનમાં એટલી ઠંડક છે કે ઉનાળામાં પણ ગામના રહીશોને ગોદડાં ઓઢીને સૂવું પડે છે. અહીં વાદળાં નીચે ઊતરી આવે છે. આ સ્થળે સહેલાણીઓ આવે છે, પરંતુ એટલા બધા આવતા નથી કેમ કે હજી આ સ્થળને વિકસિત કરવાનું બાકી છે.’ જોકે અહીં રહેલા પાંચ ખેડૂતોએ જમીન આપી અને ડોનમાં જવાનો રસ્તો તૈયાર થયો
ડાંગ જિલ્લામાં આવેલા હિલ-સ્ટેશન ડોન જવું હોય તો એ આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.
શંકર ભગવાન, ભગવાન રામચંદ્ર, સીતાજી, હનુમાનજી, અંજનીમાતા, ગુરુ દ્રોણની લોકવાયકાઓ ને દંતકથાઓ જોડાયેલી છે ડાંગ જિલ્લાના આ સ્થળ સાથે: નૈનીતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું રળિયામણું સ્થળ। ..
ડોન ગામની તળેટીમાં ગડદ ગામ આવેલું છે. આ ગામના પાંચ ખેડૂતો લાલસિંહ પવાર, મોતીલાલ પવાર, ગંગારામ પવાર, ગમન તુળસ્યા અને ચંદર માળવીશે પોતાની ખેતીની જમીન ડોન જવાના માર્ગ માટે આપી દેતાં મહારાષ્ટ્ર થઈને જવાતા ૪૪ કિલોમીટરનું અંતર ઘટીને ૮.૫ કિલોમીટરનું થઈ ગયું.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં હિલ-સ્ટેશન સાપુતારા, ગીરા ફૉલ્સ ઉપરાંત શબરીધામ, પમ્પા સરોવર, ભેંસકાત્રી નજીક આવેલું માયાદેવીનું મંદિર, વઘઈ, કિલાડ, મહાલ જેવાં પ્રવાસન-સ્થળો આવેલાં છે. ચોમાસાની શરૂઆત થતાં જ સહેલાણીઓ ડાંગમાં ઊમટી પડે છે. નાનકડો ડાંગ જિલ્લો ચોમાસામાં લીલોછમ બની જાય છે. અહીં ઠેર-ઠેર વહેતાં ઝરણાં અને ડુંગર પરથી વહેતા નાના-મોટા પાણીના ધોધ વાતાવરણને આહ્લાદક બનાવે છે.
ડાંગ જિલ્લામાં આવેલું હિલ-સ્ટેશન ડોન આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.[:]