ગુજરાતમાં 1 હજાર અદાલતો થઈ પણ કાયદા વિભાગ ઝડપી ન્યાય અપાવી શકતો નથી

ગુજરાતની અદાલતો અંગે સરકારે વિધાનસભામાં જાહેરાતો કરી છે. પણ ગુના નોંધાતા નથી અને કેસનો ઝડપી નિકાલ કેટલો થાય છે તે અંગે કોઈ જાહેરાત કરી નથી. ઉપરાંત કેટલાક પ્રશ્નનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો નથી. જેમાં કેટલા ગુનેગારો પકડાયા અને કેટલાને સજા થઈ, કેટલા કેસ પડતર છે, સજા કરવાનો રેસ્યો કેટલો છે. કેટલા ન્યાધિશ છે, દેશ દ્રોહના કેસ કેટલાં છે, પોલીસ અત્યાચારના કેટલા કેસ ચાલી રહ્યાં છે. આમ ગુજરાતમાં 1 હજાર અદાલતો છે પણ તેમાં ઝડપી ન્યાય મળતો નથી.

અરજદારોને સમયસર ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ૨૦૦૩-૦૪માં ન્યાયતંત્ર માટેનું અંદાજપત્ર માત્ર રૂા. ૧૪૦.૧૯ કરોડ હતું, તેમાં ૧,૧૭૯ ટકાનો વધારો કર્યું છે.  ૨૦૧૫માં વિવિધ સ્તરની ૮૯૪ અદાલતો  હતી. છેલ્લા ચાર વર્ષમાં વધુ ૧૩૪ અદાવદો શરૂ કરવામાં આવી છે. રાજયના ૨૪૯ તાલુકાઓ પૈકી ૨૪૮ તાલુકાઓમાં સિવિલ અદાલત શરૂ કરી દેવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષમાં અધિક જિલ્લા ન્યાયાધિશની ૧૦ તથા સિનીયર સિવિલ જજની ૩ મળીને ૧૩ તાલુકા કોર્ટ શરૂ કરવામાં આવશે. 1041 અદાલતો ગુજરાતમાં થઈ જશે.

ન્યાયાધિશ તેમજ સપોર્ટીંગ સ્ટાફ માટે છેલ્લા બે વર્ષમાં ૨૫૯૪ જગ્યાઓ મંજૂર થવાથી સાથે હવે કુલ કર્મચારી અને ન્યાયધિશ ૧૧,૦૩૦ થઇ છે. આગામી વર્ષમાં વધુ ૬૪૫ જેટલી જગ્યાઓ માટે જોગવાઇ કરવમાં આવી છે.

મહિલાઓને ઝડપથી ન્યાય મળી રહે તે માટે કુટુંબ અદાલત મહત્વની હોય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓમાં કુટંબ અદાલત કાર્યરત હતી, તેમાં વધારો કરીને હવે રાજ્યના ૨૯ જિલ્લાઓમાં કુલ ૪૬ જેટલી કુટુંબ અદાલત મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૩૮ જેટલી કુટુંબ અદાલત કામ કરતી થઈ ગઈ છે.

રાજ્યમાં વધી રહેલા ઔદ્યોગિક અદાવતમાં વધારો થયો છે. ૯ જિલ્લાઓમાં ઔદ્યોગિક અદાલતો અને ૨૨ જિલ્લાઓમાં મજૂર અદાલત કામ કરે છે.

જુદા-જુદા ખાસ કાયદા હેઠળ ૨૦૧૫માં રાજ્યમાં ૧૪૪ ખાસ અદાલત કાર્યરત હતી. છેલ્લા ત્રણ વર્ષમાં વધુ ૨૫૯ નવી અદાલત શરૂ કરવામાં આવી છે. આમ, હાલમાં કુલ-૪૦૩ જેટલી ખાસ અદાલત કાર્યરત છે.

ગુજરાત વડી અદાલતો તથા તાબાની અદાલતોમાં મહત્વના દસ્તાવેજોનું ડીઝીટીલાઇઝેશન માટે રૂા. ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કોર્ટ રૂમમાં થતી કાર્યવાહીમાં પારદર્શિતા આવે તથા કોર્ટ સ્ટાફ દ્વારા થતી કામગીરી ઉપર દેખરેખ રહે તે માટે રાજ્યની અદાલતોને સી.સી.ટી.વી.ના માધ્યમથી સાંકળી લેવા માટે ગત વર્ષે કુલ રૂા. ૫૩ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તે અંગતર્ગત ૩૪૩ કોર્ટ બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. ૧,૩૪૫ કોર્ટ રૂમમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ઉપલી અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તે માટે છેલ્લા ત્રણ વર્ષેમાં ૩૮,૧૮૮ જેટલી લોક અદાલતો યોજવામાં આવી હતી.

આગામી નાણાકીય વર્ષમાં ૫ કાયમી લોક અદાલતોની સ્થાપના માટે રૂા. ૨.૮૦ કરોડની જોગવાઇ કરી છે. પક્ષકારો વચ્ચે સમાધાન, સુલેહ થાય તે માટે મહત્વના મીડીએશન સેન્ટરમાં દિવાની તેમજ સમાધાન લાયક ફોજદારી કેસો મૂકવામાં આવતા હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની તમામ અદાલતોમાં મીડીએશન સેન્ટર દ્વારા સમાધાન માટે રજૂ કરવામાં આવેલા કેસો પૈકી ૨,૦૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જ્યુડીશરી સેવા સાથે સંકળાયેલા ન્યાયાધિશો, કોર્ટ કર્મચારીઓ તથા સરકારી વકીલોની સ્કીલ અપડેશન માટે આગામી વર્ષમાં રૂા. ૧૫.૪૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અદાલતોના સંકુલ, રહેણાંકના મકાનો માટે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂા. ૧,૧૦૩.૫૯ કરોડની મંજૂરી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે રૂા. ૭૪.૯૬ કરોડના નવા કામો માટે જોગવાઇ કરવામાં આવી છે.
વિવિધ અદાલતોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા રૂા. ૮૨૯.૮૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. ચેરીટીતંત્રમાં હાલમાં ૨.૫૨ લાખ ટ્રસ્ટો અને ૯૩,૧૫૪ જેટલી સોસાયટીઓ નોંધાયેલી છે. તેના અંદાજે ૪ કરોડ થી વધુ દસ્તાવેજોનું ડીજીટીલાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.