નાનામોટા  પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા જીલ્લા પંચાયત આપના દ્વારે કાર્યક્રમમાં 70 ટકા પ્રશ્નોના નિકાલનો દાવો

અમદાવાદ,તા.10

બગસરા તાલુકા પંચાયત ખાતે ” જીલ્લા પંચાયત આપનાં દ્વારે ” અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાની ઉપસ્થિતમા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આસપાસમાં આવેલા  ગામના સરપંચ તેમજ અરજદારોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી. આ રજૂઆતન ધ્યાનમાં લઇને  70 ટકા લોકોના પ્રશ્રનોનો સ્થળ પરજ નિકાલ કરવામાં આવતાં  અરજદારોમા ખુશીનો મહોલ  જોવા મળ્યો હતો.

અમરેલી જીલ્લાના બગસરા તાલુકા પંચાયત ખાતે જીલ્લા પંચાય ના પ્રમુખ રવજીભાઈ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજવામાં આવેલો હતો. આ લોકદરબારમાં  ગામેગામના સરપંચ તેમજ અરજદારોએ પોતાના વિવિધ પ્રશ્રનોની રજૂઆત કરેલી હતી.  ત્યારે હાલ 70 ટકા લોકોના પ્રશ્રનોનો સ્થળ પરજ નિકાલ  કરી દેવામાં આવ્યો હતો.
આ લોક દરબારમાં ધારી બગસરા ધારાસભ્ય જે.વી કાકડિયા તાલુકા વિકાસ અધિકારી એન.ડી.કુગસીયા તેમજ બગસરા તાલુકાના સરપંચો સહિત લોકો પણ બહોળી સંખ્યામાં નાના-મોટા પ્રશ્નો લઈને હાજર રહ્યાં હતા.  અધિકારીઓ સમક્ષ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

આ લોક દરબારમાં અનેક લોકોના તમામ નાના-મોટા પ્રશ્ન સાંભળી આશરે 70 ટકા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.  તેમજ જે પડતર  પ્રશ્નો પડેલા છે તેનું દરેક વિભાગના અધિકારીઓને સાથે રાખીને રજુઆત કરેલ છે આ અંગે વધુ મા જણાવ્યું હતું અને જીલ્લાના પ્રમુખ દ્વારા બાકી ની તમામ સમસ્યાઓનો સંબેધિત અધિકારીઓ પાસે જઇને ઉકલ લાવવા માટે તાકિદ કરવામાં આવી હતી. ગામડાઓમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હોય છે જેમકે પાણી, વિજળી અને રોડ રસ્તા તેમજ પુલની સમસ્યા વધુ હોય છે. આ ઉપરાંત કેટેલાંક પંચાયત અને જીલ્લા પંચાયતને લગતાં પણ પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છેત્યારે આ તમામ પ્રશ્નોના નિકાલ માટે જીલ્લા પપંચાયત આપના દ્વારા કાર્યક્રમ દ્વારા તેનું નિરાકરણ લવાય છે.