મોંઘવારીનો માર રેલવેને પડ્યો, 400 કરોડની આવક ઘટી

ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં વધુ રૂ.400 કરોડનો ઘટાડો નોંધાયો હતો. મોદી સરકારે ઊભી કરેલી મોંઘવારી અને મોંઘી મુસાફરીના કારણે લોકોએ પ્રવાસ કરવાનું ટાળ્યું છે. ખરેખર તો રેલની આવક રૂ.1000 કરોડ વધવી જોઈતી હતી. તે વધવાના બદલે ઘટી છે.

અગાઉ રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકની સરખામણીએ બીજા ત્રિમાસિકમાં રૂ.155કરોડનો દ્યટાડો નોંધાયો હતો.

2019-20ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલથી જૂન)માં રેલવેને પ્રવાસી ભાડામાંથી રૂ.13,399 કરોડની આવક થઈ હતી જે બીજા ત્રિમાસિક (જુલાઈથી સપ્ટેમ્બર)માં ઘટીને રૂ.13244 કરોડ થઈ ગઈ હતી અને ત્રીજા ત્રિમાસિક (ઓકટોબરથી ડસિેમ્બર)માં તેમાં વધુ ઘટાડો નોંધાયો હતો અને પ્રવાસી ભાડાંની આવકનો આંક ઘટીને રૂ.12,844 કરોડ થઈ ગયો હતો.

માલ ગાડી ભાડું

બીજા ત્રિમાસિકમાં નૂરનાં ભાડામાં જોવા મળેલા રૂ.3901 કરોડનાં ઘટાડાની સામે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક (ઓકટોબરથી અકિલા ડિસેમ્બર) દરમિયાન નૂરના ભાડાંની આવકમાં રૂ.2800 કરોડનો વધારો નોંધાયો હતો.

મધ્ય પ્રદેશસ્થિત એકિટવિસ્ટ ચંદ્રશેખર ગૌર દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજીના જવાબમાં નાણાકીય વર્ષ જોકે, નૂરનાં ભાડાંની આવકમાં રેલવેએ ત્રીજા ત્રિમાસિકમાં વધારો નોંધાવ્યો હતો. પ્રથમ ત્રિમાસિકમાં રેલવેએ નૂરનાં ભાડાં થકી રૂ.29067 કરોડની આવક કરી હતી જે બીજા ત્રિમાસિકમાં ઘટીને રૂ.25,265 કરોડ થઈ ગઈ હતી અને ત્રીજા ત્રિમાસિકમાં પ્રવાસી ભાડાંની આવકનો આંક ફરી વધીને રૂ.28033કરોડ પર પહોંચ્યો હતો.